SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ भेदज्ञानं प्रतियोग्यंशे संस्कारापेक्षणात् स्मृतिरूपमस्तु प्रत्यभिज्ञानमिव तनांशे इति चेत्, न । तथापि भेदगतप्रतियोगिवैशिष्टयांशे तदभावात् । न च कनकाचलो भेदप्रतियोगी वस्तुत्वाद् इति भेदे प्रतियोगिवैशिष्टयगोचरानुमित्या तत्संस्कारसम्भवः । भेदज्ञानं विनाऽनुमित्यभावेनात्माश्रयापत्तेः । पक्षसाध्यहेतुपक्षताद्यभेदभ्रमे सति सिद्धसाधनादिनाऽनुमानाप्रवृत्त्या तदभेदज्ञानविघटनीयस्य तभेदज्ञानस्यापेक्षितत्वात् । જે એમ દલીલ કરવામાં આવે કે ભેદ જ્ઞાનને પ્રતિવેગી અંશમાં સંસ્કારની અપેક્ષા છે તેથી એ ભલે સ્મૃતિરૂપ છે, પ્રત્યભિજ્ઞા જેમ તત્તા-અંશમાં (સ્મૃતિરૂ૫) છે તેમ, – તો ઉત્તર છે કે ના, કારણ કે તેમ હોય તે પણ ભેદગત ‘ પ્રતિગીથી વૈશિશ્ય અંશમાં તેનો (સ્મૃતિને ) અભાવ હશે અને કનકાચલ ભેદપ્રતિયોગી છે, વધુ હેવાથી' એમ ભેદની બાબતમાં “પ્રતિવેગીથી વૈશિષ્ટ વિષયક અનુમતિથી તેના પ્રતિગીના) સંસ્કારને સંભવ છે એમ નથી (અર્થાત એમ નહીં કહી શકાય), કારણ કે ભેદના જ્ઞાન વિના અનુમિતિને અભાવ હોવાથી આત્માશ્રય દેષ થશે પક્ષ, સાય, હેતુ, પક્ષતા આદિના અભેદ્રને ભ્રમ થતાં સિદ્ધસાધન વગેરેને લઈને અનુમાનની પ્રવૃત્તિ નહીં થાય તેથી તેમના અભેદના જ્ઞાનનું વિઘટક બની શકે તેવા તેમના ભેદના જ્ઞાનની અપેક્ષા છે (અક્ષરશઃ –તેમના અભેદનું જ્ઞાન જેનાથી વિઘટિત થઈ શકે તેવા તેમના ભેદજ્ઞાનની અપેક્ષા છે). વિવરણ : ભેદ સાચો છે એમ માનીને કોઈ દલીલ કરી શકે કે ભેદજ્ઞાનમાં (“ઘટ પટથી ભિન્ન છે. “ધટનો પટથી ભેદ છે) પ્રતિયેગી (પટ) અ શમાં સંસ્કારની અપેક્ષા છે તેથી તેટલા અંશમાં એ સંસ્કારથી જય સ્મૃતિરૂપ જ્ઞાન ભલે હો. ત્યભિજ્ઞા (“આ તે જ દેવદત છે”)ને પ્રત્યક્ષ જ્ઞાનને પ્રકાર માનવામાં આવે છે તેમ છતાં “ તે” અ શમ સંસ્કારની અપેક્ષા છે અને તેનાથી જન્ય સ્મૃતિ હોય છે તેમ ભેદજ્ઞાનમાં પણ પ્રતિયેગી (પટ) અંશમાં મૃતિરૂપ જ્ઞાન ભલે હે અને તેમ છતાં ભેદજ્ઞાન સંભવે છે અને પ્રત્યક્ષરૂપ છે. અને ઉત્તર છે કે ભેદજ્ઞાનમાં પ્રતિયોગીનું પ્રતિયોગિતાના વિચ્છેદક રૂપથી જ જ્ઞાન થાય છે એમ ભેદને સત્ય માનનાર પૂર્વપક્ષી માને છે. તે રૂપથી બધા જ પ્રતિયાગીને વિષય કરનારા પૂર્વ અનુભવનો સંભવ ન હોવાથી સંસ્કારને સંભવ નથી અને તેથી અસંનિકૃષ્ટ એવા પ્રતિયેગી-એશની બાબતમાં સ્મૃતિરૂપ જ્ઞાન પણ સંભવતું નથી. બે ઘડી માની લઈએ કે તે સંભવે છે તે પણ કનકાચલ વગેરે પદાર્થોને તે સનિષ્ટ ઘટમ્સ રહેલા ભેદના પ્રતિયેગી તરીકે અનુભવ થયો ન હોવાથી તેને સંભવ નથી. - વૈશિષ્ટય અંશમાં પૂર્વ અનુભવ છે એમ કોઈ દલીલ કરી શકે કારણ કે “અનટચલભેદને પ્રતિયોગી છે, વસ્તુ હોવાને કારણે એમ ભેદની બાબતમ પ્રતિપાગી-શિક્ષીને વિષય કરનાર અનુમિતિરૂપ જ્ઞાનથી તેના સંસ્કારનો સંભવ છે અને તેથી તજજન્ય સ્મૃતિ પણું સંભવે છે; અને આમ બીજ પદાર્થોની બાબતમાં અનુમાન થઈ શકે. સિ-૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy