SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચછેદ ૧૧૭ વ્યાખ્યાકાર કુણાનન્દતીર્થ ઉમેરે છે કે એવી શંકા થાય કે જીવાશ્રિત અવિદ્યાઓને છવચૈતન્યમાં અયસ્ત પ્રતિભાસિક સ્વપ્રપંચના ઉપાદાન તરીકે ઉપયોગને સંભવ હોય તે પણ આ અવિઘાઓ શુક્તિરતાદિનું ઉપાદાન–કારણ ન બની શકે કારણ કે શક્તિ વગેરેથી અવછિન્ન ચેતન્ય જે રજતાદિનું અધિષ્ઠાન છે તેમાં તેમનો અભાવ છે અને ઉત્તર છે કે આ વાત સાચી છે. મૂળ ગ્રંથમાં “શુત્તિરગત વિવિ”માં “રમાદિ પદથી ગૃહીત સ્વપ્ન જ અહીં વિવક્ષિત છે તેથી દેષ નથી. અથવા વાચસ્પતિના મતમાં છે તેમ શુક્તિરજત વગેરે પણ જીવે વિષય નથી બનાવ્યાં તેવાં શક્તિ વગેરેથી અવછિન્ને શૈતન્યના વિવત છે એ ધ્યાનમાં રાખીને જીવોની અવિદ્યાઓને પ્રતિભાસિક રજતાદિની બાબતમાં ઉપયોગ છે એવું કથન છે તેની ઉપપત્તિ છે તેથી દોષ નથી. (૭) બ્રહ્મનું લક્ષણ અભિન્નનિમિત્તોપાદાન કારણ તરીકે આપવામાં આવે છે, તેમાં “ઉપાદાન” એટલે “વિવર્તાધિષ્ઠાન” એમ સિદ્ધ કરવામાં આવ્યું અને તેના પ્રસંગમાં જીવ અને ઈશ્વરનું નિરૂપણ પ્રાપ્ત થયું. તે પછી તેના અનુસંધાનમાં જ જીવ એક છે કે અનેક, બધ-મોક્ષની વ્યવસ્થા કેવી રીતે સંભવે, પ્રપંચ એક છે કે પ્રતિપુરુષ ભિન્ન એ ચર્ચા કરી. આમ ઉપાદાનકારણ તરીકેની ચર્ચા પૂરી થઈ. હવે ઈશ્વરને લક્ષણમાં કર્તા કહેવામાં આવ્યો છે તે કતૃત્વ કેવું છે તેની ચર્ચા આરંભે છે. (८) अवसितमुपादानत्वम्, तत्प्रसक्तोनुप्रसक्तं च । રથ દશ રૂં ? જાદુ–“તૈક્ષત” [[, ૬.રૂ.રૂ], 'सोऽकामयत', 'तदात्मानं स्वयमकुरुत [तैत्ति. २.६,७] इति श्रवणान्यायमत इव कार्यानुकूलज्ञानचिकीर्षाकृतिमत्त्वरूपमिति । (૮) ઉપાદાનત્વ (અર્થાત્ તેનું નિરૂપણ) અને તેનાથી સીધી અને આડકતરી રીતે સંબંધિત ખલાસ થયું. હવે (એ પ્રશ્ન લઈએ કે કતૃત્વ કેવું છે? કેટલાક કહે છે કે તેણે ઈક્ષણ કર્યું, ‘તેણે ઈચ્છા કરી, “તેણે પોતે પિતાને બનાવ્યો” એવું શ્રુતિતચન છે તેથી ન્યાયમતમાં છે તેમ કતૃત્વ એટલે કાર્યને અનુકૂલ જ્ઞાન, કરવાની ઈચ્છા અને કૃતિ (માનસિક પ્રયત્ન)વાળા હોવું તે. - વિવરણ : બ્રહ્મનને પ્રપંચનું નિમિત્તકારણું પણ કહ્યું છે તે તેનું પ્રપંચકતૃત્વ કેવું છે, તેનું સ્વરૂપ શું છે તેની ચર્ચા અહીં શરૂ કરી છે. (ઉદાસીન બ્રહ્મમાં વળી કત્વ કેવું? અથવા જે ઉપાદાન કારણ હોય તેમાં વળી કતૃત્વ કેવું ? માટી ઘડાનું નિમિત્ત કે કોં કારણ નથી તેમ ઈશ્વર પણ પ્રપંચને કર્તા ન સંભવે એવો વાંધે રજૂ કરીને ચર્ચા શરૂ કરી છે એમ પણ માની શકાય પણ કર્તાને એ અભિપ્રેત હોય એમ લાગતું નથી. બ્રહ્મનું લક્ષણ આપતાં તેને જગત નું અભિનેનોપાદાનનિમિત્તકારણ કહ્યું છે. ઉપાદાન કારણ તરીકેની ચર્ચા પૂરી થઈ. હવે બ્રહ્મની નિમિત્તકારણ તરીકે ચર્ચા આરંભે છે એમ માનવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy