SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ पदानि गच्छति कश्चित्त्रिंशत्कश्चिच्चत्वारिंशत्। स्फोटश्च तावानेव भवति ध्वनिकता वृद्धिः॥ ध्वनिः स्फोटश्च शद्वानां ध्वनिस्तु खलु लक्ष्यते । अल्पो महाश्च केषाञ्चिदुभयं तत्स्वभावतः ।। आदिरन्त्येन सहेता ॥११७१॥ आदिरन्त्येन सहेतेत्यसंप्रत्ययः संज्ञिनोऽनिर्देशात् ॥१॥ ડગલાં જાય છે, કોઇ ત્રીસ (ડગલાં અને કોઇ વળી ચાલીસ (ડગલાં) જાય છે. તેમાં ધડાકો એવડો જ હોય છે પરંતુ અવાજને કારણે વધારો ઘટાતો જણાય છે, તેમ ોટ પણ તેવો જ (એક રૂપ હોય છે, ધ્વનિને કારણે વધારો (હોય) છે. સ્ફોટ અને ધ્વનિ (એમ) બે પ્રકારનો) શબ્દ છે.?તેમાં ધ્વનિ કેટલાકને તે ઓછોવત્તો જણાય છે. એ બન્ને સ્વભાવ પર આધારિત છે. (અન્ય તુ સંજ્ઞક વર્ણની સાથે લેવામાં આવેલ આદિ વર્ણ મધ્યમાં રહેલ વર્ણોની તેમ જ પોતાની સંજ્ઞા થાય છે) /૧/૧૭૧ અન્ય ત્ ની સાથે રહેલ આદિ એમ (કહેતાં સૂત્રના) અર્થનો બોધ થતો નથી, 2 કારણ કે (અહીં) સંજ્ઞીઓનો નિર્દેશ નથી III 29. તેને વિષમ કહ્યું. અહીં ભેરી શબ્દ પ્રયત્નજન્ય છે અને ઢોલીનું ગમન પણ પ્રયત્નજન્ય છે અને અવાજ તો એ જ છે પરંતુ તે જ શબ્દ એક ઢોલી વીસ ડગલાં સુધી સાંભળે છે, બીજો ત્રીસ ડગલાં સુધી અને ત્રીજો ચાલીસ ડગલાં સુધી સાંભળે છે. છતાં મૂળ શબ્દમાં ફેર પડતો નથી. તેમ સ્ફોટ નિયત સ્વરૂપનો જ છે પરંતુ ભિન્ન વૃત્તિઓમાં તેની ઉપલબ્ધિમાં જે કાળભેદ જણાય છે તે વિકૃત ધ્વનિને કારણે છે અને એ ભેદ આળસ વગેરેને કારણે ઉદ્દભવે છે (માં તુ વૈતઃા તત્ત્વ વાવિતત્વાન્ ૩૦). મેધતઃ એ સર્મથ|| પ્રમાણે અન્ અને ૩૫૫તિદ્દા થી ઉપપદ સમાસ છે. તેથી કે. કહે છે કે મેરી માહન્તિ સ મેધતિઃ (ઢોલ ટીપે તે, ઢોલી). 326 આ વાક્ય ભેરી અને ફેટ બન્નેને અનુલક્ષીને સમજી શકાય છેઃ ૧) (ઢોલનો) ધડાકો તો તેટલો જ હોય છે, (અર્થાત્ ત્રણે ઢોલીની ઉપલબ્ધિ સમયે એનો એ જ ધડાકો હોય છે, પરંતુ જેવધારો દેખાય છે તે ધ્વનિ (અવાજની ઉપલબ્ધિ) ને કારણે છે. ૨) સ્ફોટ (નિત્ય શબ્દ) એટલો જ હોય છે પણ ધ્વનિ (અર્થાત્ વિકૃત અનિત્ય શબ્દ) ને કારણે ઉપલબ્ધિ કાળે વધારો જણાય છે.કે. આ વાક્યને માત્ર દાન્તિક-જે ને માટે દુષ્ટાન્ત આપવામાં આવે તેને અર્થાત્ સ્ફોટને વિશે ઘટાવે છે (હાર્દાન્તિવશોપન્યાસ:). આના ઉપર ના. કહે છે કે ભર્યાઘાતમાં સ્ફોટ ન હોય તો પછી wોટરતાવાનૂ૦ એમ કેમ કહ્યું છે? એ શંકાના નિરાસાર્થે તાબ્દન્તિોન્યાના અર્થાત્ સ્ફોટનો પ્રસ્તાવ છે એમ કહ્યું છે. ના.પ્રમાણે ભેરીના અવાજમાં પણ ભેરીને ટીપવાને કારણે ઉદ્ભવેલ સ્ફોટનું શ્રોત્ર દ્વારા જ ગ્રહણ થાય છે. 327 ફોટ (વ્યંગ્ય) અને ધ્વનિ (તેનો વ્યંજક) એ બે શબ્દનાં સ્વાભાવિક સ્વરૂપો છે. તેમાં ધ્વનિની ઉપલબ્ધિ થાય ત્યારે સમયમાં ફેર થાય છે તેથી ધ્વનિ વધતો ઓછો જણાય છે, પરંતુ ફેટનો કાળ એકરૂપ જ હોય છે.સ્ફોટ અને ધ્વનિ એ બન્ને વર્ણ દ્વારા વ્યક્ત થતી વાણીનાં જ સ્વરૂપ છે, પરંતુ અવ્યક્ત, વર્ણાત્મક ન હોય તેવી વાણીમાં માત્ર ધ્વનિ જ હોય છે. અહીં મા ની આવૃત્તિ કરીને મમ્ = શ્રેષઃ ચંનવા અને મને પૃહા એમ બે રીતે કે. યોજે છે. સ્વમાવત = સ્વાભાવને કારણે, યોગિપ્રત્યક્ષ રૂપ પ્રમાણથી ( સિદ્ધ છે).ના ભર્તને ઉદ્ધરે છેઃ વર્ણની ઉપલબ્ધિમાં સ્ફોટ રૂપ ધ્વનિ (નિત્ય શબ્દ) કારણભૂત છે (વસ્થ પ્રહને દેતુઃ પ્રાતો ધ્વનિરિત), પરંતુ વૃત્તિમાં જે ભેદ જણાય છે તેવ્યંજકભૂત વિકૃત ધ્વનિને કારણે થાય છે (વૃત્તિમે નિમિત્તત્વ વૈવલતો પ્રતિપા ) તેથી જ કહે છે કે શબ્દની અભિવ્યક્તિ થયા બાદ વૃત્તિઓમાં જે ભેદ થાય છે તે વ્યંજકભૂત વિકૃત ધ્વનિને પ્રતાપે થાય છે (રાદચોર્ધ્વમમવ્યવૃત્તિમેવાય વૈવતઃ ). ભ.દી. આમ સમજાવે છે. શબ્દ બે પ્રકારનો છે. વ્યંજક અને વ્યંગ્યું. તેમાં વ્યંગ્ય શબ્દોની સાથે તેના વ્યંજક તરીકે જે ધ્વનિ છે તે જ મોટો અથવા નાનો જણાય છે. તાલ વગેરેના પ્રયત્નથી ઉત્પન્ન થએલ શબ્દોને (અર્થાત્ વ્યક્તવાણીને) જ સ્વાભાવિક રીતે બન્ને સ્વરૂપો હોય છે, પરંતુ ભેરી વગેરેમાં ઉત્પન્ન થએલ અવ્યક્ત શબ્દને બે સ્વરૂપ હોતાં નથી. મન્ ને ભાવપ્રધાન નિર્દેશ ગણીને ૩મચપતા એમ અર્થ કરે છે. 328 અસંકઃ = અતિત્તિઃ (સૂત્રનો અર્થ) સમજાતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy