SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ -कालेन स्वाध्यायकालेन प्रवचनकालेन व्यवहारकालेनेति। तत्र चास्यागमकालेनैवायुः कृत्स्नं पर्युपयुक्त स्यात्। तस्मादनभ्युपायः शब्दानां प्रतिपत्तौ प्रतिपदपाठः। कथं तीमे शब्दाः प्रतिपत्तव्याः। किंचित्सामान्यविशेषवल्लक्षणं प्रवर्त्यम् । येनाल्पेन यत्नेन महतो महतः शब्दौघान्प्रतिपद्येरन्। किः पुनस्तत्। उत्सर्गापवादौ। कश्चिदुत्सर्गः कर्तव्यः कश्चिदपवादः। कथंजातीयकः पुनरुत्सर्गः कर्तव्यः कथंजातीयकोऽपवादः। सामान्येनोत्सर्गः कर्तव्यः। तद्यथा- कर्मण्यण। तस्य विशेषेणापवादः। तद्यथा - आतोऽनुपसर्गे कः॥ किं पुनराकृतिः पदार्थः आहोस्वित् द्रव्यम्। उभयमित्याह । कथं ज्ञायते। એક શબ્દ ઉચ્ચારીને દેવોનાં એક હજાર વર્ષ સુધી “શબ્દશાસ્ત્રનું પ્રવચન કર્યું પરંતુ પાર પામ્યા નહીં. બૃહસ્પતિ પોતે પ્રવક્તા ઇદ જેવો અધ્યેતા હતો, અધ્યયનનો સમય (પણ) એક હજાર દિવ્ય વર્ષનો હતો છતાં પાર પામ્યા નહીં, તો પછી આજના જમાનાનું શું કહેવું? કારણ કે વધારેમાં વધારે લાંબુ જીવે તે પણ સો વર્ષે જીવે છે. વળી વિદ્યા ચાર રીતે ઉપયોગમાં આવે છે , ગુરુ પાસેથી ગ્રહણ કરતી વખતે, ત્યાર બાદ તેનું પુનરાવર્તન કરતી વખતે, પછી શિષ્યોને અભ્યાસ કરાવતી વખતે અને યજન યાજન વગેરે વ્યવહારમાં. તેમાં (પ્રત્યેક પદનો પાઠ કરે તો) અભ્યાસ કાળમાં જ સમગ્ર આયુષ્ય ખપી જાય. આથી શબ્દોના જ્ઞાન માટે શબ્દ શબ્દનો અભ્યાસ કરવો તે યોગ્ય ઉપાય નથી. તો પછી આ શબ્દોનું જ્ઞાન કેવી રીતે મેળવવું? કોઈક સામાન્ય અને વિશેષ ધર્મોથી યુકત લક્ષણ કરી શકાય, જેથી થોડા પ્રયત્ન મોટા મોટા શબ્દસમૂહોનો બોધ થઇ શકે. પરંતુ એ સામાન્ય વિશેષ ધર્મો યુકત લક્ષણ શું છે? ઉત્સર્ગ (સામાન્ય નિયમ) અને અપવાદ (એ નિયમનો અપવાદ) અર્થાત્ કોઈ નિયમ આપવો અને પછી તેનો કોઇ અપવાદ દર્શાવવો. પરંતુ સામાન્ય નિયમ કેવા પ્રકારનો કરવો અને તેનો અપવાદ કેવી જાતનો રવો? સામાન્ય રૂપે અર્થાત્ અનેક સ્થળે લાગુ પડે તે રીતે સામાન્ય નિયમ બનાવવો જેમકે કર્મથv[ (૩-૨-૧), અને વિશેષ કથન દ્વારા તેનો અપવાદ કરવો, જેમકે ગાતોડનુપ : (૩-૨-૩) પદનો અર્થ તે જાતિ (આકૃતિ) કે વ્યકિત ?“તો (વૈયાકરણ) કહે છે, “બન્ને”. તે કેવી રીતે સમજાય છે? 42 પ્રથમ બે કાળ-- આગમ અને સ્વાધ્યાય કાળ-દરમ્યાન આ વિદ્યાર્થી છે, બુદ્ધિશાળી છે” એ કારણે રાજા વગેરે તરફથી આદરપૂર્વક અન્નવસ્ત્રાદિ મળે છે તે ફળ, ત્રીજા તબક્કામાં પ્રતિષ્ઠા, સારો શિષ્ય મળવાથી અર્થપ્રાપ્તિ અને વિશિષ્ટ માનપાન મળે તે ફળ, જ્યારે ચોથા તબક્કામાં યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન કરતી વખતે અપશબ્દનો પ્રયોગ કરવાથી આવી પડતું પ્રાયશ્ચિત ન કરવું પડે, યજ્ઞકર્મ સાંગોપાંગ થઇ શકે, દક્ષિણા મળે તેમ જ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તે ફળ. 4 આ સૂત્ર ધાતોઃ એ અધિકાર નીચે છે તેથી તેની અહીં અનુવૃત્તિ થાય છે. કર્મ ઉપપદ હોય ત્યારે ધાતુને મળુ પ્રત્યય લાગે છે. જેમ કે મ૨R:, વાહટાવઃ વગેરે. આ ઉત્સર્ગ સૂત્ર થયું. માતોડનુપસ : એ સૂત્રમાં માતઃ એ વિશેષણનો ઉપયોગ કર્યો છે તેથી તે અપવાદ સૂત્ર છે, કારણ કે તે મા-કારાન્ત ધાતને જ (માતઃ ધારો લાગુ પડશે. તેથી ઉપસર્ગરહિત મ-કારાન્ત ધાતુને કર્મ ઉપપદ હોય ત્યારે જ પ્રત્યય લાગે છે જેમ કે ધર્મજ્ઞ વગેરે. “ આચાર્યોમાં મતભેદ છે તેથી આ પ્રકારનો સંદેહ થયો છે. વાજપ્યાયન આકૃતિને પદાર્થ માને છે, જયારે વ્યાડિ દવ્યને પદાર્થ માને છે. આ બે મતની ચર્ચા માટે જુઓઃ ભર્તુ.પૃ. ૨૨ અને અષ્ટા.સ્. (૧-૨-૬૪) ઉપર મહા.ભા.] પરંતુ આચાર્ય પાણિનિએ જાતિ અને દિવ્ય બન્ને અર્થ સ્વીકારીને સૂત્ર રચ્યાં છે. જાતિવાચક નામનો પ્રયોગ કર્યો હોય ત્યાં દિવ્ય એક હોવા છતાં નાટ્યાત્યાયામૂળ વગેરે પ્રમાણે વિકલ્પ બહુવચનનો પ્રયોગ થાય છે. જેમ કે સમ્પન્ન થવા અને સમ્પન્નાઃ થવા આ સૂત્રમાં જાતિ પદાર્થ છે એમ સૂત્રકારે સ્વીકાર્યું છે.(જ્ઞાતિઓંમાયમેટોડર્થ તમષાને ત્વમેવ બાતમતઃ (કા.ભા.૧ . પૃ.૩૬૫). જો પદનો અર્થ વ્યક્તિ લેવામાં આવતો હોય તો યવ ઘણા હોવાથી વહુ" વહુવાના પ્રમાણે બહુવચન થશે જ અને પ્રસ્તુત સૂત્ર નિરર્થક જશે. તેથી આ સૂત્રનો સૂત્રકારે આરંભ કર્યો છે. તેના આધારે જ સમજાય છે કે પદનો અર્થ જાતિ છે એમ તેમણે તે સ્વીકાર્યું છે. જાતિ એટલે આકૃતિ દ્વારા વ્યક્તિનું નિરૂપણ થાય છે (જુઓઃ નાતિમેવાકૃતિ પ્રાદુર્ઘત્તિરાત્રિ તે જય શ્લો. વા.આ. વા.૩), કારણ કે યવમાં જે યવત્વ છે તે એક છે તે જ એક યવત્વ અહીં વિવક્ષિત છે અને તે એક હોવાથી એકવચન પ્રાપ્ત થાય છે. અહીં બહુવચન થાય તે ઇષ્ટ છે તેથી સૂત્રદારા યત્ન કરીને તે સિદ્ધ કર્યું છે, કારણ કે ખાસ યત્ન વિના બહુવચન સિદ્ધ ન થઈ શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy