SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः પીત કે નીલ રૂપાદિ અબ્બાસ ઉદભવે છે એ પ્રક્રિયા છે. આમ હોય તે ઇદમ' આકારવાળી વૃત્તિ શંખાદિ દ્રવ્યમાત્રને વિષય બનાવે છે કે રૂપવિશિષ્ટ દ્રવ્યને માત્ર દ્રવ્યને વિષય બનાવી શકે નહિં કારણ કે રૂપરહિત દ્રય વિષે ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી; અન્યથા વાયુ આદિ વિશે પણ ચાક્ષુષ જ્ઞાન થવું જોઈએ. રૂપવિશિષ્ટ દ્રવ્યને વિષય કરે છે એમ માનીએ તો પણ શુકલરૂપથી વિશિષ્ટ દ્રવ્યને વિષય કરે છે કે આરોગ્યરૂપ(પીત, નીલ)થી વિશિષ્ટ દ્રવ્યને? બીજુ ન હોઈ શકે કારણ કે આરોગ્યરૂપથી વિશિષ્ટ શંખાદિનું જ્ઞાન જ જાતિરૂપ હોવાથી તે મિશાન હોઈ શકે નહિ. પહેલું પણ હેઈ શકે નહિ કારણ કે અધ્યાસની પહેલાં શુકલ રૂપનું જ્ઞાન નથી હોતું; જે હોય તે અયાસ જ ન થવો જોઈએ. આમ અભિવ્યક્ત અધિષ્ઠાનનું રણ ત્યાં સંભવતું ન હેઈને ધર્મિશાન અધ્યાસનું કારણ નથી. . વ્યાખ્યાકાર કૃણાનંદતીર્થ સમીક્ષા કરતાં કહે છે કે આ બાબતમાં શંકા થાય કે અયાસની પહેલાં દ્રવ્યમાત્ર રૂપથી શંખાદિ વિષયક ચાક્ષુષવૃત્તિ ઉત્પન્ન થાય જ છે, કારણ કે દ્રવ્યવિષયક ચાક્ષુષવૃત્તિમાં એ રૂપવિષયક હેવી જોઈએ એવો નિયમ અજિક છે. અને આમ માનવાથી વાયુ આદિને ચાક્ષુષ માનવા પડશે એવું પણ નથી. દ્રવ્યના ચાક્ષુષશાનમાં દ્રવ્યમાં રહેલ. ઉદ્દભૂતરૂપ નિયામક છે તેથી અધ્યાસની પહેલાં દ્રવ્યનું ગ્રહણ થતું હોવા છતાં જેમ શુક્તિવાદિનું ગ્રહણ થતું નથી તેમ દેપને લીધે સંનિકૃષ્ટ હેવા છતાં શુકલરૂપ માત્રનું ગ્રહણ ન થાય એ ઉપપન્ન છે. : ભામતીમાં કહ્યું છે – “ઘઉં ૧ હોવા છાવિશુદ્ધિમાનં માત્ર હવે ઘણીવા” * -- શંખ કે જેનું શુકલરૂપ દોષથી આચ્છાદિત થઈ ગયું તેને દ્રવ્યમાત્ર સ્વરૂપ જણને. અથવા એમ માની લઈએ કે અભ્યાસની પહેલાં શુકલરૂપવિશિષ્ટ શંખાદિનું ગ્રહણું છે તે પણ અધ્યાસને સંભવ નથી એવું નથી, કારણ કે દોષને લીધે રૂપમાં રહેલ શુકલત્વ જાતિના પ્રહણમાં પ્રતિબધ (કાવટ) થાય છે તેથી પણ અભ્યાસની ઉપપત્તિ છે. આમ પ્રતિભાસિક અધ્યાસેમાં, અભિવ્યક્ત અધિષ્ઠાનનું સ્કુરણ હેય છે તેથી વ્યભિચાર નથી; અને “ઈદમ આકાર વૃત્તિ જે ધર્મિજ્ઞાનરૂપે છે તે સિદ્ધ થાય છે અને તેથી આચાર્યોએ જે ચર્ચા કરી છે કે આ કૃતિ આવરણની નિવક છે કે નહિ એ નિરાલંબન નથી, તે સાલંબન જ છે. આ શંકા સાચી છે અને તેથી અપભ્ય દીક્ષિતે આ મત પ્રત્યે આ જ અસ્વરસ (અણગમો) વાધ્યાયા મને' (ઉપાધ્યાય માને છે, એમ કહીને સૂચવ્યા છે. । न च प्रातिमासिकेष्वपि रजतायध्यासमात्रे निरुक्तो विशेषहेतुरास्तामिति वाच्यम् । तथा सति सम्प्रयोगात्प्राक् पीतशजायध्यासाप्रसङ्गाय तदध्यासे दुष्टेन्द्रियसंप्रयोगः कारणमित्यवश्यं वक्तव्यतया तस्यैव सामान्यतः प्रातिभासिकाध्यासमात्रे लाघवात्: कारणत्वसिदौ, ततः एव रजताध्यासकादाविकत्वस्यापि. निर्वाहादधिष्ठानप्रकाशस्य सामान्यतो विशेषतौ वाऽध्यासकारणत्वस्यासिद्धः। T કે 1 * * : - * * મધ્યમાત્રામવન - મામતી, ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy