SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૩ શ્રુતિ-સ્મૃતિમાં આ ધર્મ પરમેશ્વરના જ ધમ' તરીકે પ્રસિદ્ધ છે. પરમેશ્વરના શિવ, વિષ્ણુ તરીકે પ્રાપ્ત ભેદને નિરાસ કરવા માટે કહ્યું છે કે તે એક છે. બિબભૂત પરમેશ્વરની મૂર્તિભેદથી શિવ, વિષ્ણુ સત્તા છે, પણ ઈશ્વરભેદ તો નથી જ. ગીતામાં કહ્યું છે કે ઈશ્વર સવ”ભૂતાના હૃદયદેશમાં રહેલા છે પણ યાગમાયાથી સમાવ્રત હાઈને સવ"ને પ્રકાશ નથી, તે પ્રકાશમાન નથી. પરમેશ્વર અલગ અલગ અધિકરણમાં રહેતા હોવા છતાં તે પ્રમાણે ભિન્ન ભિન્ન નથી એમ જણાવવા તેને વ્યાપી કથ્થો છે. અને જીવભિન્ન પણ નથી એ જણુવવા તેને સવભૂત' તરાત્મા કહ્યો છે. બ્રહ્માથી માંડી તણુંખલા પ``ત સવ* સધાતમાં રહેલા આત્મા સજીવસ્વરૂપ છે. જીવાભિન્ન હોઈને પણ તે વયં મ"ના કર્તા નથી પણુ કર્માધ્યક્ષ છે. જીવે કરેલાં કર્માંના સાક્ષી છે (એમ જ અ` કરવા જોઈએ). જીવ–પરમાત્માના ઉપાધિકૃત ભેદ છે તેથી આ ધમ વ્યવસ્થા (દરેકના પોતાના વિશિષ્ટ ધર્માં) સભવે છે. પરમાત્મા સવ. ભૂતામાં રહે છે એમ કહ્યું છે પણ તેના અથ એવેા નથી કે ભૂતો તેનાથી પૃથક્ છે, અલગ અસ્તિત્વ ધરાવે છે. પરમાત્મા સવભૂતાધિવાસ છે—તેની ઉપર ભૂતા વસે છે તેથી પરમાત્મા ભૂતાના અધિવાસ છે, એમનું અધિષ્ઠાન છે, અને આરોપિત વસ્તુઓનું અસ્તિત્વ અધિષ્ઠાનથી પૃથક્ હાઈ શકે નહિ તે અનુમન્તા છે અર્થાત્ ગૈરન્ત પૂર્વક એહ્યા છે. (‘ નામ ' પદ શ્રુતિમાં આ વાત પ્રસિદ્ધ છે કે સાક્ષી પરમેશ્વરને રૂપવિશેષ છે એમ બતાવે છે). શકા : સાક્ષી જીવને અપરાક્ષ છે કારણ કે અજ્ઞાન, અન્તઃકરણુ આદિના અનુભવરૂપ માનવામાં આવ્યા છે, જ્યારે ઈશ્વર તેા નિત્ય પક્ષ છે. વળી કારત્વ, સ તત્વ, સ॰નિયતૃત્વ વગેરે જીવને અપરાક્ષ હોઈ શકે નહિ તેથી તદ્દિશિષ્ટ બિંબોતન્યરૂપ ઈશ્વર પણુ અપરાક્ષ હાઈ શકે નહિ. ઉત્તર : ના, સાક્ષીને પરમેશ્વરના પવિશેષ ક્યો છે તેથી સાક્ષીનુ અપરાક્ષત્વ ઉપપન્ન છે. સાક્ષી જીવને અપરાક્ષ છે અને અન્તરંગ છે કારણ કે જીવગત અજ્ઞાન આદિ (-આદિથી અન્ત:કરણુ અને તેના ધમ" સુખ દુઃખાદિને સર્યાં છે−)નું અવભાસન કરે છે અને 'હું અન, સુખી, દુ:ખી છુ. વગેરે વ્યવહારનેા ( ર્વાહક બને છે. લાકમાં રાજા આદિ વ્યવહારના નિર્વાહકને રાજાના અન્તર ંગ કહેવાય છે. સુષુપ્તિ આદિ અવસ્થામાં અન્તઃકરણ અને તેની વૃત્તિ વગેરે શમી જાય છે ત્યારે સાક્ષી જીવગત મૂલ અજ્ઞાનનું અવભાસન કરે છે તેથી તેના ‘સાક્ષિત્વ'ની બાબતમાં કોઈ વિરાધ નથી. સુષુપ્તિવિષયક અને ઉત્ક્રાન્તિવિષયક શ્રુતિવાષમાં ‘પ્રાજ્ઞ’ શબ્દથી સાક્ષીનું જ પ્રતિપાદન કર્યું" છે અને પ્રાન્ત શબ્દ તે પરમેશ્વર માટે પ્રયેાજાય છે તે પણ બતાવે છે કે સાક્ષી પરમેશ્વરના રૂપનિશેષ છે. પ્રિયાના આલિગનમાં રહેલા પુરુષને જેમ બહાર રસ્તા પર શુ બને છે કે અંદર ધરમાં શું કામ છે તેનું કશું જ્ઞાન નથી હતુ તેમ પુરુષ (જીવ) પ્રાન (પરમાત્મા)થી સંપષ્ચિત થતાં અર્થાત્ સુષુપ્તિમાં ઉપાધિના લયને કારણે પરમાત્માની સાથે એકીભાવ પામતાં તેને બહારના જગત્પ્રપંચ કે આન્તર સ્વપ્નપ્રપંચ કશાયનુ જ્ઞાન રહેતુ નથી. ઉત્ક્રાન્તિવિષયક વાક્યમાં કહ્યું છે કે પ્રાત્તથી અધિષ્ઠિત પુરુષ (જીવ) વેદનાવશાત્ શબ્દ (અવાજ) કરતા શરીરની બહાર નીકળે છે. આ બન્ને શ્રુતિ વાકષોમાં જીવભેથી પ્રતિપાતિ પ્રાન તે પરમેશ્વર છે એવા નિય બ્ર. સૂ. ૧.૩ ૪૨માં કરવામાં આવ્યો છે. તે પણ બતાવે છે કે પ્રાન = પરમાત્મા = સાક્ષી એમ વેદાન્તકૌમુદીમાં પ્રતિપાદિત કયુ" છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy