SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ प्रवृत्तिर्भवति। समानश्च खेदविगमो गम्यायां चागम्यायां च। तत्र नियमः क्रियते इयं गम्येयमगम्येति ॥ वेदे खल्वपि पयोव्रतो ब्राह्मणः यवागूवतो राजन्यः आमिक्षाव्रतो वैश्यः इत्युच्यते। व्रतं च नामाभ्यवहारार्थमुपादीयते। शक्यं चानेन शालिमासादीन्यपि व्रतयितुम्। तत्र नियमः क्रियते। तथा बैल्वः खादिरो वा यूपः स्यात् इत्युच्यते। यूपश्च नाम पश्वनुबन्धनार्थमुपादीयते।शक्य चानेनयत्किंचित्काष्ठमुच्छ्रित्यानुच्छ्रित्य वा पशुरनुबन्धुम्। तत्र नियमः क्रियते। જે તે અર્થ પ્રમાણે શબ્દનો પ્રયોગ તો લોકવ્યવહાર ઉપરથી થાય છે, પરન્તુ વ્યાકરણ તેમાં ધર્મનિયમ કરે છે. આ ધર્મનિયમ તે શું છે? ધર્મ માટેના નિયમ અથવા ધર્મના અર્થે નિયમ અથવા ધર્મ જેનું પ્રયોજન છે તેવો નિયમ. જેમ લોકમાં અને વેદમાંક (નિયમ કરવામાં આવે છે તેમ) (૧). દક્ષિણના લોકોને તદ્ધિતયુક્ત પ્રયોગો ઘણા ગમે છે (દા.ત.) “જેમ લોકોમાં અને વેદમાં એમ કહેવાને બદલે ” જેમ લૌકિકમાં અને વૈદિકમાં’ એમ પ્રયોગ કરે છે. અથવા અહીં ‘જેમ લૌકિક અને વૈદિક બાબતોમાં હોય છે તેમ)', એવો અર્થ દર્શાવતો. તદ્ધિત પ્રત્યય યોગ્ય જ છે. લોકવ્યવહારમાં તો ‘ગ્રામ્ય કુકડો અભક્ષ્ય છે’, ‘ગ્રામ્ય સૂવર અભક્ષ્ય છે', એમ કહેવાય છે, પણ ખોરાક તો ભૂખને નિવારવા માટે લેવામાં આવે છે; અને કુતરાના માંસ વગેરેથી પણ કોઈ ભૂખને દૂર કરી શકે તેમાં નિયમ કર્યો કે “અમુક ખવાય’ અને ‘અમુક ન ખવાય. તે જ રીતે કામવાસનાને કારણે સ્ત્રીઓ વિશે (પુરુષ) પ્રવૃત્તિ કરે છે તેમાં સ્ત્રી ગમન કરવા યોગ્ય હોય કે ગમન કરવા યોગ્ય ન હોય પણ કામનિવૃત્તિ તો સરખી જ થાય છે. તેમાં નિયમ કરવામાં આવે છે કે ‘અમુક ગમન કરવા યોગ્ય છે’ અને ‘અમુક ગમન કરવા યોગ્ય નથી.” વેદમાં પણ ‘ાહ્મણ પયોવ્રતી થવું” (અર્થાત્ દૂધનો આહાર લેવો)', ક્ષત્રિયે યવાગવતી થવું (અર્થાત્ ચોખા કે જવની ઘેશનો આહાર લેવો), વૈશ્ય આમિક્ષાવતી થવું (અર્થાત્ ગરમ દૂધમાં મેળવેલા દહીંનો આહાર લેવો), એમ કહેવામાં આવ્યું છે અને વ્રત તો ખોરાક માટે લેવામાં આવે છે અને માણસ ચોખા, માંસ વગેરે ખાઈને પણ વ્રત કરી શકે. તેમાં (એ રીતે) નિયમ કરવામાં આવે છે. તે જ રીતે યજ્ઞસ્તંભ બીલી અથવા ખેરનો હોવો જોઇએ એમ કહેવામાં આવે છે કે અને એ સ્તંભ (યજ્ઞના) પશુને બાંધવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આથી ગમે તે કોઇ લાકડું ઘડીને કે ઘડ્યા વગર (અથવા ખોડીને કે ખોડ્યા વગર) માણસ પશુને બાંધી શકે છે. તેમાં એ નિયમ કરવામાં આવે છે. तथाऽग्नौ कपालान्यधिश्रित्याभिमन्त्रयते भृगूणामगिरसां धर्मस्य तपसा तप्यध्वम् इति। अन्तरेणापि मन्त्रमग्निर्दहनकर्मा कपालानि सन्तापयति। तत्र नियमः क्रियते। एवमिहापि समानायामर्थगतौ शब्देनापशब्देन च धर्मनियमः क्रियते शब्देनैवार्थोऽभिधेयो नापशब्देनेति । एवं क्रियमाणमभ्युदयकारि भवति ॥ अस्त्यप्रयुक्तः। सन्ति वै शब्दा अप्रयुक्ताः। तद्यथा ऊष तेर चक्र पेच इति। किमतो यत्सन्त्यप्रयुक्ताः। प्रयोगाद्धि भवाञ्छब्दाना साधुत्वमध्यवस्यति । य इदानीमप्रयुक्ता नामी साधवः स्युः। इदं तावद्विप्रतिषिद्धम् यदुच्यते सन्ति वै शब्दाः अप्रयुक्ताः इति। यदि सन्ति नाप्रयुक्ताः अथाऽप्रयुक्ताः न सन्ति सन्ति चाप्रयुक्ताश्चेति विप्रतिषिद्धम्। प्रयुञ्जान एव खलु भवानाह सन्ति शब्दा अप्रयुक्ताः इति । कश्चेदनीमन्यो भवजातीयकः पुरुषः शब्दानां प्रयोगे साधुः स्यात् । नैतद्विप्रतिषिद्धम्। सन्तीति तावद् ब्रूमः यदेताशास्त्रविदः शास्त्रेणानुविदधते। अप्रयुक्ता इति ब्रूमः यल्लोकेऽप्रयुक्ता इति । यदप्युच्यते। कश्चेदानी भवजातीयकः पुरुषः शब्दानां प्रयोगे साधुः स्यात् इति। न बमोऽस्माभिरप्रयुक्ता इति । किं तर्हि । કવિ અને વૈદિલ એમ ન કહેતાં હો તે જ એમ પ્રયોગ થઇ શકત પરંતુ દક્ષિણના લોકોને તદ્ધિતનો પ્રયોગ ગમે છે તેથી આ પ્રમાણે કહ્યું છે. વાર્તિકકાર દાક્ષિણાત્ય હશે તેમ એથી સૂચવાય છે. & ભાગમાં વેઢ શબ્દ પ્રયોજાયો છે. પોતાના વિષયમાં પ્રવર્તમાન થતી ઇન્દ્રિયોને રોકવાની શક્તિનો અભાવ તે ખેદ, અથવા ખેદ કરાવે - થકવે તે ખેદ અર્થાત્ રાગ. વાસ્તવમાં તો ઈન્દ્રિયનિગ્રહ કરવાની અશક્તિને કારણે થતું દુઃખ તે ખેદ. 67 પયોવ્રત એ યજ્ઞ માટે કરવામાં આવતું નથી, કારણ કે વિષાણયા વાર્તા એ વાક્ય દારા , કાળિયારના શિંગડાથી ખંજવાળવાનું કહ્યું છે તે ખંજવાળવાની જરૂર હોય તો જ કરવાનું કહ્યું છે તેમ જરૂર હોય તો જ દીક્ષિતે દૂધનો આહાર લેવો એમ કહેવામાં આવ્યું છે.તેથી એ વિધિ નથી પણ નિયમ છે. 68 પશુને છૂટું ન રાખવા, એટલે કે બાંધવા, માટે ચૂપનો ઉપયોગ થાય છે. જો ચલાલ (લાકડાની કડી) વાળા અષ્ટકોણવાળા લાકડા સાથે પશુને બાંધવામાં આવે તો ફલ પ્રાપ્તિ થાય. ધૂપ ઘડેલો હોઇ શકે અને ખોડેલો કે આડો પાડેલો હોઇ શકે તેમાં વૈત્વઃ વારિરો વાહ વગેરેથી નિયમ કરવામાં આવે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy