SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ રીતે અગ્નિમાં કપાલ મૂકીને, “ભૃગુઓ અને અંગિરાઓના કઠોર તપથી તપો', એ મંત્ર ભણે છે. અગ્નિનું કાર્ય બાળવાનું છે તેથી મંત્ર વિના પણ કપાલને તપાવે જ છે. અને તેમાં નિયમ કરવામાં આવે છે કે આ પ્રમાણે કરવાથી પુણ્ય મળે છે. એ જ રીતે આ (વ્યાકરણ શાસ્ત્ર) માં પણ શુદ્ધ શબ્દો તેમ જ અપશબ્દો (દોષયુક્ત શબ્દો) માંથી સરખી રીતે જ અર્થ સમજાતો હોવા છતાં ધર્મને ખાતર નિયમ કરવામાં આવે છે કે “(શુદ્ધ) શબ્દ દ્વારા જ અર્થ વ્યક્ત કરવો અપશબ્દ (દોષયુક્ત શબ્દો) દ્વારા નહીં.” આ પ્રમાણે કરવામાં આવે તો તે કલ્યાણકારી થાય છે. અપ્રયુત (શબ્દ પણ) હોય છે. સાચે જ પ્રયોગમાં ન હોય તેવા પણ શબ્દો હોય છે, જેમ કે ૩૫. તેર, ર, વેવ વગેરે. એ પ્રયોજાતા ન હોય તેથી શું? કારણ કે આપ તો પ્રયોગને કારણે જ શબ્દ શુદ્ધ છે કે નહી તેનો નિર્ણય કરો છો. તો પછી જે પ્રયોજવામાં ન આવતા હોય તે શબ્દ શુદ્ધ (દોષરહિત) ન હોઇ શકે. “શબ્દો તો છે પણ પ્રયોજાતા નથી’ એમ જે કહ્યું તે વિરોધાભાસી છે, કારણ કે જે શબ્દો હોય તો અપ્રયુક્ત ન હોય અને પ્રયોજાતા ન હોય તો હોય જ નહીં. આમ ‘(શબ્દો) છે અને છતાં પ્રયોજાતા નથી” એમ કહેવું તે વિરોધાભાસી છે. આપ (૩૫, તેર, વગેરે શબ્દોનો) પ્રયોગ કરતાં કરતાં જ કહો છો કે (કેટલાક) શબ્દો છે છતાં અપ્રયુક્ત છે, તો તો પછી શબ્દોના પ્રયોગમાં આપના જેવો નિપુણ બીજો કોઇ હોઇ શકે ?" આ પરસ્પર વિરુદ્ધ નથી. શબ્દો છે એમ તો અમે એટલા માટે કહીએ છીએ કે વૈયાકરણો તેમને શાસ્ત્ર અનુસાર સિદ્ધ કરે છે.? અપ્રયુક્ત છે એમ જે કહ્યું તે એટલા માટે કે લોકમાં અપ્રયુક્ત છે. વળી તમે કહ્યું, ‘તો તો પછી શબ્દોના પ્રયોગમાં તમારા જેવો ચતુર બીજો કોણ હોઇ શકે?’ (તે બાબતમાં કહેવાનું કે, “અમે એમ નથી કહેતા કે અમારાથી ન પ્રયોજાયેલા.” તો પછી શું? (અર્થાત્ કાના વડે ન પ્રયોજાતા?) लोकेऽप्रयुक्ता इति । ननु च भवानप्यभ्यन्तरो लोके। अभ्यन्तरोऽहं लाके न त्वहं लोकः॥ अस्त्यप्रयुक्त इति चेत् नार्थे शब्दप्रयोगात् ॥२॥ अस्त्यप्रयुक्त इति चेत् तन्न। कि कारणम्। अर्थे शब्दप्रयोगात् । अर्थे शब्दाः प्रयुज्यन्ते॥ अप्रयोगः प्रयोगान्यत्वात् ॥३॥ अप्रयोगः खल्वप्येषां शब्दानां न्याय्यः। कुतः। प्रयोगान्यत्वात्। यदेषां शब्दानामर्थेऽन्याञ्छब्दान्प्रयुञ्जते। तद्यथा उष इत्यस्यार्थे क्वयूयमुषिताः। तेर इत्यस्यार्थे क्व यूयं तीर्णाः। चक्रेत्यस्यार्थे क्व यूयं कृतवन्तः। पेचेत्यस्यार्थे क्व यूयं पक्ववन्तः इति । अप्रयुक्ते दीर्घसत्रवत् ॥४॥ यद्यप्यप्रयुक्ताः अवश्य दीर्घसत्रवल्लक्षणेनानुविधेयाः। तद्यथा दीर्घसत्राणि वार्षशतिकानि वार्षसहस्रिकाणि च न अद्यत्वे कश्चिदप्याहरति । केवलमृषिसंप्रदायो धर्म इति कृत्वा याज्ञिका शास्त्रेणानुविदधते ॥ 10 સાધુ શબ્દની જેમ અપશબ્દ પણ ઇષ્ટાર્થનો વાચક છે તેથી અર્થનો બોધ થવા રૂપી દુષ્ટ ફળ બન્નેના પ્રયોગમાં સમાન છે એમ કહી શકાય છતાં સાધુ શબ્દના પ્રયોગથી અભ્યદય થવા રૂપી અદૃષ્ટ ફળ પણ છે, જુઓ શિપ્ટેમ્પ મા મસ્સિદા સાધવો ધર્મસાધનમ્ અર્થપ્રત્યયનામેન્ટે વિપરીતાસ્વસાધવઃ વા.પ.બ. ૨૭). ભર્ત.(પૃ૩૮) અહીં મમ્યુરિ જા એમ પાઠ લે છે અને કહે છે કે ભાખ્યકાર અહીં ૨ નો પ્રયોગ કરે છે તેથી સ્વીકારે છે કે વિહિતનો પરિત્યાગ કરવાથી ધર્મ નાશ પામે છે પણ બીજાઓનું માનવું છે કે વિહિતનો પરિત્યાગ કરવાથી પૂરો અધર્મ થાય છે. ભ.ના પાઠ પ્રમાણે અહીં એટલો જ લાભ કે પાપ લાગતું નથી એટલે કે અપશબ્દનો પ્રયોગ કરવાથી પાપ લાગે પરંતુ શુદ્ધ શબ્દોનો પ્રયોગ કરવાથી પાપ ન લાગે એ ફાયદો. * તમારાથી વધુ વિદ્ધાન કોણ હોઇ શકે ? એ ઉપહાસપૂર્વક વિધાન છે, કારણ કે શબ્દના અસ્તિત્વનો ખ્યાલ તેના પ્રયોગ ઉપરથી આવે છે અને તમે શબ્દનો પ્રયોગ કરો છો તે બતાવે છે કે તેવો શબ્દ છે), છતાં તમે કહો છો કે એ શબ્દનો પ્રયોગ થતો નથી. 2 અનુવિધાન એટલે સંસ્કાર, તેથી મનુવિદ્રત્ત એટલે શુદ્ધ કરે છે, સિદ્ધ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy