SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચ્છેદ (૨) યથ થમતિતીરે ત્રણ વેદાન્તાનાં સમન્વય કક્ષાવિષાર્ હૃતિ જેવ, ના ગામrifધાર(ત્ર. . ૨૨૪, ગધ. ૬)दाहृतश्रुतियुक्तिभिः प्रत्यक्षाद्यधिगम्यस्य प्रपञ्चस्य ब्रह्मविवर्ततया मिथ्यात्वावगमात् । ननु न श्रुतियुक्तिभिः प्रपञ्चस्य मिथ्यात्वं प्रत्याययितु शक्यते । 'घटस्सन्' इत्यादि घटादिसत्त्वग्राहिप्रत्यक्षादिविरोधात् । (૧) હવે કઈ દલીલ કરે કે વેદાન્તનો સમન્વય અદ્વિતીય બ્રહ્મમાં કેવી રીતે હોઈ શકે કારણ કે પ્રત્યક્ષ આદિને વિરોધ છે, તે (ઉત્તર છે કે) ના (આ દલીલ બરાબર નથીકારણ કે આરંભણાધિકરણ (બ્રહસૂત્ર ૨.૧.૧૪, અધિકરણ ૬) માં ટાંકેલી કૃતિઓ અને યુક્તિઓથી એ જ્ઞાત થાય છે કે પ્રત્યક્ષાદિથી જ્ઞાત થતે પ્રપંચ બ્રહને વિવત હોવાથી મિથ્યા છે. શંકા થાય કે શ્રુતિ અને યુક્તિ પ્રપંચના મિથ્યાત્વની પ્રતીતિ કરાવી શકતી નથી કારણ કે ‘ઘટ સત્ છે” ઈત્યાદિ ઘટ આદિના સવનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષ આદિ સાથે વિરોધ છે. વિવરણ: પ્રથમ પરિચ્છેદમાં બ્રહ્મના લક્ષણના વિચારના અવસર પર લક્ષણનું મતભેદથી ય બ્રહ્મનિષ્ઠ તરીકે અને ઈશ્વરરૂપ બ્રહ્મનિષ્ઠ તરીકે નિરૂપણ કરીને તત્ પદના લક્ષ્યાર્થ અને વાચ્યાર્થીનું નિરૂપણ કર્યું. તે પછી જીવ અને તેના સાક્ષીના નિરૂપણ દ્વારા તયમ્ પદને વાચ્યાય અને લક્ષ્યાર્થીનું નિરૂપણ કર્યું. અને આમ વાકયારૂપ અભેદનું પણ નિરૂપણ થઈ ગયું, કારણ કે વાક્યાથ તત અને વત્ પદના લક્ષ્યાર્થથી અતિરિક્ત નથી. આમ જીવથી અભિન્ન નિવિશેષ બ્રહ્મમાં વેદાન્ત–સમન્વયરૂપ બ્રહ્માસ્ત્રના પ્રથમ અધ્યાયને અથ તાત્પયતઃ પ્રથમ પરિચ્છેદમાં નિરૂપિત થયેલ છે. હવે બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયને જે અર્થ - વેદાનતના સમન્વયને અન્ય પ્રમાણે સાથે અવિરોધ-તેનું નિરૂપણ કરવા માટે બીજા પરિચ્છેદને આર ભ કરે છે. શંકા થાય કે વેદાંતનું તાત્પર્ય અદ્વિતીય બ્રહ્મપરક છે એ માનવા જેવી વાત નથી કારણ કે બ્રહ્મથી અલગ એવો પ્રપંચ પ્રત્યક્ષથી સિદ્ધ થાય છે અને વેદત પ્રમાણુક અદ્વિતીયત્વને બાધ થાય છે. વેદાંતનું તાત્પર્ય બાધિત અર્થ પર કેવી રીતે હોઈ શકે? એમ હોય તે શ્રુતિને અપ્રમાણુ માનવી પડે. આ શંકાને ઉત્તર એ છે કે રજજુ-સર્પાદિની જેમ પ્રપંચ બ્રહ્મમાં કલ્પિત છે તેથી અદ્વિતીયત્વ વાસ્તવ છે અને અબાધિત છે એમ કૃતિઓ ટાંકીને અને દલીલ રજૂ કરીને બ્રહ્મસૂત્રના આરંભણાધિકરણમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy