SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहे तावत्कार्यप्रतिद्वन्द्विभावान्मन्यामहे नित्यपर्यायवाचिनो ग्रहणमिति। इहापि तदेव ॥ अथवा सन्त्येकपदान्यप्यवधारणानि । तद्यथा अब्भक्षो वायुभक्ष इति। अप एव भक्षयति वायुमेव भक्षयतीति गम्यते । एवमिहापि सिद्ध एव न साध्यः इति। ભગવાન પાણિનિએ આ વ્યાકરણ શાસ્ત્રનો પ્રારંભ કેવી રીતે કર્યો? શબ્દાર્થસંબંધ સિદ્ધ થતાં. / ૧ / શબ્દ, અર્થ અને (તેમનો) સંબંધ સિદ્ધ થતાં. પણ સિદ્ધ શબ્દનો અર્થ શો છે? સિદ્ધ શબ્દ નિત્યનો સમાનાર્થક છે. તે કેમ જાણ્યું? કારણકે (સિદ્ધ શબ્દ) કૂટસ્થ (નિત્ય) અર્થાત્ અચલ (વિચલિત ન થનાર)0 પદાર્થો માટે વપરાય છે. જેમ કે સ્વર્ગ સિદ્ધ છે, પૃથ્વી સિદ્ધ છે, આકાશ સિદ્ધ છે. અરે પણ અમે કહીએ છીએ કે સિદ્ધ શબ્દ તો અનિત્ય (કાર્ય પદાર્થો માટે પણ પ્રયોજાય છે. જેમ કે સિદ્ધ મોનઃ (ભાત તૈયાર થયો), સિદ્ધઃ સૂપઃા (દાળ તૈયાર થઈ), સિદ્ધા થવા પૂરા (ઘેશ તૈયાર થઇ) . આમ સિદ્ધ શબ્દ કાર્ય (અનિત્ય) ના અર્થમાં પણ છે. તો પછી નિત્યના પર્યાયવાચીને લેવામાં આવે છે પણ અનિત્યના અર્થમાં જે સિદ્ધ શબ્દ છે તેનું ગ્રહણ કરવામાં આવતું નથી એ કેવી રીતે? (વ્યાકિના) સંગ્રહમાં તો સિદ્ધ શબ્દ અનિત્ય (કાર્ય) ના વિરોધી રૂપે હોવાથી અમને લાગે છે કે નિત્યનો પર્યાયવાચી (સિદ્ધ શબ્દ) લેવામાં આવ્યો છે. એમ અહીં પણ (નિત્ય પર્યાયવાચી સિદ્ધ શબ્દનું ગ્રહણ કરવું જોઇએ).અથવા તો એક પદ દારા પણ નિશ્ચિત (અર્થનું) જ્ઞાન થઇ શકે છે. જેમ કે મક્ષ વાયુમયઃ (અહી)? માત્ર પાણી જ લે છે માત્ર વાયુ જ લે છે, એમ સમજાય છે. તેમ અહીં પણ છે. તેથી સિદ્ધ એટલે માત્ર નિત્ય, જે સાધ્ય (અનિત્ય) છે તે નહીં. अथवा पूर्वपदलोपोऽत्र द्रष्टव्यः-अत्यन्तसिद्धः सिद्धः इति। तद्यथा- देवदत्तो दत्तः सत्यभामा भामेति । अथवा व्याख्यानतो विशेष प्रतिपत्तिर्न हि संदेहादलक्षणम् ।इति नित्यपर्यायवाचिनो ग्रहणमिति व्याख्यास्यामः। किं पुनरनेन वयेन। किं न महता कण्ठेन नित्यशब्द एवोपात्त यस्मिन्नुपादीयमानेऽसदेहः स्यात्। मङ्गलार्थम्। माङ्गलिक आचार्यो महतः शास्त्रौघास्य मङ्गलार्थ सिद्धशब्दमादितः प्रयुङ्क्ते। मङ्गलादीनि हि शास्त्राणि प्रथन्ते वीरपुरुषकाणि च भवन्ति आयुष्मत्पुरुषकाणि चाध्येतारश्च सिद्धार्था यथा स्युरिति। अयं खल्वपि नित्यशब्दो नावश्यं कूटस्थेष्वविचालिषु भावेषु वर्तते। कि तर्हि । आभीक्ष्ण्येऽपि वर्तते । तद्यथा 4 પાણિનિ શબ્દાર્થસંબંધના સર્જક છે કે માત્ર તેના સ્મર્તા છે એટલે કે તેમનું શાસ્ત્ર અપૂર્વ શબ્દોને ઉત્પન્ન કરી તેમનો વિશિષ્ટ અર્થ સાથે સંબંધ જોડે છે કે પૂર્વે સિદ્ધ થએલા શબ્દ અને અર્થના સંબંધ માત્રનો બોધ કરાવે છે? જ કાત્યાયનની વાર્તિકનો આરંભ અહીંથી થાય છે. ગય રાબ્દાનુશાસનમ્ થી લઇને પ્રયોજન પ્રદર્શન વગેરે બધો જ ગ્રન્થ ભાગાકારની છે. તેના ઉપરનું સ્વપદવ્યાખ્યાન પણ તેમનું જ છે. તેથી જ માર્થમ્ ! એમ કહીને સૂચવ્યું છે કે સિદ્ધ શબ્દ મંગળ માટે મૂક્યો છે . (જુઓ નિત્યાઃ રાબ્દાર્થપૂજાતત્રીનાતા મર્ષિમઃ | સૂત્રાણામનુતન્ના માખ્યા ૨ પ્રતમિઃ | વા.પ.બ.૨૩) 50 ત્રણે કાળમાં એક રૂ૫ રહે તે ફૂટસ્થ (વિપતા તુ : ત્રિવ્યાપી) . કૂટ એટલે નિચ્ચળ રાશિ-ભંડોળ, (વરોડસ્ત્રી નિત્યે ચાર મે.) જેમાંથી વ્યય ન કરવાનો હોય છે, જેમકે જૂદ ર શુરા અર્થાત્ તે ભંડોળમાંથી વ્યય કરવાનો નથી. કૂટ એટલે લોખંડનો ઘણ અથવા એરણ. તેમની સાથે જે વસ્તુઓનો સંસર્ગ થાય છે તેમનો નાશ થવા છતાં ઘણ કે એરણ નષ્ટ થતાં નથી તેમ જે નષ્ટ ન થાય તે કૂટસ્થ. તેની સ્પષ્ટતા કરતાં ભાષ્યકારે વિવાથી શબ્દ પ્રયોજયો છે. વિવાહ એટલે અન્ય સ્થળે જવું અથવા તો વિપરિણામ- દૂધમાંથી દહીં થાય તેમ રૂપાન્તર પામવું. તેથી જેમાં ફેરફાર ન થાય તે ફૂટસ્થ. . આ કાર્યને પ્રાગભાવ (=ઉત્પત્તિ પૂર્વેનો અભાવ) અને પ્રધ્વાભાવ (=નાશ થયા પછીનો અભાવ) હોય છે. તેથી કાર્ય એટલે અનિત્ય, પરંતુ જે કાર્યનું વિરોધી (પ્રતિબંદી) છે એટલે કે જેને પ્રાગભાવ અને પ્રધ્વસાભાવની અવસ્થા નથી તે નિત્ય. 52 વિ (મક્ષતિ) . વાયુમેવ (મક્ષતિ) / એમ અવધારણવાચક ઇવ નો પ્રયોગ ન કરતાં માત્ર અમલઃ વાયુમક્ષ એમ કહ્યું છે તેમાં અને વાપુ એ એક જ પદથી અવધારણ થાય છે. (જુઓ: મસાન્તાકુમક્ષાંશ રીપઇરાના—નીના મહા.આદિ. ૭૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy