SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ पुराकल्प एतदासीत् - संस्कारोत्तरकालं ब्राह्मणा व्याकरणं स्माधीयते। तेभ्यस्तत्तत्स्थानकरणानुप्रदानज्ञेभ्यो वैदिका शब्दा उपदिश्यन्ते । तदद्यत्वे न तथा। वेदमधीत्य त्वरिता वक्तारो भवन्ति- वेदान्नो वैदिकाः शब्दाः सिद्धा लोकाच्च लौकिकाः। अनर्थक व्याकरणम् इति। तेभ्य एवं विप्रतिपन्नवुद्धिभ्योऽध्येतृभ्यः सुहृद् भूत्वा आचार्य इदं शास्त्रमन्वाचष्टे- इमानि प्रयोजनान्यध्येयं व्याकरणमिति ॥ उक्तः शब्दः। स्वरूपमप्युक्तम्। प्रयोजनान्यप्युक्तानि। शब्दानुशासनमिदानी कर्तव्यम्। तत्कथं कर्तव्यम्। कि शब्दोपदेशः आहो -स्विदपशद्वोपदेश आहोस्विदुभयोपदेश इति। अन्यतरोपदेशेन कृतं स्यात्। तद्यथा भक्ष्यनियमेनाभक्ष्यप्रतिषेधो गम्यते। पञ्च पञ्चनखा भक्ष्याः इत्युक्ते गम्यत एतद् - अतोऽन्ये अभक्ष्या इति । પ્રાચીન કાળમાં આ પ્રમાણે હતું -- ઉપનયન સંસ્કાર પછી બાહ્મણો વ્યાકરણનો અભ્યાસ કરતા, વિવિધ પ્રકારનાં (કંઠ વગેરે) સ્થાન, કરણ (અર્થાત્ વિવિધ પ્રકારના આત્યંતર પ્રયત્ન), અનુપ્રદાન, (નાદ વગેરે બાહ્ય પ્રયત્ન) ના જાણકાર તે (બાહ્મણો) ને વૈદિક શબ્દો ઉપદેશવામાં આવતા. અત્યારના સમયમાં તે પ્રમાણે નથી. હવે તો વેદનો અભ્યાસ કરીને અધીરા બનીને લોકો કહે છે, “ અમને વૈદિક શબ્દોનું જ્ઞાન વેદમાંથી અને લૌકિક શબ્દાનું જ્ઞાન લોક વ્યવહારમાંથી થાય છે, તેથી વ્યાકરણ નિરર્થક છે”. તેવા પ્રકારના અવળબુદ્ધિના વિદ્યાર્થીઓને આચાર્ય મિત્રભાવે આ શાસ્ત્રનું નિરૂપણ કરે છે. આ પ્રયાજનો છે તેથી વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. શબ્દ વિશે કહ્યું તેનું સ્વરૂપ પણ જણાવ્યું અને તેના પ્રયોજન પણ કહ્યાં. હવે શબ્દાનુશાસન કરવાનું છે. તે કેવી રીતે કરવું? શબ્દાના ઉપદેશ કરવા કે પછી અપશબ્દા (દુષ્ટ શબ્દો) ના કે પછી બન્નેનો ઉપદેશ કરવાં? બેમાંથી એકનો ઉપદેશ કર્યો હોય તા ચાલ. જેમ ભક્ષ્યને લગતા નિયમ દ્વારા અભક્ષ્યના પ્રતિષધ સમજાય છે તેમ (એકના ઉપદેશથી બીજાનો ખ્યાલ આવી શકે). “પાંચ નખવાળાં પાંચ પ્રાણીઓ ખાઈ શકાય” એમ જ્યારે કહેવામાં આવે ત્યારે “આ સિવાયના અભક્ષ્ય છે જયારે હવે તો માણસ અલ્પાયુષી બન્યા હોવાથી પ્રથમ મુખ્યભૂત વેદનું અધ્યયન કરાવવામાં આવે છે પછી વ્યાકરણનો અભ્યાસ કરે છે તેથી પ્રયોજન વિશે પૂછે છે, માટે પ્રયોજન કહેવું જોઇએ. અહીં વૃત્તાન્તરાઃ ને બદલે વૃત્તાન્તતઃ પાઠ છો. નોંધે છે. અર્થ એ જ છે. પન્તિ પછી તેડપ એમ અધ્યાહાર્ય છે અર્થાત્ એક પછી એક પ્રપઢિલ નો પાઠ કરે છે તેમને પણ પ્રયોજન કેમ નથી કહેવામાં આવતું? એમ ભાવ છે. છે ધનપ્રાપ્તિ કે સાંસારિક ભોગોના ઉપભોગ માટે ઉતાવળા કે પછી અન્ય પ્રકારના અધ્યયનમાં રોકી રાખે એવી ગુરુની આજ્ઞા ન થાય તે માટે અધીરા થાય છે. મજ પશ્ચનવા મક્યા ડ્રહ્મક્ષત્રેખ રાધવ (રત્ય: શ્વાવિયો ગોવા સારાઃ સૂર્મશ પશ્ચમ: વા.રા.કિ૧૭.૩૯) એ પરિસંખ્યાનું ઉદાહરણ છે. અન્યતઃ જ્ઞાત ન હોય તે વસ્તુનું જ્ઞાપન કરાવનાર વંદભાગને મીમાંસકો વિધિ કહેછે (અજ્ઞાતાર્થજ્ઞા વેમાનો વિધા અર્થસં૦ પૃ.૨૮) તેનું અમુક દૃષ્ટિએ વિભાજન કરીને ત્રણ ભાગ પાડવામાં આવ્યા છેઅપૂર્વવિધિ, નિયમ વિધિ અને પરિસંખ્યાવિધિ. અન્ય પ્રમાણ દ્વારા તદ્દન અપ્રાપ્ત અર્થનું વિધાન કરે તે અપૂર્વવિધિ.(વિપત્યન્તમાૌ તંત્ર.વા.૨.૩.૪૨) જેમ કે તિરોમેન સ્વામી નેતા અન્યત્ર અપ્રાપ્ત એવા યાગનું અહીં વિધાન કરવામાં આવ્યું છે તેથી અપૂર્વવિધિ થયો. નિયમ (નિયમ: પક્ષ સત એજન) વૈતુષ્ટકરણ (ડાંગર વગેરેનાં છોડાં કાઢી નાંખવાની ક્રિયા) નખનો ઉપયોગ કરીને (નવન), છડીને(મવદનન), પત્થરથી કૂટીને (ગરમાદન) તેમ જ અન્ય કોઇ રીતે થઇ શકે છે, ત્યાં બધા વિકલ્પો એક સાથે પ્રાપ્ત થતા નથી તેથી નખ વિદલનનો આશ્રય લેવામાં આવે તો અવહનનનો વિકલ્પ પ્રાપ્ત નહીં થાય, તેમાં વિહિન અવન્તિા એ વિધિ દ્વારા અન્ય સર્વ વિકલ્પોનો નિષેધ કરીને જે અવહનને પક્ષે પ્રાપ્ત હતું છે તેનું વિધાન કરીને પૈતુષ્ટકરણ અવહનનથી જ કરવું અન્ય રીતે નહીં એમ નિયમ કરે છે. તેથી એ નિયમ વિધિ થયો.પરિસંખ્યા વિધિ- જયારે બે વિકલ્પો એકી સાથે પ્રાપ્ત થતા હોય ત્યારે બેમાંથી એક વિકલ્પને વ્યાવૃત્ત કરનાર વિધિ તે પરિસંખ્યા વિધિ (તત્ર વાત્ર ૨ પ્રાઊ પરિસરત તે અંજન) જેમ કે પી પીનવી મઢ્યા | પાંચ નખવાળાં પાંચ પ્રાણીઆ અથવા તે સિવાયના પ્રાણીનું ભક્ષણ કરીને સુધાનું નિવારણ થઇ શકે આમ વિકલ્પો એકી સાથે પ્રાપ્ત થાય છે તેમાં પ પ નરવા ૦ થી અન્ય વિકલ્પોનો નિષેધ કરે છે. તેથી જ માંસ ભક્ષણ કરવાનું જ હોય તો પાંચ પંચનખ પ્રાણીના માંસનું જ કરવું અન્યનાનું નહીં. ક્ષુધાનું નિવારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy