SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धमेतत्। कथम्। अवस्थिता वर्णा द्रुतमध्यमविलम्बितासु। किंकृतस्तर्हि वृत्तिविशेषः। वक्तुश्चिराचिरवचनाद् वृत्तयो विशिष्यन्ते। वक्ता कश्चिदाश्वभिधायी भवति। आशु वर्णानभिधत्ते। कश्चिच्चिरेण कश्चिच्चिरतरेण। तद्यथा। तमेवाध्वानं कश्चिदाशु गच्छति कश्चिच्चिरेण गच्छति। कश्चिच्चिततरेण गच्छति। रथिक आशु गच्छत्याश्विकश्चिरेण। पदातिश्चिरतरेण ॥ विषम उपन्यासः। अधिकरणमत्राध्वा व्रजतिक्रियायाः। तत्रायुक्तं यदधिकरकरणस्य वृद्धिहासौ स्याताम्॥ एवं तर्हि स्फोटः शद्बो ध्वनिः शद्वगुणः। कथम्। भेर्याघातवत्। तद्यथा। भेर्याघातः भेरी -માદિત્ય સ્થિાિતિ----- એ સિદ્ધ થાય છે. કેવી રીતે ? દુત, મધ્ય અને વિલંબિત વૃત્તિઓમાં વર્ષોનો (ઉચ્ચારણ) કાળ નિયત હોય છે. તો પછી ફેર શેને કારણે (થાય) છે? બોલનાર ધીમે કે જલદી બોલે છે તેથી વત્તિઓમાં ફેર પડે) છે. કોઇક બોલનાર ઝડપથી બોલવાને ટેવાયેલો હોય છે તેથી વર્ષો ઝડપથી ઉચ્ચારે છે, કોઇક ધીમે બોલે છે, અને કોઇક (એથી પણ વધારે ધીમે બોલે છે. જેમ એક જ રસ્તા ઉપર કોઇક ઝડપથી જાય, કોઇક ધીમે ધીમે જાય અને કોઇ એથી પણ વધારે ધીમે ધીમે જાય.રથમાં જનાર ઝડપથી જાય, ઘોડા ઉપર જનાર ધીમેથી (જાય) અને પગે ચાલીને જનાર (તેથી પણ) વધારે ધીમે (જાય છે). આ દૃષ્ટાન્ત સમાન નથી, કારણ કે અહીં રસ્તો જવાની કિયાનો આધાર છે (અને) તેમ હોવાથી આધારમાં વધારો કે ઘટાડો થાય તે યોગ્ય નથી. જો એમ હોય તો શબ્દ સ્ફોટ (નિત્ય) છે24 અને ધ્વનિ શબ્દનો ગુણ છે એમ કહીશું). કેવી રીતે? નગારાના અવાજની જેમ.25 ઢોલ પીટીને કોઈ ઢોલી (તે અવાજ સાંભળતો સાંભળતો) વીસ 32 ઉપરનું દૃષ્ટાન્ત સમાન નથી, બંધબેસતું નથી, કારણ કે વર્ષો તો બોલનારના પ્રયત્નથી ઉદ્દભવે છે અને પ્રયત્નમાં ફેર થાય તો દુત વગેરે વૃત્તિમાં ફેર થાય, એટલે કે તેમના ઉચ્ચારણમાં વતા ઓછો વત્તો સમય લે તે પ્રમાણે વૃત્તિમાં ફેર થાય, પરંતુ દૃષ્ટાન્તમાં તો રસ્તો જનારના પ્રયત્નથી ઉદ્ભવતો નથી તે તો નિયત જ છે. આમ પ્રસ્તુત સંદર્ભમાં આ દૃષ્ટાન્ત લાગુ નથી પડતું. પરિણામે કાળભેદ વિશેની દલીલ ઊભી રહે છે. તેથી વૈયાકરણોએ સ્ફોટ નામના શબ્દના નિત્ય સ્વરૂપની કલ્પના કરી છે. જેની ચર્ચા હવે પછી આવશે. 324 કોઇ દર્શનો શબ્દને ઘટ વગેરેની જેમ ઉત્પાદ્ય (ર્ત) અને તેથી અનિત્ય માને છે. જયારે વૈયાકરણો શબ્દને આકાશની જેમ નિત્ય માને છે. શબ્દ ઉપરથી અર્થનો બોધ કેવી રીતે થાય છે તેનો વિચાર તેઓએ કર્યો છે. શબ્દનો પ્રત્યેક વર્ણ અર્થનો બોધ કરાવે છે કે સમુદાય? જો પ્રત્યેક વર્ણ અર્થનો બોધ કરાવે તો મઠ શબ્દમાં જ ના ઉચ્ચારણ માત્રથી પુષ્પવિશેષનું જ્ઞાન થાય. તેથી બાકીના વર્ણોનું ઉચ્ચારણ વ્યર્થ બને. આમ પ્રત્યેક વર્ણ અર્થ બોધ કરાવતો નથી. જો સમુદાય અર્થ બોધ કરાવે તો ઉત્પત્તિ પક્ષ પ્રમાણે વર્ષો એકીસાથે ઉત્પન્ન નથી થતા તેથી તેમનો સમુદાય થવો શક્ય નથી. પરિણામે અર્થ ન સમજાય. શબ્દ નિત્ય છે તેની અભિવ્યક્તિ ઉચ્ચારણ દ્વારા થાય છે તેમ સ્વીકારવામાં આવે તો પણ વર્ણની અભિવ્યક્તિ કમપૂર્વક થતી હોવાથી તેમનો સમુદાય થવો શક્ય નથી તેથી એ પક્ષમાં પણ અર્થ બોધ ન થઇ શકે. પરંતુ વર્ણો કમપૂર્વક ઉચ્ચારવામાં આવતા હોય કે તેમની અભિવ્યક્તિ કમપૂર્વક થતી હોય છતાં પૂર્વે પૂર્વે ઉચ્ચારેલ કે અભિવ્યક્ત થએલ વર્ણોના ચિત્ત ઉપર જે સંસ્કાર પડ્યા હોય તેને પ્રતાપે અન્ય વર્ણનું ઉચ્ચારણ થતાં જ તે પૂર્વોચ્ચરિત વર્ગોની સ્મૃતિ થવાથી અર્થબોધ થઇ શકશે, એટલે કે વ મ ઝ એમ કમપૂર્વક ઉચ્ચારેલ વણની અન્ય વર્ણ ૪ નું ઉચ્ચારણ થતાં સ્મૃતિ થવાથી અર્થબોધ થશે એમ કહેવામાં આવે તો પણ ઉચ્ચારણના વિરુદ્ધ ક્રમ પ્રમાણે સ્મૃતિ થતી હોવાથી સ્ત્ર ૪ એમ સમજાશે તેથી ત:, રસઃ જેવાનો એક અર્થ સમજાય તેવો પ્રસંગ આવશે. આ પ્રસંગને નિવારવા માટે વૈયાકરણો માને છે કે અર્થબોધ સ્ટેટને કારણે થાય છે. સ્ફોટ નિત્ય છે, તેમાં કમ હોતો નથી (સંહૃતમમ્મી અને અન્ય વર્ણના જ્ઞાનથી તેનું ગ્રહણ થાય છે (7વુદિનિu).તેથી સર રસઃ માં એક અર્થ નહીં સમજાય. મરુ ઉપરથી પુષ્પવિશેષનો અર્થ સમજાશે. વૈયાકરણો પ્રમાણે શબ્દનાં બે સ્વરૂપ છે. એક નિત્ય અને બીજું અનિત્ય. નિત્ય તે સ્ફોટ. તે કૂટસ્થ છે, વિકારરહિત છે. અનિત્ય તે વિકૃતિજન્ય સ્વરૂપ, ધ્વનિ. તેના વદાર સ્ફોટની અભિવ્યકિત થાય છે તેથી ધ્વનિ વ્યંજક છે અને સ્ફોટ તેનો વ્યંગ્ય છે. આમ સ્ફોટ પ્રધાન છે જયારે ધ્વનિ તેની અભિવ્યક્તિનું સાધન લેવાથી, તેમાં ઉપકારક હોવાથી, ગૌણ છે. તેથી ભાગકારે ધ્વનિને સ્ફોટનો ગુણ કહ્યો છે (#ોટઃ રાઃ | ધ્વનિતુ રાદગુણ: I). 325 નાકે. આમ સમજાવે છે. આ દૃષ્ટાન્ત ઉપલબ્ધિ પુરતું જ છે. જેમ ઢોલી (મેર્યાધાત) ઢોલ વગાડીને,પીટીને તેનો અવાજ સંભળાય ત્યાં સુધી ચાલતો ચાલતો વીસ ડગલાં જાય, અન્ય ઢોલી ત્રીસ ડગલાં જાત અને ત્રીજો ચાલીસ ડગલાં જતો રહે. તેમાં પ્રયત્નને કારણે ઉદ્ભવેલ ઢોલનો શબ્દ કોઇ થોડો સમય સાંભળે, કોઈ તેથી વધારે સમય સાંભળે અને કોઈ વળી તેથી પણ વધારે સમય સુધી સાંભળે. આ રીતે ભિન્ન વૃત્તિઓમાં પણ ઉપલબ્ધિના કાળમાં ભેદ છે, પરંતુ તેનો વિષય તો એક જ છે. તેમના મત પ્રમાણે ઢોલના અવાજમાં ફેર છે તેથી ઉપલબ્ધિની દૃષ્ટિએ જ આ દૃષ્ટાન્ત આપ્યું છે પરંતુ આગળ જે દુષ્ટાન્ત છે તેમાં રસ્તો પ્રયત્નજન્ય ન હોવાથી ६०९ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy