SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિદ નિર્વિકાર હોવું એટલે કાત્યાદિ વિકાર રહિત હેવું. આમ દ્રષ્ટવ અને નિર્વિકારત્વને પરસ્પર વિરોધ છે તો સાક્ષીમાં આ બને કેવી રીતે સંભવે ? આને ઉત્તર એ છે કે “સાક્ષાત રહરિ જ્ઞાાનપાણિનિની અષ્ટાધ્યાયીના (૫.૨.૯૧) આ સૂત્ર પ્રમાણે દષ્ટિસ્વરૂપ જ ફૂટસ્થમાં “સાક્ષિન' શબ્દથી જે જોવાની ક્રિયાનું કતૃત્વ પ્રતીત થાય છે તે પ્રકાશાત્મક સૂર્યને માટે “ઘાતે પ્રકાશે છે એમ કહેવામાં આવે છે પણ તેનું પ્રકાશમ્તવ ઉપચાર માત્ર છે તેમ ફૂટસ્થ સાક્ષીનું દ્રષ્ટ વ–દશિક્રિયાકતૃત્વ એ ઉપચારથી છે કારણ કે એ તે દૃષ્ટિસ્વરૂપ જ છે. અહી ફરી શંકા થાય કે સાક્ષીના લક્ષણમાં તે કેવલ બેવ (જ્ઞાતૃત્વ) ને ઉલેખ છે તે પછી અહીં નિર્વિકારત્વને પ્રક્ષેપ શા માટે કરવામાં આવે છે. આને ખુલાસે કરતાં કહ્યું છે કે લેકમાં પણ કોઈ બે માણસે વચ્ચે વિવાદ થયો હોય તે તેમના વિવાદને પ્રત્યક્ષ જાણકાર જે હોય અને સાથે સાથે ઉદાસીન હોય તે જ સાક્ષી બને છે. માટે નિર્વિકાર, ઉદાસીન કે તટસ્થ હેવું એ આવશ્યક છે. પણ માત્ર ઉદાસીન હેવું એ સાક્ષી બનવા માટે પૂરતું નથી, કારણ કે વિવાદસ્થળમાંના ખંભાદિ પણ ઉદાસીન છે પણ તે સાક્ષી હોઈ શકે નહિ. તેથી “બેહત્વ' વિશેષણ પણું આવશ્યક છે. શકા : પૂલ-સૂક્ષ્માત્મક શરીરથી અવચિછન્ન અને પિતાનાં અવછેદક બે શરીરેનું અવભાસિક ચૈતન્ય તે સાક્ષી એમ જે કહ્યું તે સંભવતું નથી કારણ કે આવા ચૈતન્ય માટે કઈ પ્રમાણુ નથી. અને તેના અભાવમાં બે શરીરને અવાસ નહીં થાય એમ પણ માની ન શકાય કારણ કે પ્રકાશાત્મક અન્તઃકરણવૃત્તિઓથી તે શરીરે અવભાસિત થઈ શકશે. ઉત્તર : જીવની (–અહીં જીવ’ પદ “અહંકારાત્મક અન્તઃકરણના અર્થમાં પ્રર્યું છે-) વૃત્તિઓ છે, પણ નિત્ય ચેતન્ય ન માને તે જડ અહંકારથી અલગ કાઈ જીવ હોય નહિ અને તેની વૃત્તિઓ અન્ત:કરણના પરિણામરૂપ જ ય એમ “ામ પંચ'...(બૃહદ્દ ૧.૫.૩; મૈત્રાયણી, ૬.૩૦) ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ થાય છે. તેથી છવની અર્થાત અહંકારાત્મક અન્ત:કરણની વૃત્તિઓ દીપ વગેરેની જેમ પ્રકાશાત્મક હોય તો પણ જડ હોવાથી તે સ્કૂલ અને સૂક્ષ્મ શરીરને અવભાસ ન કરી શકે. પણ સ્વપ્રકાશ નિત્ય નૈતન્ય માનવામાં આવે તે તેના (મૈતન્ય)ના પ્રતિબિંબથી યુક્ત એ વૃત્તિઓ પૂલ-સૂક્ષ્મ શરીરના અનુભવરૂપ સંભવે. માટે તેવું નૈતન્ય માનવું જ જોઈએ. વળી વૃત્તિઓના અનરાલકાળમાં બે વૃત્તિઓની વચ્ચેના સમયમાં ) આ બે શરીરનું સહેજ અર્થાત અસ્પષ્ટ ભાન હોય છે. જ્યારે આ બે શરીર વિષયક વૃત્તિઓનું અસ્તિત્વ હોય ત્યારે હું કર્તા છું,’ ‘હું સ્કૂલ છું' ઇત્યાદિ રૂપે સ્પષ્ટ ભાન હોય છે એ અનુભવથી સિદ્ધ છે. ઉપર કહેલા અસ્પષ્ટ ભાનની ઉપપતિને માટે વૃત્તિજ્ઞાનથી અતિરિક્ત નિત્ય સાક્ષિરૂ૫ ચેતન્ય માનવું જોઈએ. અહીં છવચેત રૂપ પ્રતિબિંબની વાત કરી છે તેથી અન્તઃકરણમાં (ચૈતન્યનું) પ્રતિબિંબ તે જીવ અને બિંબચતન્યરૂપ કુટસ્થ તે સાક્ષી આમ છવ અને સાક્ષીને ભેદ બતાવ્યો છે. જેમ અગ્નિથી તપેલા લોખંડના ટુકડામાંથી નીકળતા વિરકુલિંગ અગ્નિસહિત જ નીકળે છે તેમ તન્યના પ્રતિબિંબથી યુક્ત અન્તઃકરણમાંથી ઉદ્ભવતી વૃત્તિઓ તેના પ્રતિબિંબથી યુક્ત જ ઉદ્દભવે. આ વૃત્તિઓ દેહાદિના અનુભવરૂપ સંભવે છે એમ સૂચવવા અન્તઃકરણ પ્રતિબિંબયુક્ત છે એમ કહ્યું છે. જાગ્રત અવસ્થામાં બે દેહના સાક્ષી તન્ય માત્રથી અસ્પષ્ટ રીતે જાનને અવસર બતાવવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy