SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः આની સામે કોઈ દલીલ કરે કે વિષયના અધિષ્ઠાનરૂપ શૈતન્યમાં વૃત્તિ સાથેના સંસર્ગની દશામાં જેમ અત:કરણથી ઉપહિત થવાને કારણે જીવત્વ સંભવે છે તેમ અવિદ્યાથી ઉપહિત થવાને કારણે ઈશ્વરત્વ પણ સંભવી શકે અને તેથી એ જીવ અને ઈશ્વર બંને હેય એમાં કઈ વિરોધ નથી અને આમ બિંબભૂત ઈશ્વરનું ત્યારે પણ સર્વજ્ઞત્વ અક્ષત રહે છે. આવું ન માને તે અન્તઃકરણદિના અધિષ્ઠાનરૂપ ચૈતન્યમાં અતઃકરણદિપ ઉપાધિ વાળા હોવાને કારણે સદા વત્વ રહેતું હોવાથી બિંબભૂત બ્રહ્મને કયારેય અન્તઃકરણદિ સાથે સંસર્ગ ન હોય અને તે તેને દ્રષ્ટા બની શકે નહિ અને તેથી તેનામાં સદા સર્વા ત્વને અભાવ જ રહે એ દોષ તે તમારા મતમાં પણ સમાન જ રહે. કાકતો પૂછી શક કે તમને કેવી અભેદાભિવ્યક્તિ માન્ય છે. આ શંકાના ઉત્તરમાં કહે છે કે વૃત્તિ હયમાં રહેલ અન્તઃકરણથી આરંભીને વિષય પર્યન્ત અવિચ્છિન્નપણે કૌસ્તુભ મણિ વગેરેની પ્રભાની જેમ દીઘીભાવ પામેલી (લ બાયેલી) રહે છે. તે વૃત્તિને વિષય સાથે સંસર્ગમાં આવેલ ભાગ તે તેને અગ્રભાગ કહેવાય છે. ત્યાં બ્રહ્મનું જે પ્રતિબિંબ પડે છે તે વિષયપ્રકાશક છે અને તેને જીવની સાથે અભેદ તે અહીં અભેદાભિવ્યક્તિ તરીકે વિવક્ષિત છે, કારણ કે વૃત્તિ અને વૃત્તિમાન (અતઃકરણ)ને તાદામ્યરૂ૫ અભેદ હોઈને તેઓમાં પડેલાં પ્રતિબિંબોના અભેદની અભિવ્યક્તિ સંભવે છે. અને આમ વૃત્તિમાં પડેલા પ્રતિબિંબનો અન્તઃકરણમાં પડેલા પ્રતિબિંબથી વસ્તુતઃ ભેદ હોવા છતાં પણ તેનાથી અભિન તરીકે અભિવ્યક્ત થતું તે વિષયાવભાસક તરીકે સ્વીકારવામાં આવે તો પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનુ સાંકર્યું પણ નહીં થાય, તેમને ભેદ ઉપ પન્ન થશે. “પ” થી એમ વિવક્ષિત છે કે વૃત્તિ અને વૃત્તિમાનના તાદાઓને લીધે તેમનામાં પડેલા પ્રતિબિંબના અભેદની અભિવ્યક્તિ જેમ ઉપપન બને છે તેમ આ અસંકર પણ ઉપપન્ન બને છે. અન્ત:કરણારૂપ ઉપાધિથી અવચ્છિન્ન, તેમાં પ્રતિબિંબિત ચૌતન્ય તે પ્રમાતા; વૃત્તિપ્રતિબિંબ મૈતન્ય, તેનાથી જ અવછિન્ન બનેલું તે પ્રમાણ; અને વિષયાવછિન્ન બ્રહ્મચૈતન્ય તે પ્રમેય એમ તેમનું અસાંકય ઉપપન્ન છે. કારણ કે વ્યાવતક ઉપાધિઓને સભાવ છે. (આ મતમાં અસાંકય ઉપપન્ન છે એમ કહીને એમ સૂચવ્યું છે કે પૂર્વ મતમાં વિખયાવછિન બ્રહ્મચૈતન્યને જીવત્વ પ્રાપ્ત થાય છે એમ સ્વીકાર્યું હોવાથી પ્રમાતા-ચૈતન્ય અને પ્રમેયમૈતન્યનું અસાંસ્ય ઉપપન્ન નથી. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ આની ટીકા કરતાં કહે છે કે વસ્તુતઃ તે પૂવમતમાં પણ સાંકને દોષ નથી. કારણ કે જીવ અને બ્રહ્મની ભેદક ઉપાધિને સદ્ભાવ, અને તેનાથી પ્રયુક્ત સર્વત્તવાદિની વ્યવસ્થા કેવી રીતે થાય છે એ ઉપર બતાવ્યું છે.) | | કઈ શંકા કરે કે વૃત્તિથી ઉપહિત તન્યને જે પ્રમા માનવામાં આવે તો તેને વિષય સાથે આધ્યાસિક તાદામ્ય–સંબંધ નહીં હોવાથી (–અમારૂપ વૃત્તિપ્રતિબિંબ વિષયનું ઉપાદાન નહીં હોવાથી તેમનું તાદામ્ય સંભવતું નથી–) વિષયની અપેક્ષતામાં આધ્યાસિક તાદામ્યસંબંધ નિયામક છે એ સિદ્ધાંતનો વિરોધ થશે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે બિંબ અને પ્રતિબિંબનો અભેદ સ્વીકારવામાં આવે છે. તેથી બિંબતન્યને વિષય સાથે જે તાદામ્યસંબંધ છે એ જ પ્રમા૩૫ પ્રતિબિંબને પણ તાંદામ્યસંબંધ છે. તેથી સિદ્ધાંતને કેઈ ભંગ થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy