SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જે વ્યાકરણ શાસ્ત્ર અનુસાર શબ્દનો પ્રયોગ કરે તેને કલ્યાણનો યોગ થાય છે અને તે વેદશબ્દના જેવું છે. વેદવાકય પણ એ પ્રમાણે જ કહે છે, "જે અગ્નિોમ યાગ કરે છે અને એ યાગને યથાર્થ રીતે જાણે છે.” જે નાચિકેત અગ્નિનું ચયન કરે છે અને તેને યથાર્થ રીતે જાણે છે તેને પુણ્ય મળે છે). બીજાનું કહેવું છે કે તgન્ય વેરાન્ટેન (તે વેદના શબ્દ જેવું છે), એટલે જેમ વેદના શબ્દોનું નિયમપૂર્વક કરેલું અધ્યયન ફલદાયી બને છે તેમ જ વ્યાકરણશાસ્ત્રને અનુસરીને શબ્દોનો પ્રયોગ કરે છે તેનું કલ્યાણ થાય છે અથવા તો (શબ્દના) જ્ઞાન દ્વારા જ ધર્મ થાય છે એમ કહેવામાં વાંધો નથી.પણ અમે શંકા કરી હતી કે જ્ઞાનથી ધર્મ થાય તો અધર્મ પણ થાય.એ દોષ નહી આવે. અમારે માટે શબ્દ જ પ્રમાણ છે. શબ્દ જે કંઈ કહે તે અમારે માટે પ્રમાણભૂત છે અને શબ્દ અર્થાત્ વેદ તો “શબ્દના જ્ઞાનથી ધર્મ થાય છે,” એમ કહે છે, “અપશબ્દના જ્ઞાનથી અધર્મ થાય છે ,” એમ નથી કહેતો. વળી જેને લાગતો વિધિ કે નિષેધ કરવામાં ન આવ્યો હોય તે (વસ્તુ) કરવાથી પુણ્ય કે પાપ લાગતું નથી. જેમકે હેડકી ખાવી, હસવું, ખંજવાળવું વગેરે તેને લગતી વિધિ કે નિષેધ કરવામાં આવ્યો નથી તેથી તે કરવા) થી પુણ્ય કે પાપ થતું નથી.અથવા તો દોષયુક્ત શબ્દોનું જ્ઞાન (સાધુ) શબ્દના જ્ઞાન માટેનો વિશિષ્ટ ઉપાય છે, કારણ કે જે દોષયુક્ત શબ્દોને જાણે છે તે દોષરહિત શબ્દો ને પણ જાણે છે.તેથી આ રીતે જ્ઞાનથી ધર્મ થાય છે એમ કહેવાનો મતલબ એ છે કે અપશબ્દના જ્ઞાન પછી થએલા (શુધ્ધ) શબ્દના જ્ઞાનથી ધર્મ થાય છે. અથવા તો એ કૂવો ખોદનાર જવું થશે. જેવી રીતે કૂવો ખોદનાર કૂવો ખોદતી વખતે માટી અને ધૂળથી ખરડાઇ જાય છે છતાં પાણી નીકળતાં તેમાંથી તેને એ લાભ થાય છે કે મલિનતા રૂપી દોષ નિર્મૂળ થાય છે અને બીજો પણ પુષ્કળ ફાયદો થાય છે. તે જ રીતે અહીં પણ જો કે અપશબ્દના જ્ઞાનથી અધર્મ થાય છે છતાં શબ્દના જ્ઞાનથી જે ધર્મ થાય છે તે દ્વારા તે અધર્મનો સંપૂર્ણ નાશ થાય છે, તદુપરાંત અતિશય ઉત્કર્ષ પ્રાપ્ત થશે.-------- यदप्युच्यते आचारे नियमः इति। याज्ञे कर्मणि स नियमः। एवं हि श्रूयते - यणस्तर्वाणो नाम ऋषयो बभूवुः प्रत्यक्षधर्माणः परावरज्ञा विदितवेदितव्या अधिगतयाथातथ्याः। ते तत्रभवन्तः यद्वा नः तद्वा नः इति प्रयोक्तव्ये यर्वाणः तर्वाणः इति प्रयुञ्जते। याज्ञे पुनः कर्मणि नापभाषन्ते तैः पुनरसुरैर्याज्ञे कर्मण्यपभाषितम् ततस्ते पराभूताः॥ अथ व्याकरणमित्यस्य शब्दस्य कः पदार्थः। सूत्रम्। (પૂર્વે) જે કહ્યું કે પ્રયોગની બાબતમાં (ધર્મનો) નિયમ છે તે યજ્ઞવિષયક કાર્યોમાં નિયમ ખરો (પણ તે સિવાય બીજે નિયમ નથી),? કારણ કે આ પ્રમાણે કહેવાય છે, વર્તન અને તર્વન નામના ઋષિઓ થઇ ગયા.તેઓ (યોગદારા) ધર્મના (સ્વરૂપને) 79 અગ્વમેધ વગેરે યજ્ઞોમાં હિંસા ધર્મનો વિશિષ્ટ ઉપાય છે, કારણ કે યજ્ઞના વિશિષ્ટ સહકારિરૂપ -- અંગભૂત હિસા ન કરવામાં આવે તો ધર્મપ્રાપ્તિ ન થાય તે રીતે શબ્દનું જ્ઞાન અપશબ્દના જ્ઞાન સાથે જડાએલું છે, કારણ કે અપશબ્દજ્ઞાન એ જ માત્ર (સાધુ) શબ્દના જ્ઞાનનો વિશિષ્ટ ઉપાય છે. તેથી અપશબ્દ જ્ઞાનનો અધર્મ સાથે સંબંધ ન હોઇ શકે. આમ શબ્દ જ્ઞાનનું ફળ હોય તેથી ભિન્ન અપશબ્દાનનું ફળ નથી હોતું. 80 પ્રચુર પ્રમાણમાં ધર્મનું ફળ પ્રાપ્ત થતું હોય ત્યારે થોડુંક અધર્મનું ફળ પ્રાપ્ત થયું હોય તો તો તે ન થયા બરોબર છે, એમ સમજવાનું છે. અપશબ્દ જ્ઞાન શબ્દજ્ઞાનથી વિપરીત છે તેથી તે અધર્મનું સાધન થઇ શકે એ વાત તુગતુ ટુર્નનઃ | ન્યાયે સ્વીકારીને પ્રસ્તુત- સૂપવાનન્યાય ની દલીલ કરી છે. અહીં રવાના (વન્ ડુ) ગમે તે ખોદનાર’ એ અર્થ અભિપ્રેત છે. ખોદવાનો વ્યવસાય કરનાર ખાણિયો (વાન) ,એ અર્થ અભિપ્રેત નથી. શા નિદાનિધ્યતે--નિર્દૂ હનૂ નું જૂનું કર્મણિ ૩ જ.પુ.એ.વ.નું રૂપ છે.સિન્સીયુતસિપુ માર્મિોપોડાનપ્રદદાં વા વિવિદ્રા એ સૂત્ર પ્રમાણે જૂ માં લાગતા પૂર્વે વિકલ્પ વિવવ થઇને ૬ લાગીને કર્મણિનું રૂપ થયું છે. ક્વચિત્ નિતિગતે એ પાઠ છે,પરંતુ ચૌખ.(પૃ.૭૫, પા.ટા.૮.) માં સંપાદક નોંધે છે કે અહીં સ્વાર્થે પ્રેરક કલ્પવાથી પ્રકમભંગ થાય છે અને ઢોષ ને કર્મણિ પ્રથમા લેવી શક્ય નથી. 2 અન્યત્રાનિયમઃા (અર્થાત્ તે સિવાય બીજે નિયમ નથી), એટલો પાઠ કિોર્ન (પૃ.૧૧),વા.શા.(મ.પૃ. ૨૪) હિપૃ.૩૬. માં નથી. છતાં વા.શા.માં અનુવાદ આપ્યો છે.) પરંતુ નિ.સા.પૃ.૬૮, સુ.શા.પૃ૩૧, શા.શે.પૃ.૧૧૫, ચેટર્જી પૃ.૯૭, ચારુ પૃ.૪૦ માં એ પાઠ છે. ચેટર્જી નોંધે છે કે આ વાક્યખંડ સંભવતઃ વાચકની નોંધ હોઇ શકે. પરંતુ નાગેશ એને ભાગના ભાગ રૂપ ગણે છે ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy