SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પર ૧૩૯ અભેદાભિવ્યક્તિ એમ માની શકાય નહિ). પરંતુ વિષયવચ્છિન્ન બ્રહ્મામૈતન્ય વિષયની સાથે સંસર્ગમાં આવેલી વૃત્તિના અગ્રભાગમાં વિષયનું પ્રકાશન કરનાર પ્રતિબિંબનું સમર્પણ કરે છે તેથી તે વિષયપ્રકાશક) પ્રતિબિંબને જીવ સાથે એકીભાવ છે (તે જ અભેદાભિવ્યક્તિ). અને આમ, અન્તઃકરણ તેની વૃત્તિ અને વિષય (એ ત્રણ) થી અવચ્છિન્ન ચેતને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયરૂપે અસંકર (દ) પણ ઉપપન્ન બને છે. એવી શંકા કરવી નહિ કે વૃત્તિથી ઉપહિત (વૃત્તિરૂપી ઉપાધિવાળું) ચૈતન્ય જે વિષયપ્રમા હોય તો તેને વિષયના અધિષ્ઠાનરૂપ ચૈતન્યની જેમ વિષય સાથે આધ્યાસિક સંબંધ નહીં હોવાથી વિષયની અપેક્ષતામાં આધ્યાસિક સંબંધ તત્ર (નિયામક) નહીં બને (અને તેથી વિષયની અપેક્ષતામાં આધ્યાસિક તાદાભ્યસંબંધ નિયામક છે એ સિદ્ધાંતનો વિરોધ થશે). (આવી શંકા બરાબર નથી, કારણ કે વિષયનું અધિષ્ઠાન જે ચૈતન્ય એ જ વિષયથી અવચ્છિના બનેલું વૃત્તિમાં પ્રતિબિંબિત થતું હોવાથી તેને અભેદ હોવાથી (પ્રતિબિંબતન્યને બિંબચતન્ય સાથે અભેદ હોવાથી એ (આધ્યાસિક તાદામ્ય સંબંધ) છે (જ).. વિવરણઃ વૃતિ દ્વારા વિષયવછિન્ન તન્ય અને અતઃ કરણવચ્છિન્ન નૈતન્યને એકીભાવ તે જ અભેદાભિવ્યક્તિ એમ જે કહ્યું તે કેટલાક વિચારોને ચતું નથી. જેમ દર્પણમાં પ્રતિબિંબદશામાં બિંબ અને પ્રતિબિંબના અભેદની અભિવ્યક્તિ થતી નથી કારણ કે તેમના ભેદનું જ્ઞાન હેય છે, તેમ પ્રસ્તુતમાં વિષયાદિ રૂપ ભેદક ઉપાધિ હોય ત્યારે અભેદોભિવ્યક્તિ સંભવે નહિ. આની સામે કોઈ દલીલ કરે કે તસ્વસાક્ષાત્કારથી અશેષ ઉપાધિની નિવૃત્તિ થતાં જેવી અમેભિવ્યક્તિ થાય તેવી અહીં વિવક્ષિત નથી. પણ દૂધ અને પાણું એક પાત્રમાં હેવાથી જેવી તેમની અભેદાભિવ્યક્તિ થાય છે તેમ વૃત્તિ દ્વારા અન્તઃકરણ અને વિષય એકદેશસ્થ બનતાં તેનાથી પ્રયુક્ત તેમનાથી (-અત:કરણ અને વિષયથી– અવચ્છિન્ન ચેતની ઔપચારિક અભેદાભિવ્યક્તિ અહીં વિવક્ષિત છે. અને અભેદાભિવ્યક્તિમાં વ્યાવક ઉપાધિની હાજરી હોય તો તેથી અભેદ ન સંભવે એ વિરોધ નથી. દર્પણમાં મુખપ્રતિબિંબદશામાં પણ “મારું મુખ જ દર્પણમાં દેખાય છે' એવી બિંબ અને પ્રતિબિંબના અભેદની અભિવ્યક્તિ જોવામાં આવે છે. તેમ અહી પણ સંભવશે. અન્તઃકરણ અને તેની વૃત્તિમાંનાં પ્રતિબિંબની અભેદાભિવ્યક્તિ ઔપચારિક જ હોઈ શકે, મુખ્ય નહિ કારણ કે વૃત્તિ અને વૃત્તિમાન કાય અને કારણરૂપ હોઈને એક હોઈ શકે નહિ અને તેથી તેઓમાંનાં પ્રતિબિંબનું ઐકય પણ સંભવે નહિ. ઐક્ય માનવામાં આવે તે આ મતમાં પ્રમાતા વગેરેના સાંકર્યાના અભાવનું ઉપપાદન કર્યું છે તેનો વિરોધ થાય. આ બચાવ ઠીક ન લાગતાં કહ્યું છે કે આ મતમાં બીજે પણ દોષ છે કે વિષયાવ. ચ્છિન્ન બ્રહ્મ જે જીવ બની જાય છે તેના ઈશ્વરની નિવૃત્તિ માનવી જ પડે. કારણ કે એકથી અવચ્છેદ થતાં ચૈતન્યમાં છવત્વ અને ઈમરવ બંને સંભવે નહિ. અને ત્યારે ઝવત્વની લાામાં બ્રહ્મનો તે વિષય સાથે સંબંધ ન રહેતાં તે તેને દ્રષ્ટા બની શકશે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy