SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૨૧ અને એવી દલીલ કરવી નહિ કે પ્રતિભાસિક અધ્યામાં પણ રજતાદિક અધ્યાસમાત્રમાં (ઉપર) સમજાવેલ વિશેષહેતુ (અભિવ્યક્ત અધિષ્ઠાનને પ્રકાશ) ભલે રહેતે. (આ બરાબર નથી, કારણ કે એમ હેય (ઈન્દ્રિય)સંનિકની પહેલાં પીતશંખ આદિ અધ્યાસને પ્રસંગ આવશે, જે ન આવે એટલા માટે તે અધ્યાસમાં દુષ્ટ ઈન્દ્રિય સંનિકર્ષ કારણ છે એમ અવશ્ય કહેવું પડવાનું છે; માટે તે જ સામાન્યતઃ પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં લાઘવને લીધે કારણ તરીકે (સિદ્ધ થતા હોઈ તેનાથી જ રજતાધ્યાસના કદાચિકને પણ નિર્વાહ (ઉપપત્તિ) થઈ જાય છે તેથી અધિષ્ઠાનને પ્રકાશ સામાન્યત: કે વિશેષત: અધ્યાસના કારણે તરીકે સિદ્ધ થતું નથી. વિવરણ: “પીત શંખ આદિ ભ્રમમાં વસ્તુતઃ વ્યભિચાર ન હોવા છતાં તે છે એમ માનીને ધર્મિજ્ઞાનવાદી શંકા કરે છે. પ્રતિભાસિક પીતશંખાદિ અધ્યાસમાં ભલે અભિવ્યક્ત અધિષ્ઠાનને પ્રકાશ હેતુ ન હોય પણ પ્રતિભાસિક રજતાદિ અધ્યાસમાં તે એ વિશેષહેતુ છે એમ માને. આને ઉત્તર એ છે કે પીતશંખાદિ અધ્યાસોમાં અભિવ્યક્ત અધિષ્ઠાનના પ્રકાશને હેતુ ન માનીએ તે જેમ અધિષ્ઠાનની અપરોક્ષતાને હેતુ નથી માનતા તેમ પીતશંખાદિ અખ્યામાં સંનિકને પણ કારણ ન સ્વીકારવામાં આવે તે સંનિષની પહેલાં પણ પતિ શંખ' આદિ અધ્યાસને પ્રસંગ આવે. તે ટાળવા માટે ત્યાં સંપ્રગને કારણ માન જ પડશે. આ દુર્ટોન્દ્રિયસંનિકમાં જે પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં અર્થાત રજતાદિ અધ્યાસ હેય કે પીતશંખાદિ અધ્યાસ હેય–સવમાં જે સામાન્યતઃ હેતુ બની શકતો હોય તે અધ્યાસમાત્રમાં તેને હેતુ માનવામાં લાધવ ગુણ છે તેથી એ જ માનવું ઉચિત છે. રજતાદિ અયાસ ક્યારેક થાય છે, સવદા થતું નથી એ હકીક્ત પણ આથી ઉપપન્ન બને છે. : ધર્મિશાનકારણુતાવાદીને એ અભિપ્રાય છે કે સદા રજતાદિ અધ્યાસના પ્રસંગને પરિહાર કરવા માટે અભિવ્યક્ત અધિષ્ઠાનના પ્રકાશને જતાદિ અધ્યાસનું કારણું માનવું જોઈએ. એમ હેય તે શુક્તિ આદિથી અવચ્છિન્ન ચૈતન્યરૂપ અધિષ્ઠાનપ્રકાશ આવૃત હેવાથી તેની સદા અભિવ્યક્તિ થતી નથી તેથી સદા રજતાદિ અધ્યાસના પ્રસંગને પરિહાર થઈ શકે છે. પણ ધર્મિશાનકારણવાદીની આ દલીલમાં ગૌરવ દોષ છે કારણ કે બે પ્રકારના પ્રાતિશાસિક અધ્યાસોમાં જુદા હેતુ માનવા પડે છે. આ અતિપ્રસંગને પરિહાર તે પીતશંખનાદ અધ્યાસના સ્થળે માનેલા દુષ્ટજિયસંનિકર્ષથી પણ પ્રાપ્ત થાય છે તેથી તેને જ બધા પ્રકારના પ્રાતિભાસિક અધ્યાસમાં હેતુ માનવે જોઈએ. અધિષ્ઠાનપ્રકાશમાત્ર અધ્યાસમાત્રમાં કારણે છે એમ સામાન્યતઃ કે “અભિવ્યક્ત અધિષ્ઠાનપ્રકાશ પ્રતિભાસિક અદયાસમાં કારણ છે એમ વિશેષતઃ ઉપયુક્ત બન્ને પ્રકારના કાર્યકારણુભાવ સિદ્ધ થઈ શક્તા નથી. * * [; વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ આનું વિવેચન કરતાં કહે છે કે દુઝેન્દ્રિયસનિકષ સામાન્યતઃ પ્રતિભાસિક અધ્યાસમાત્રમાં લાઘવને લીધે કારણ તરીકે સિદ્ધ થાય છે એમ માનવું બરાબર નથી કારણ કે અહંકારાદિના અધ્યાસમાં અને સાક્ષિતન્યમાં સ્વનાયાસમાં સંનિષ સંભવત નથી તેથી ત્યાં વ્યભિચાર થશે. એવી દલીલ ન કરવી જોઈએ કે આહકારાદિ અધ્યાસ તે વ્યાવહારિક છે (પ્રતિભાસિક નહિ). એમ માનનારના મતમાં ત્યાં વ્યભિચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy