SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ पदार्थ एष विग्रहो न्याय्यः - सिद्धे शब्दे अर्थे सम्बन्धे चेति । ननु चोक्तमाकृतिरनित्येति। नैतदस्ति नित्याकृतिः। कथम्। न क्वचिदुरतेति कृत्वा सर्वत्रोपरता भवति द्रव्यान्तरस्था तूपलभ्यते॥ अथवा नेदमेव नित्यलक्षणम् - ध्रुवं कूटस्थमवचाल्यनपायोपजनविकार्यनुत्पत्त्यवृद्ध्यव्यययोगि तन्नित्यमिति। तदपि नित्यं यस्मिंस्तत्त्वं न विहन्यते। પરંતુ આચાર્યને ખ્યાલ છે કે માંગલ્યના અર્થવાળો સિદ્ધ શબ્દ શરૂઆતમાં પ્રયોજાશે તો જ હું તેને નિત્યના પર્યાયવાચી તરીકે સમજાવી શકીશ. આથી જ તેમણે નિત્ય શબ્દ ન મૂકતાં સિદ્ધ શબ્દ મૂક્યો છે. (જાતિ અને વ્યક્તિ એ બેમાંથી) પદનો કયો અર્થ લઇને “સિદ્ધ રાત્રેડ સવજો એમ વિગ્રહ કર્યો છે? તો (વૈયાકરણ) કહે છે, “(પદનો અર્થ) જાતિ (લઈને વિગ્રહ કર્યો છે). “એ શા ઉપરથી?” કારણકે જાતિ નિત્ય છે જયારે વ્યક્તિ (દ્રવ્ય) અનિત્ય છે. પરન્તુ જો વ્યક્તિ (દ્રવ્ય) પદાર્થ હોય તો વિગ્રહ કેવી રીતે કરવો? સિક્કે રાત્રેડર્થસવજો એમ (વિગ્રહ) થશે, કારણકે અર્થા (શબ્દો) નો (તેમના) અર્થ સાથેનો પરસ્પર સંબંધ નિત્યક છે; અથવા વ્યક્તિ (દ્રવ્ય) જ પદનો અર્થ હોય તો પણ ‘સિદ્ધ રાત્રેડર્ષે સજે ૨૧ એ વિગ્રહ યોગ્ય છે કારણ કે દ્રવ્ય નિત્ય છે અને જાતિ અનિત્ય છે. તે કેવી રીતે સમજાય છે? કારણ કે સંસારમાં આ પ્રમાણે જ જોવામાં આવે છે કે અમુક આકૃતિથી 9 યુક્ત મૃત્તિકા જ પિડરૂપ બને છે. પિંડની આકૃતિ ભાગીને નાના ઘડા બનાવવામાં આવે છે અને નાના ઘડાની આકૃતિ ભાગીને કુંડીઓ બનાવવામાં આવે છે. તે જ રીતે અમુક આકૃતિવાળું બનતાં સુવર્ણ પિડરૂપ બને છે. પિંડની આકૃતિ ભાગીને હાંસડી બનાવવામાં આવે છે અને હાંસડીનો આકાર ભાગીને કંકણ બનાવવામાં આવે છે. કંકણનો આકાર તોડીને સ્વસ્તિક બનાવવામાં આવે છે. ફરી પાછો પિડરૂપ બનેલો સુવર્ણનો ગોળો જુદા આકાર ધારણ કરીને ખેરના અંગારા જેવાં બે રક્તવણાં કુંડળ (રૂ૫) બને છે. (આમ) આકાર જુદા જુદા થાય છે પણ દ્રવ્ય તો એ જ રહે છે. આકૃતિનો નાશ થયા પછી દ્રવ્ય જ બાકી રહે છે. પદનો અર્થ આકૃતિને ગણો તો પણ ‘સિદ્ધ રાત્રેડર્થે સર્વજે ૧૧ (અર્થાત્ શબ્દ, અર્થ અને સંબંધ સિદ્ધ એટલે કે નિત્ય હોય તો) એ વિગ્રહ જ યોગ્ય છે. (શંકા) પણ “આકૃતિ અનિત્ય છે.”એમ તમે કહ્યું ને ! (જ.) તેમ નથી.આકૃતિ નિત્ય છે. કેવી રીતે? (એ રીતે કે) કોઈ એક સ્થળે આકૃતિ અદ્રશ્ય થાય માટે સર્વત્ર અદ્રશ્ય બનતી નથી કારણ કે તે અન્ય દવ્યમાં રહેલી જોવામાં આવે છે. અથવા” ધુવ (અર્થાત્ સ્થિર), કૂટસ્થ અર્થાત્ ફેરફાર રહિત, અચળ,નાશ, વૃદ્ધિ વગેરે વિકારરહિત એટલે કે જેને ઉત્પત્તિ, વૃદ્ધિ કે નાશનો પ્રસંગ નથી તે નિત્ય” એ નિત્યનું લક્ષણ નથી. જેમાં તત્ત્વનો સાવ નાશ ન થાય તે પણ નિત્ય છે. किं पुनस्तत्त्वम्। तस्य भावः तत्त्वम्। आकृतावपि तत्त्वं न विहन्यते ॥ अथवा किं न एतेन- इदं नित्यमिदमनित्यम् इति। यन्नित्यं तं पदार्थ मत्वैष विग्रहः क्रियते - सिद्धे शब्देऽर्थे सम्बन्धे चेति ॥ कथं पुनर्जायते- सिद्धः शब्दोऽर्थः सम्बन्धश्चेति। लोकतः। यल्लोकेऽर्थमर्थमुपादाय शब्दान्प्रयुञ्जते नैषां निर्वृतौ यत्न कुर्वन्ति । ये पुनः कार्या भावा निर्वती तावत्तेषां यत्नः क्रियते। तद्यथा। घटेन कार्य करिष्यन्कुम्भकारकुल गत्वाऽऽह-कुरु घट कार्यमनेन * શબ્દ નિત્ય છે પણ અર્થ અનિત્ય છે તો પછી તે બેનો સંબંધ કેવી રીતે હોઇ શકે તેવી શંકા થઇ શકે. પરંતુ સમવાયી (જેમની વચ્ચે સમવાય સંબંધ હોય તે, જેમ કે તંતુ અને પટ) નિત્ય હોય કે અનિત્ય હોય પણ તેમની વચ્ચેનો સમવાય એ સંબંધ નિત્ય છે. તેમ આ સંબંધ પણ નિત્ય હોઇ શકે. 19 અહીં મારુતિઃ સરથાનમ્ ૦ એટલે કે આકાર. છે નિત્ય બે કારણે હોઇ શકેઃ (૧) ત્રણ પ્રકારની અનિત્યતારહિત હોય તે નિત્ય, અને (૨) છ પ્રકારના ભાવવિકારશૂન્ય હોય તે પણ નિત્ય.સંસર્ગોનિત્યતા, પરિણામોનિત્યતા અને પ્રધ્વનિત્યતા એ અનિત્યતાના ત્રણ પ્રકાર છે. ભાષ્યકારે ધુવ શબ્દનો પ્રયોગ કરીને સંસર્ગોનિત્યતાનો પરિહાર કર્યો છે. સ્ફટિકને લાખમાં જડવામાં આવે ત્યારે તેમાં લાખની લાલાશનો આભાસ થાય છે અને લાખ દૂર કરતાં લાલાશ જતી રહે છે અને તેનો મૂળ રંગ પ્રકાશે છે તે સંસર્ગોનિત્યતા. અવિચાલી એમ કહીને પરિણામોનિત્યતાનો નિરાસ કર્યો છે. શ્યામવર્ણ કાચું બોર પાકી જતાં રતવર્ણ બને છે તે પરિણામોનિત્યતા. અનપાય શબ્દ દ્વારા પ્રવ્રુસાભાવનો નિરાસ કર્યો છે. સંપૂર્ણ વિનાશ તે પ્રધ્વસાનિત્યતા. જન્મ, સત્તા, વૃદ્ધિ, પરિણામ, અપચય અને વિનાશ એ છ ભાવવિકારો નિરુક્તકારે ગણાવ્યા છે તેમનો પણ અહીં નિષેધ કરવામાં આવ્યો છે. તેમાં અનુત્પત્તિ દ્વારા જન્મ અને સત્તાનો, અવૃદ્ધિ દ્વારા વૃદ્ધિનો, અનુપજન દ્વારા પરિણામનો,અનપાય દ્વારા અપચયનો અને અવ્યય દ્વારા વિનાશનો પરિહાર કર્યો છે. 99. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy