SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ અને તેમના કર્તા બનવા માટે અન્ય ચિકીર્ષા અને કૃતિની અપેક્ષા રહેશે અને આ ચિકીષ અને કૃતિના કર્તા બનવા માટે વળી ત્રીજી ચિકી અને કૃતિની જરૂર ઊભી થશે ઈત્યાદિ, અને આમ અનવસ્થાને પ્રસંગ થશે. તેથી કાર્યને અનુકૂલ જ્ઞાનવાળા હોવું એ જ બ્રહ્મના ક ત્વનું લક્ષણ છે, ઇચ્છા અને કૃતિને તેમાં સમાવેશ કરવાથી ગરવદેશ થાય છે. આમ હોય તો ઉપર નિર્દિષ્ટ કૃતિઓમાં ઈચ્છા અને કૃતિનું પ્રતિપાદન છે તે વ્યર્થ બની જાય એવી શંકા કરવી નહિ, કારણ કે તેમાં સુષ્ટિના હેતુ તરીકે ઇચ્છા અને કૃતિની પ્રાપ્તિ થાય છે, પણ ત્વના નિર્વાહક તરીકે (-એ બે હોય તે જ બ્રહ્મ કર્તા બની શકે એવું-) તેમનું પ્રતિપાદન છે એમ માનવા માટે પ્રમાણુ નથી. જ્ઞાનવાળા હોવું તે કતૃત્વ એમ માનવામાં પણ અનવસ્થા ઊભી થશે એવી શંકા કરવી નહિ કારણ કે બ્રહ્મનનું જ્ઞાન કાય" નથી; બ્રહ્મ તે નિત્યજ્ઞાનસ્વરૂપ છે; બ્રહ્મ તેવા જ્ઞાનવાળું છે એમ ઔપાધિક ભેદને લઈને સમજવું. અને એવી શંકા કરવી નહિ કે આમ માનતાં પણ તવૈત એ શ્રુતિથી સુષ્ટિના કારણ જ્ઞાનનું કદાચિક તરીકે (સ્વરૂપભૂત નહીં પણ ઉત્પન્ન થયેલી વસ્તુ તરીકે) પ્રતિપાદન છે તેનો વિરોધ થશે;–કારણ કે બ્રહ્મના સ્વરૂપ તરીકે જ્ઞાન નિત્ય હોવા છતાં પણ પ્રાણીના અદષ્ટના પરિપાકરૂપ કદાચિકનો સાથ મળી જતાં તેનાથી વિશિષ્ટ તરીકે બ્રહ્મનું જ્ઞાન કાદાચિક છે એમ માનીએ તો શ્રુતિની ઉ૫પત્તિ છે. ઈરછા અને કૃતિનો કતૃત્વના લક્ષણમાં સમાવેશ નથી એમ માનીએ તો જ વિવરણમાં જીવન સુખાદિને કર્તા કહ્યો છે તેની સંગતિ બેસે છે. તેમાં સુખ–દુઃખાદિની ઉત્પત્તિને અનુકૂલ જ્ઞાન જેમ સાણિરૂપ હોય છે, તેમ તેને અનુકુલ ઈચ્છાદિ નથી કારણ કે તેવો અનુભવ થતો નથી, અને તેવું સ્વીકારવામાં પણ આવતું નથી. એવી પણ શંકા ન કરવી કે આ ઉપપન્ન નથી કેમ કે સુખની ઇચ્છાથી તેના સાધનના અનુષ્ઠાન દ્વારા સુખની ઉત્પત્તિ થાય છે એ અનુભવથી સિદ્ધ છે. આ શંકા બરાબર નથી કારણ કે સુખાદિના ઉપાદાન અન્તઃકરણ વિષયક ચિકીર્ષો અને કૃતિનો અભાવ અહીં વિવક્ષિત છે. આમ કાયને અનુકૂલ જ્ઞાનવાળા હોવું તે જ કતૃત્વ એમ માનીએ તે જ વિવરણની ઉક્તિની સંગતિ થાય છે, અન્યથા નહિવાચસપતિને શ્લેક નીચે પ્રમાણે છે: निःश्वसितमस्य वेदा वीक्षितमेतस्य पञ्च भूतानि । મિતતસ્થ રામચ જ પુનર્મદાઝસ્ટથઃ || (ભા મતીને મંગલ પ્લેક) (વેદ એને નિઃશ્વાસ છે, પાંચ ભૂત તેનું વીક્ષિત છે, ચરાચર એનું સ્મિત છે અને મહાપ્રલય એની સુષુપ્તિ છે)-આ શ્લેકમાં મહાભૂતને બ્રહ્મનું વીક્ષિત કહ્યું છે અને ભૌતિક ચરાચર પ્રપંચને બ્રહ્મનું સ્મિત કહ્યું છે. આનું તાત્પર્ય સમજાવતાં અમલાનંદ ક૯૫તરુમાં કહે છે કે મહાભૂતે બ્રહ્મના વીક્ષણ માત્રથી સાધ્ય હોઈ તેમને બ્રહ્મના વીક્ષિત તરીકે નિર્દેશ કર્યો છે. જે કર્તા બનવા માટે મહાભૂતની સૃષ્ટિને અનુકૂલ જ્ઞાનની જેમ તેને અનુકૂલ ચિકીર્ષા અને કૃતિ પણ અપેક્ષિત હોય તે આની સંગતિ ન થાય કારણ કે વીક્ષણથી અતિરિક્ત ચિકર્ષા આદિના વ્યાવર્તક “માત્ર' પદને પ્રયોગ છે તેને વિરોધ થાય. લોકમાં મંદાસરૂપ સ્મિત જ્ઞાનથી અધિક પ્રયત્ન (એષ્ઠિના સહેજ સંચાલન રૂપે પ્રયત્નોથી સાધ્ય છે એ જાણીતું છે. તેમ પરબ્રહ્મને ભૌતિક સુષ્ટિની બાબતમાં જેમ વીક્ષણ અપેક્ષિત છે તેમ હિરણ્યગર્ભની ઉત્પત્તિરૂપ વ્યાપાર પણ ઉપરાંતમાં અપેક્ષિત છે કારણ કે ચરાચરની સષ્ટિમાં પરબ્રહ્મની જેમ હિરણ્યગર્ભ પણ કર્તા તરીકે શ્રુતિ-સ્મૃતિથી સિદ્ધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy