SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ वाग्योगविदेव। कुत एतत्। यो हि शब्दा - जानात्यपशब्दानप्यसौ जानाति । यथैव हि शब्दज्ञाने धर्म एवमपशब्दज्ञानेऽप्य -धर्मः। अथवा भूयानधर्मः प्राप्नोति। भूयांसो ऽपशब्दा अल्पीयांसः शब्दाः। तद्यथा गारित्यस्य शब्दस्य गावी गोणी गोता गोपोतलिकेत्येवमादयोऽपभ्रंशाः। अथ योऽ- वाग्योगवित् अज्ञानं तस्य शरणम्। विषम उपन्यासः। नात्यन्तायाज्ञानं शरणं भ वितुमर्हति। यो ह्यजानन् वै ब्राह्मणं हन्यात् सुरां वा पिबेत् सोऽपि मन्ये पतितः स्यात्। एवं तर्हि सोऽनन्तमाप्नोति जयं परत्र वाग्योगविद् दुष्यति चापशब्दैः। कः। अवाग्योग-विदेव । अथ यो वाग्योगवित्। विज्ञानं तस्य शरणम्। क्व पुनरिदं पठितम् । भ्राजा नाम श्लोकाः। किं च भोः श्लोका अपि प्रमाणम्। किं चातः। यदि श्लोकः प्रमाणमयमपि श्लोकः प्रमाणं भवितुमर्हति । તે (અધ્યયન) અગ્નિ વિનાના બળતણની જેમ કદાપિ પ્રકાશતું નથી. તેથી અર્થ જાણ્યા વિના આપણે અધ્યયન ન કરીએ તે માટે વ્યાકરણનો અભ્યાસ કરવો જોઇએ. વધતમ્ (ની ચર્ચા પૂરી). વસ્તુ કયું-વાણીના પ્રયોગનો જાણકાર જે કુશળ (વૈયાકરણ) શબ્દોનો વિશિષ્ટ અર્થમાં પ્રયોગ કરતી વખતે યથાયોગ્ય રીતે શબ્દોને પ્રયોજે છે તે સ્વર્ગમાં અપાર સિદ્ધિ મેળવે છે પરંતુ અશુદ્ધ શબ્દોના પ્રયોગથી દોષિત થાય છે. કોણ? વાણીના પ્રયોગને જાણનારો જ (દોષને પાત્ર થાય છે). એ કેવી રીતે? કારણકે જે (શુદ્ધ) શબ્દોને જાણે છે તે અશુદ્ધ શબ્દને પણ જાણે છે અને જેમ (દોષરહિત) શબ્દોને જાણવાથી ધર્મ થાય છે તેમ દોષયુક્ત શબ્દોને જાણવાથી અધર્મ થાય છે. અથવા તો અધર્મ વધારે થાય છે, કારણકે અપશબ્દો વધારે છે જયારે (દોષરહિત) શબ્દો થોડા છે, તે એટલા માટે કે (ભાષામાં) એક એક શબ્દના અનેક અપભ્રંશ હોય છે, જેમકે ૌઃ એ શબ્દના બાવી, ગળો, ગોતા, પોતાિ , વગેરે અનેક અપભ્રંશો છે. તો પછી જે વાણીનો પ્રયોગ જાણતો નથી તેનું શું? અજ્ઞાન તેનું શરણું છે. આ દલીલ બંધ બેસતી છે નથી. કેવળ અજ્ઞાન કોઇને બચાવી શકતું નથી કારણકે જે અજાણતાં બ્રાહ્મણનો વધ કરે અથવા મદ્યપાન કરે તે મને લાગે છે કે પતિત થાય. એમ હોય તો પછી જેવાણીપ્રયોગનો જાણકાર છે તે સ્વર્ગમાં અપાર ફત્તેહ મેળવે છે, પરંતુ અપશબ્દો (ના પ્રયોગ) થી દોષને પાત્ર થાય છે. કોણ? વાણીના પ્રયોગને જાણતો નથી તે જ. તો પછી વાણીપ્રયોગ જાણનારનું શું? વિશિષ્ટ જ્ઞાન તેનો બચાવ કરે છે. એ વળી કઇ જગ્યાએ કહેલું છે? ભાજ નામના શ્લોકો છે (તેમાં). તો શું શ્લોકો પણ પ્રમાણભૂત હોય છે? તો શો વાંધો? જો લોકો પ્રમાણભૂત હોય તો આ શ્લોકને પણ પ્રમાણભૂત ગણવો જોઇએ :यदुम्बरवर्णानां घटीनां मण्डलं महत्। पीतं न गमयेत्स्वर्ग किं तत् ऋतुगत नयेदिति ॥ 23 એક જ શબ્દ કોઇ ખાસ અર્થમાં અસાધુ હોય પરંતુ બીજા અર્થમાં સાધુ હોઇ શકે જેમ કે ગોળી શબ્દ ગળે ગોદડીવાળું પ્રાણી ) એ અર્થમાં અસાધુ છે પણ ગોણી (કોથળા) જેવી હોય તે ગોળી એમ કોઇ ખાસ કારણને લીધે ગાયના અર્થમાં પ્રયોજાય તો સાધુ છે. તે જ રીતે અશ્વ શબ્દ ડાબલા, કેશવાળીવાળું પ્રાણી એ અર્થમાં સાધુ છે પરંતુ નિર્ધનના અર્થમાં અસાધુ છે. જયારે મ0 શબ્દ નિધનના અર્થમાં સાધુ છે પરંતુ ડાબલાવાળા પ્રાણીના અર્થમાં નથી. તેમ છતાં વિસાત વિનાનો, નકામો અણ્વ એ અર્થ દર્શાવવા માટે ગર્વ શબ્દ પ્રયોજવામાં આવે તો સાધુ થશે. 24 તેનો આશરો અજ્ઞાન છે (વાણીનો પ્રયોગ તે નથી જાણતો તેથી તેને અજ્ઞાન જ બચાવે છે). અપભાષણને કારણે તેને પુણ્ય નથી મળતું પણ તેને પાપ પણ નથી લાગતું. જેમ પશુપક્ષીઓ અજ્ઞાનપૂર્વક વર્તતાં હોવાથી તેમને પાપ નથી લાગતું તેમ સાધુ શબ્દના પ્રયોગને ન જાણનારને પાપ લાગતું નથી એ દલીલ અયોગ્ય છે, પશુપક્ષી નિષેધને પાત્ર નથી તેથી તેમને માટે અજ્ઞાન શરણભૂત થઈ શકે પણ મ્લેચ્છો માટે નહીં. મનુષ્ય તો નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવો જોઇએ અને તે માટે શાસ્ત્રને જાણવું જોઈએ.તેથી અજ્ઞાન તેનું શરણ ન થઈ શકે. અજાણતાં ઝેર ખવાઇ જાય તેથી મરી ન જવાય એમ નથી. 25 જે વાગ્યોગવિદ્ છે, વાણીના ઉપયોગને, પ્રયોગને જાણે છે, તે શબ્દો અને અપશબ્દો બન્નેને જણે છે, છતાં શબ્દો પ્રયોજે છે અપશબ્દો નહીં. આમ જ્ઞાનપૂર્વક શબ્દપ્રયોગ કરવાને કારણે તેને અભ્યદય પ્રાપ્ત થાય છે. પાપ કે પુણ્ય આચરણ કરવાથી પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી નહીં. આમ અપશબ્દનો પ્રયોગ પાપપ્રદ છે, તેનું જ્ઞાન નહીં. 26 આ શ્લોક નું સમર્થન કરનાર શ્રુતિ પણ છે. રીન્દ્રઃ સવજ્ઞાતિઃ રાત્રિાન્વિતઃ સુકયુ: સ્વ રોવે મધુમતા બાજ નામના શ્લોકો કાત્યાયને રચ્યા હતા તેમ કહેવાય છે તેનું સમર્થન ઋસર્વાનુકમણીની વૃત્તિમાં છે. તેમાં કાત્યાયનને ‘સ્મૃતિના રચનાર અને ભાજનામક શ્લોકના કર્તા કહ્યા છે (સ્કૃતેશ્ચ સૂર્તા જોવાનો પ્રાગનાખ્ખો ૨ : I). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy