SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ सिद्धान्तलेशसङ्ग्रहः વધુ યોગ્ય છે). કર્તા હોવું એટલે જ્ઞાન, ચિકીષ (કરવાની ઇચ્છા) અને કૃતિ (માનસિક પ્રયત્ન) વાળા હેવું, કે કાર્યને અનુકૂલ જ્ઞાનવાળી હવું, કે કાર્યને અનુકૂલ જેનું સર્જન કરવાનું છે તેના આલોચનાત્મક જ્ઞાનવાળા હોવું તે? પહેલે વિકલ્પ બરાબર નથી, કારણ કે બ્રહામાં આવું કર્તવ છે તેમ માનવા માટે પ્રમાણ નથી. બીજે અને ત્રીજો વિકલ્પ પણ બરાબર નથી કારણ કે કાને અનુકૂલ જ્ઞાન પિતે કાર્ય છે તેથી તેના કર્તા બનવા માટે બીજા જ્ઞાનની અપેક્ષા રહે અને આમ અનવસ્થાને પ્રસંગ થાય. જે તેને કાર્યન માનીએ તે નિત્યજ્ઞાનસ્વરૂપ બ્રહ્મમાં તેવા જ્ઞાનવાળા હેવારૂપ ક્રતુત્વ સંભવે નહિ. ઉપર કહેલામાંથી પહેલો પક્ષ–કત્વ એટલે કાર્યને અનુકૂલ જ્ઞાન, ચિકીર્ષા, કૃતિવાળા હોવું–પ્રમાણે આપી અહીં રજૂ કર્યો છે. શ્રુતિ વચન છે કે બ્રહ્મ ઈક્ષણ કર્યું', ઈચ્છા કરી” અને “પોતે (કેઈની પ્રેરણું કે મદદ વિના) પિતાને જગદરૂપે બનાવ્ય”. આવાં વચનથી સૃષ્ટિને અનુકૂલ જ્ઞાન, ઇચ્છા, કૃતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જ્ઞાનાદિ પણ કાર્ય છે તેથી તેમના કર્તા બનવા માટે બીજા જ્ઞાનાદિની જરૂર ઊભી થશે અને આમ અનવસ્થાને પ્રસંગ થશે એવી શંકા કરવી નહિ, કારણ કે જ્ઞાનાદિ ત્રણથી અતિરિક્ત કાર્યની બાબતમાં ઉક્તરૂપ કા વિવક્ષિત છે તેથી અનવસ્થાને પ્રસંગ નથી. જ્ઞાનાદિ ત્રણની બાબતમાં તો જુદું જ કતૃત્વ થશે એવો અભિપ્રાય છે. अन्ये तु चिकीर्षाकृतिकर्तृत्वनिर्वाहाय चिकीर्षाकृत्यन्तरापेक्षायामनवस्थाप्रसङ्गात् कार्यानुकूलज्ञानवत्वमेव ब्रह्मणः कर्तृत्वम् । न च ज्ञानेऽप्येष प्रसङ्गः, तस्य ब्रह्मस्वरूपत्वेनाकार्यत्वात् । एवं च विवरणे जीवस्य मुखादिकर्तृत्वोक्तिः, वीक्षणमात्रसाध्यत्वात् वियदादि वीक्षितं, हिरण्यगर्भद्वारा वीक्षणाधिक्यत्नसाध्यत्वात् भौतिकं स्मितमिति कल्पतरूक्तिश्च सङ्गच्छत इति वदन्ति । જયારે બીજા કહે છે કે ચિકીષ અને કૃતિની પ્રતિ જે કર્તુત્વ હોય તેના નિર્વાહ માટે અન્ય ચિકીષ અને કૃતિની અપેક્ષા ઊભી થતાં અનવસ્થાનો પ્રસંગ થશે તેથી કાર્યને અનુકૂલ જ્ઞાનવાળા હોવું એ જ બ્રહ્મનું કતૃત્વ. અને જ્ઞાનમાં પણ આ પ્રસંગ નહીં થાય, કારણ કે તે (જ્ઞાન) બ્રહ્મસ્વરૂપ છે તેથી કાર્ય નથી. અને આમ કાર્યને અનુકૂલ જ્ઞાનવાળા હેવું એ જ બ્રાનું કતૃત્વ એમ માનતાં) વિવરણમાં જીવન સુખાદિના કર્તવની ઉક્તિ છે તે, અને વિક્ષણમાત્રથી સાધ્ય છે તેથી આકાશ આદિ વિક્ષિત છે, હિરણ્યગર્ભ દ્વારા વીક્ષણથી અધિક યત્નથી સાધ્ય છે તેથી ભૌતિક (પદાર્થ) સ્મિત છે એ કલપતરુની ઉક્તિ સંગત બને છે. વિવરણ : જો કાર્ય માત્ર પ્રતિ જ્ઞાન, ચિકી, કુતિવાળા હોવું એ જ કતૃત્વ એમ કહેવાનું હોય તે અનવસ્થા દેષ ઊભો થશે કારણ કે ચિકીર્ધા અને કૃતિ પણ કાર્ય છે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy