SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૧૫ એ સિદ્ધાન્તની સંગતિ થાય છે. અને આમ દ્વિતીય પક્ષ સાથે સાંક્ય નથી; કારણ કે જીવ સર્વાગત છે એમ માનતાં પ્રથમ પક્ષ છે અને પરિસ્કિન માનતાં બી જે પક્ષ છે–એમ જ બે વચ્ચેનો ભેદ છે (૧૧) વિવરણઃ સંયોગજ સંગની વાત કરી તેને વિષે એ શંકા થાય છે કે વિષયદેશમાં હાજર છવચેતન્ય વૃત્તિનું ઉપાદાન છે એ વિવરણાચાર્યને માન્ય નથી, કારણ કે તેમણે એવું પ્રતિપાદન કર્યું છે કે જીવ અન્તઃકરણદિનું ઉપાદાન ન હોવા છતાં પણ જેમ ગેવ સામાન્યને સાસ્નાદિયુક્ત વ્યક્તિ સાથે સ્વભાવથી જ સંબંધ છે (જ્યારે અશ્વાદિ સાથે નથી) તેમ છવને સ્વભાવથી જ અતઃકરાદિ સાથે સંબંધ છે. એ વાત “આમ વિષય સાથે સંબંધ નહીં ધરાવનાર છવ સ્વભાવથી અન્તઃકરણ સાથે સંસર્ગમાં આવે છે એમ ઉપર વિવરણમત તરીકે રજૂ કરવામાં આવી છે. તેથી છવચૈતન્ય વૃત્તિનું ઉપાદાનકારણ ન હોય તે ઉક્ત સંબંધ સિદ્ધ થતું નથી. તેથી સગજ સંગ પણ આચાર્યને માન્ય શકે નહિ એમ એકદેશીઓ (વિવરણમાના પેટા સંપ્રદાયના કેટલાક વિચારકે) દલીલ કરે છે. વિવરણચાર્યને ઘટાદિવિષયનું અવભાસન કરનાર છવચતન્યનું ઘટાદિ વિષય સાથે કૃતિ દ્વારા તાદામ્યસંપાદન એ જ “ચિદુપરાગ'થી અભિપ્રેત હોઈ શકે–એમ આ એકદેશી માને છે. ઉપર એવી શંકા રજૂ કરવામાં આવી છે કે વૃત્તિથી પણ પૂવ સિદ્ધ એવા વિષય અને ચૈતન્યના તાદામ્યનું ઉત્પાદન સંભવતું નથી તે પછી આ તાદાભ્ય–સંપાદન કેવી રીતે થશે. આનું સમાધાન કરવા માટે કહ્યું છે કે “વિષયતાદામ્ય પામેલા બ્રહમૈતન્યથી અભેદની અભિવ્યક્તિ દ્વારા'–બિંબભૂત બ્રહ્મચૈતન્ય ઘટાદિ વિષયનું ઉપાદાન કારણું હેઈને બ્રહ્મ અને વિષયનું તાદાઓ પહેલેથી જ સિદ્ધ છે. આમ વિષય સાથે તાદામ્યવાળા બ્રહ્મમૈતન્યથી વિષયના અવભાસિક જીવનૈતન્યના અમેદની અભિવ્યક્તિ વૃત્તિથી કરવામાં આવતાં જીવૌતન્યનું વિષય સાથેનું તાદામ્ય વૃત્તિને અધીન તરીકે પ્રાપ્ત થાય છે. તેથી તાદામ્યસંપાદનની અનુપત્તિ નથી. છવ સર્વગત છે તેથી સર્વ વિષય પાસે તેની હાજરી છે અને સવ વિષયને અવભાસક બની શકે. વળી જીવ સર્વપુરુષને સાધારણ છે (—કારણ કે અવિદ્યામાં બ્રહ્મ શૈતન્યનું પ્રતિબિંબ તે છવ એ મતમાં જીવને ભેદ નથી-) તેમ છતાં જે પુરુષના અન્તઃકરણથી છવચૈતન્ય ઉપહિત થઈને જે અર્થ કે વિષયનું અવભાસન કરે એ અર્થ એ જ પુરુષને અપક્ષ કે પ્રત્યક્ષ બને છે અન્યને નહિ. (અહી એ ધ્યાનમાં રાખવું કે “પુષ પદ પ્રમાતાના અર્થમાં પ્રર્યું છે). વિષય અમુક જ્ઞાતાને પ્રત્યક્ષ બને છે, અન્યને નહિ એ વ્યવસ્થાની સિદ્ધિ માટે “અતઃકરણપહિત” એવું વિશેષણ છવ માટે પ્રજવું જ જોઈએ. આમ એકાદશીના મતમાં વિયાવભાસક છવચૌતન્યનું વૃત્તિથી વિષયતાદાભ્યસંપાદન થાય છે એમ સિદ્ધ થતાં. વિષયની અપરોક્ષતાની બાબતમાં અધ્યાસથી સિદ્ધ થતે તાદામ્યસંબંધ નિયામક છે એ સિદ્ધાંત સાથે સંગતિ થાય છે. સંબન્ધ માટે વૃત્તિ છે એ પ્રથમ પક્ષ છે, અભેદાભિવ્યક્તિને માટે વૃત્તિ છે એ બીજે પક્ષ, અને આવરણુભિભવને માટે વૃત્તિ છે એ ત્રીજો પક્ષ છે. આમાંથી પ્રથમ પક્ષમાં પણ વૃત્તિથી અભેદાભિવ્યક્તિ થાય છે એમ માનવામાં આવે છે તે દ્વિતીય પક્ષથી એનું જુદાપણું નહીં રહે અને બધું સેળભેળ થઈ શકે, સાંક થઈ જશે. એવી શંકાના ઉત્તરમાં કહ્યું છે કે જીવને સવગત માનનારના મતમાં વૃત્તિ સંબંધને માટે છે એ પ્રથમ પક્ષ છે; અને જીવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy