SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसमहः માટે નિથિ વિઝિવ છૂટી પડી પડીને એમ કહ્યું છે. બે વૃત્તિઓના વચગાળામાં વૃત્તિઓના અભાવ (વંસ) સાથે (–વૃત્તિઓના અભાવ અર્થાત વંસ, વૃત્તિઓની ઉત્પત્તિઓ અને વૃત્તિઓના ભેદ સાથે) પૂલ–સૂક્ષ્મ શરીરને ફૂટસ્થ ચૌતન્યથી જ અવભાસ થાય છે. કહેવાને આશય એ છે કે નિત્ય ચૈતન્ય માનવામાં ન આવે તે વૃત્તિઓની ઉત્પત્તિ, તેમને વિનાશ તેમને ભેદ વગેરે અપરોક્ષ રીતે ભાસિત ન થાય કારણ કે પિતાની ઉત્પત્તિ અને પોતાનો વિનાશ પિતાથી જ ગ્રાહ્ય બને એ સંભવતું નથી. બીજી વૃત્તિઓથી પણ એ ગ્રાહ્ય બની ન શકે એમ આગળ ઉપર બતાવવામાં આવશે. તેથી વૃત્તિનાશાદિના સાક્ષી તરીકે નિત્ય નૈતન્યને સ્વીકાર કરવો જોઈએ. વળી નિત્ય નૈતન્યરૂપ સાક્ષીને સદ્દભાવ હોવાથી જ અહંકારાદિને સર્વદા તેની સાથે સંસર્ગ છે તેથી તેમને વિષે સંશયાદિ થતાં નથી. અહંકાર, પ્રાણુ, શરીરાદિ અને તેમનાં સુખદુઃખાદિ ધર્મો અહંકારાદિનું અસ્તિત્વ હેય તે દરમ્યાન સંશયાદિનિવૃત્તિ પ્રકારનું ફલ ભોગવતાં હોય છે. અર્થાત તેમને વિષે કદી સંશયાદિ થતાં નથી (–‘હું છું કે નહિ,’ ‘હું જવું છું કે નહિ”, “હું સુખી છું કે નહિં” વગેરે સંશયાદિ થતાં નથી–) એ અનુભવથી સિદ્ધ છે. અહંકારાદિને સદા પ્રકાશને સંસર્ગ ન હોય તે આ સંભવે નહિ. ધટાદિ પ્રકાશ સાથે સંસર્ગ હોય તે દિશામાં જ સંશયાદિથી પર જોવામાં આવે છે. જે જ્ઞાનને નિત્ય નહીં પણ જન્ય માનવામાં આવે તે અહંકારાદિને સદા પ્રકાશસંસર્ગ સંભ નહિ કારણ કે જન્ય જ્ઞાન ઉત્પત્તિ અને નાશવાળાં છે અને તેથી કમિક છે અને સામાન્ય બાહ્ય વસ્તુને વિષવ બનાવે છે. તેથી અહંકારાદિ સદા સંશયાદિથી મુક્ત છે એ હકીકતને નિર્વાહ કરવા માટે સદા સાક્ષી રૌતન્યરૂપ પ્રકાશને સંસગ માનવો જોઈએ. સાક્ષીના સભાવને સિદ્ધ કરવા બીજી પણ દલીલ આપી છે. કેઈ દેવની મૂતિ પર લાંબા સમય સુધી ધ્યાન ધરતાં હોઈએ ત્યારે એ મૂર્તિવિષયક વૃત્તિની ધારા ચાલતી રહે છે અને એ વખતે અહમથ (અહંકાર) અને તેની તે વખતની વૃત્તિઓનો જન્ય અનુભવ સંભવતો ન હોઈને તેને સંસ્કાર સંભવ નથી તેથી પાછળથી તેનું અનુસંધાન ન થાય. મૂર્તિ વિષયક વૃત્તિજ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે અહંકારવિષયક કે તેની પ્રત્યેક વૃત્તિવિષયક જન્ય અનુભવ સંભવ નથી કારણ કે અન્ય અનુભવ થાય તે ધારાને વિચછેદ થઈ જાય, જ્યારે આ વૃત્તિસંતતિ તે ઈચ્છાથી ભેગી કરેલી સામગ્રીને કારણે છે. તેથી તેને વિચ્છેદ સંભવે નહિ. પણ આપણે જોઈએ છીએ કે અહંકાર અને તેની વૃત્તિઓનું અનુસંધાન થાય છે (–“આટલે વખત હું આને જેતે રહ્યો’–તેથી અન્યજ્ઞાનધારાકાલીન અહમર્યાદિના સાક્ષી તરીકે નિત્ય અનુભવ માનવો જોઈએ. કરી શક સંભવે છે કે સાક્ષિ-રૌતન્યથી જેને અનુભવ કરવામાં આવ્યું છે તે અહમર્થ અને તેની વૃત્તિઓનું સ્મરણ—હું તેને જેતે રહ્યો’ એમ સ્મરણ--જીવને કેવી રીતે સંભવે કારણ કે અહમથમાંના પ્રતિબિંબરૂપ છવની અપેક્ષાએ બિંબભૂત કુટસ્થ મૈતન્યાત્મક સાક્ષી ભિન્ન છે અને એકે અનુભવેલી વસ્તુનું સ્મરણ બીજાને થઈ શકે નહિ. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે પિત અને પિતાની સાથે તાદામ્ય પામેલાએ અનુભવેલી વસ્તુની બાબતમાં પિતાને સ્મરણ થાય છે એમ સ્વીકાર કર્યો છે તેથી અતિપ્રસંગને દોષ નથી. આવું હોય તે દેવદત્તે વસ્તુ જોઈ હોય તેનું સ્મરણ યજ્ઞદત્તને થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy