SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः છે જ્યારે વેદાંતસિદ્ધાન્તાનુસાર એકત્વની જેમ દ્વિવાદિ દ્રવ્ય ટકે ત્યાં સુધી ટકે છે અને જેની તેની અપેક્ષાબુદ્ધિથી જન્ય નથી કારણ કે તેમ માનવામાં ગૌરવદોષ છે. ન્યાયમતમાં “આ એક છે”, “આ એક છે' એમ બે પદાર્થોને વિષે અપેક્ષાબુદ્ધિ થાય છે તેનાથી દિવા બન્નેમાં ઉત્પન્ન થાય છે અને તેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે એવી માન્યતા છે. હવે પ્રશ્ન થાય કે શુક્તિ-રજત તે જે તે વ્યક્તિને જ પ્રત્યક્ષ હોય છે, સર્વને નહીં ત્યારે પ્રપંચ સવ ને પ્રત્યક્ષ છે. જે જેની તેની અવિદ્યાથી એ કરવામાં આવ્યું હોય તે તે તે વ્યક્તિને જ પ્રત્યક્ષ હોવો જોઈએ અને “જે પ્રપંચને અનુભવ તને થાય છે તે જ પ્રપંચને અનુભવ ય છે' એવું પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષ ન થવું જોઈએ. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે શક્તિ-રજતની બાબતમાં પણ શક્તિરજતે ભિન્ન ભિન્ન હોવા છતાં ઐકયનો ભ્રમ થાય છે (-જે રજત તે જોયુ તે જ મેં પણ જોયું '), તેમ પ્રપંચે જુદા જુદા હોવા છતાં એક તરીકે અનુભવાય છે તે તો એકય અંગે ભ્રમ જ છે. ન્યાયમતમાં પણ ધિત્વ દરેક માટે જુદાં હોવા છતાં તેને ભેદ જ્ઞાત થતો નથી અને એ જ દ્વિત્વનું ભાન સૌને થતું હોય તે ભ્રમ થાય છે તેના જેવું આ છે. जीवाश्रितादविद्यानिवहाद् भिन्ना मायैव ईश्वराश्रिता प्रपञ्चकारणम् । जीवानामविद्यास्तु आवरणमात्रे प्रातिभासिकशुक्तिरजतादिविक्षेपेऽपि च યુથને ફરવારે (૭) જીવાશ્રિત અવિદ્યાસમૂહથી ભિન્ન માયા ઈશ્વરાશ્રિત છે અને) તે જ પ્રપંચનું (ઉપાદાન) કારણ છે, જ્યારે એની અવિદ્યાઓ આવરણમાત્રમાં અને પ્રતિભાસિક શુતિ રજત વગેરેના વિક્ષેપમાં પણ ઉપયુક્ત થાય છે એમ બીજા કહે છે. (૭) વિવરણ : વિયદાદિપ્રપંચ જીવાશ્રિત અવિદ્યાનું કાર્ય નથી પણ ઈશ્વરાશ્રિત માયા જે સવ જીવોની પ્રતિ સાધારણ છે તે જ વિયદાદિ પ્રપંચનું ઉપાદાન કારણ છે અને આમ પ્રપંચ એક હોઈને તેના એકત્વની પ્રતીતિ થાય છે એમ બીજા માને છે. આમ હોય તે જીવાશ્રિત અવિદ્યાઓ વ્યર્થ બને એવી શંકાને ઉત્તર એ છે કે આ અવિદ્યાઓને ઉપગ આવરણ પૂરત અને પ્રતિભાસિક એવા શુક્તિ-રજતાદિના વિક્ષેપ માટે છે જ, પણ આ અવિદ્યાઓ ગમે તે કાર્યને વિષે ઉપાદાનકારણ ન બની શકે. શંકા થાય કે “નાર્દ #iા: સર્વેદ્ય ચોમાસામાકૃતઃ' (માવતા ૭.૨૫) એ ભગવદ્રવચન (‘ગમાયાથી બરાબર આવૃત થયેલે હું દરેકને પ્રકાશ નથી – સર્વ મને પૂણુનન્દાદિરૂપે જોઈ શકતાં નથી') પ્રમાણે ઈશ્વરાશ્રિત માયાથી બ્રહ્મનું આવરણ માનવું જોઈએ. એને ઉત્તર એ છે “ત્રા તરગત ન નાનામ' (મને બ્રહ્મનું પરમાર્થ જ્ઞાન નથી ) એવો છોને અનુભવ થાય છે તે પ્રમાણે તે જીવાશ્રિત અવિદ્યાથી જ બ્રહ્મનું આવરણ થાય છે એમ કહેવું જોઈએ. તેથી ભગવદ્રવચનમાં જે “માયા” શબ્દ છે તેને લક્ષણથી છવચૈતન્યમાં સંસાર ઘટક અવિદ્યા' એ અર્થ ઉપપન્ન છે. વળી જીવાશ્રિત અવિદ્યા પ્રતિભાસિક શક્તિ-રજતાદિ, અને સ્વાન સૃષ્ટિનું ઉપાદાન કારણ બને છે તેથી તેના વૈયથ્યની શંકાને અવકાશ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy