SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ तालुः काकुर्जिह्वा साऽस्मिन्नुद्यत इति काकुदम्। सूर्म्य सुषिरामिव तद्यथा शोभनामूर्मि सुषिरामग्निरन्तः प्रविश्य दहति एवं ते सप्त सिन्धवः सप्त विभक्तयस्ताल्वनुक्षरन्ति। तेनासि सत्यदेवः। सत्यदेवाः स्यामेत्यध्येयं व्याकरणम्। सुदेवो असि ॥ किं पुनरिद व्याकरणमधिजिगांसमानेभ्यः प्रयोजनमन्वाख्यायते न पुनरन्यदपि किञ्चित् । ओमित्युक्त्वा वृत्तान्तशः शमित्येवमादीन् शब्दान्पठन्ति। રાખ્યાં પુત્રસ્ય--યાજ્ઞિકો કહે છે, “પુત્ર જન્મે તેના દસમાં દિવસ પછી તેનું નામ પાડવું.’ તેની શરૂઆતમાં ઘોષ વર્ણ અને મધ્યમાં અન્તઃસ્થ વર્ણ હોવો જોઇએ પણ પ્રારંભમાં વૃદ્ધિ સ્વર ન હોવો જોઇએ. એ (પિતાના) ત્રણ પૂર્વજોના નામ ઉપરથી હોવું જોઇએ કારણ કે તેનું જ નામ અત્યંત પ્રતિષ્ઠિત થાય છે. નામ બે કે ચાર અક્ષરનું અને કૃત પ્રત્યયવાળું રાખવું પણ તદ્ધિત પ્રત્યયવાળું ન કરવું પરંતુ વ્યાકરણના જ્ઞાન વિના ક્ત કે તદ્ધિત પ્રત્યયો જાણી શકાય નહીં. રાખ્યાં પુત્રા (ની ચર્ચા પૂરી). સુદેવો અતિ હે વરુણ, તું સાચો દેવ છે. જેમ પોલી મૂર્તિને” (અગ્નિ) અંદર પ્રવેશીને બાળે છે તેમ સાત પ્રવાહો તારા તાળવા તરફ વહે છે. “સાચો દેવ છે વરુણ” અર્થાત્ તું સાચવાળો દેવ છે, ‘તારા (તાળવા) તરફ સાત પ્રવાહો અર્થાત્ સાત વિભક્તિઓ. ‘તાળવા તરફ વહે છે વજુમ્ અર્થાત તાળવું, વઅર્થાત્ જીભ. તેને જયાં ફેરવવામાં આવે તે તાળવું “જેમ પોલી મૂર્તિને અર્થાત્ જેવી રીતે પોલી અને સુંદર મૂર્તિને અંદર પ્રવેશીને અગ્નિ બાળે છે તેમ સાત પ્રવાહો અર્થાત્ સાત વિભક્તિઓ તાળવા તરફ વહે છે તેથી તું સાચવાળો દેવ છે. આપણે પણ સત્યદેવ થઇએ તે માટે વ્યાકરણનું અધ્યયન કરવું જોઇએ. સુદેવો માસ (ની ચર્ચા પૂરી). વ્યાકરણનો અભ્યાસ કરવા ઇચ્છતો હોય તેને જ પ્રયોજન દર્શાવવામાં આવે છે પરન્તુ બીજા કોઇ (વિષયો) નો અભ્યાસ કરનાર (અને ‘વારુ” 38 એમ કહીને રામ્ વગેરે શબ્દોથી શરૂ કરીને એક પછી એક પ્રપાઠકનો પાઠ કરે છે. તેને પ્રયોજન વિશે કેમ કહેવામાં આવતું) નથી? રાભ્યામ્ માં સપ્તમી ઔપશ્લેષિક અધિકરણ સૂચવે છે અર્થાત્ તેમાં સપ્તમી સામીપ્યનો અર્થ દર્શાવે છે. તેથી ભાગકારે રાખ્યુત્તરવટિમ્ (દસ દિવસ પછી) એમ અર્થ કર્યો છે. દસ દિવસ સુધી વૃદ્ધિ સૂતક હોવાથી ત્યાર બાદ નામકરણ કરવું એમ. ગૃહ્યસૂત્રકારો કહે છે. આ ઉપરથી સમજાય છે કે નામકરણ સંસ્કારથી માંડીને જવ્યાકરણ ઉપયોગી છે. 36 અન્તરન્તઃસ્થમ્ જેની વચમાં ન્ર્ ર્ ર્ હોય તેવું. અવૃતમ્ જેમાં વૃદ્ધિસંજ્ઞક વર્ણ (ા છે ) ન હોય તેવું. ત્રિપુરુષાનુ-ત્રઃ પુરુષાર્ મનુવાતે મમિત્તે તિા નામ પાડવાનો અધિકાર પિતાને છે તેથી પિતાના ત્રણ પૂર્વજો (તેના પિતા, પિતામહ અને પ્રપિતામહ) માંથી ગમે તે એકના નામ ઉપરથી પુત્રનું નામ પાડવું જોઇએ. મનરિ અર્થાત્ મનુષ્યોમાં (નરિ) નહીં પણ દેવોમાં પ્રચલિત અથવા શત્રુ (બાર) સિવાયનાનું લેવું જોઇએ. સૂર્યમ્ અહીં પૂર્વ પ્રમાણે સૂર્ણમ્ થવું જોઇએ, પરંતુ પૂર્વ સૂત્ર વા ઇન્દ્રસિા ની અનુવૃત્તિ થવાથી ઇન્ આદેશ થયો છે. તે છાંદસ છે. સૂર્ણ લોહની સુંદર પોલી પ્રતિમા. સૂર્ન ઈન્તીમાર્જિનૃત્ય ગુરુતત્પY/ઃ એ સ્મૃતિ વાક્ય પ્રમાણે પ્રાચીન કાળમાં વ્યભિચાર કરનારને તપાવેલી લોહ મૂર્તિ કે સ્તંભને ભેટવાની સજા કરવામાં આવતી. જેવી રીતે અગ્નિની જવાળાઓ છિદોવાળી પોલી લોહ પ્રતિમામાં પ્રવેશીને અશુદ્ધિનો નાશ કરે છે તેમ વિભક્તિઓ શરીરમાંના પાપને દૂર કરે છે 38 સ્મૃતિમાં કહ્યું છે કે વેદાભ્યાસના પ્રારંભમાં તેમ જ અન્ને હમેશાં -કારનું ઉચ્ચારણ કરવું જોઇએ. જો તે પ્રમાણે કરવામાં ન આવે તો અર્થાત્ પ્રારંભમાં ઉચ્ચારવામાં ન આવે તો વિદ્યા મોઢે ન ચઢે અને અંતમાં ઉચ્ચારવામાં ન આવે તો ભણેલી વિઘાની વિસ્મૃતિ થાય (જુઓ મનુ.અ.શ્લો.૭૪). તેથી અહી કેટલાક મિત્યુત્વા નો અર્થ શો-કારનું ઉચ્ચારણ કરીને એમ લે છે (ચેટર્જી પૃ.૩૩). વા.શા.(હિ.પૃ.૧૭, મુ.પૂ.૧૦) માં % નો અનુવાદ નથી જયારે ભર્ત. સ્પષ્ટ કહે છે : ન મોરમુક્વાર્થ ત્યવન્તિવ્ય વિ તહૈિં? મમત્વમ્યુન્તિા (પૃ.૧૮) અર્થાત્ મો-થરનું ઉચ્ચારણ કરીને એમ નહીં, પરંતુ ‘વારૂ' એમ કહીને સ્વીકાર કરે છે એમ લેવાનો છે. કે. અને ના. ભર્તને અનુસરે છે. ગુરુ દ્વારા કહેવામાં આવે, મધષ્ય વેદનો અભ્યાસ કર) ત્યારે તેમની આજ્ઞા ‘ભલે’ એમ કહીને સ્વીકારી લઇને શિષ્ય એક પછી એક પ્રપાઠકનો અભ્યાસ કરે છે, પરંતુ વેદાધ્યયનનું પ્રયોજન પૂછતો નથી, કારણ કે જે અવસ્થામાં તેને વ્યાકરણનો અભ્યાસ કરાવવામાં આવતો તે બાલ્યાવસ્થામાં તે પ્રશ્ન પૂછવા જેટલી ગંજાશ ન ધરાવતો હોય, તો પછી પ્રયોજનને લગતો પ્રશ્ન કેવી રીતે પૂછી શકે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy