SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ द्रुतायो तपरकरणे मध्यविलम्बितयोरुपसंख्यानं कर्तव्यं तथा मध्यमायाँ द्रुतविलम्बितयोस्तथा विलम्बितायां द्रुतमध्यमयोः। किं पुनः कारणं न सिध्यति। कालभेदात्। ये हि द्रुतायां वृतौ वर्णास्त्रिभागाधिकास्ते मध्यमायां ये मध्यमायां वर्णास्त्रिभागाधिकास्ते विलम्बितायाम् ॥ सिद्ध त्ववस्थिता वर्णा वक्तुश्चिराचिरवचनादू वृत्तयो विशिष्यन्ते ॥५॥ દુત (વૃત્તિ)માં (ઉચ્ચારેલને) ત પર કરવામાં આવ્યો હોય છે તો મધ્યમ અને વિલંબિત એ બેનો સમાવેશ કરવો પડશે, અને મધ્યમાં (ઉચ્ચારેલને) ત પર કરવામાં આવ્યો હોય તો દુત અને વિલંબિત એ બેનો સમાવેશ કરવો પડશે, અને વિલંબિતમાં (ઉચ્ચારેલને ત પર કરવામાં આવ્યો હોય તો દુત અને મધ્યમ (એ બે) નો સમાવેશ કરવો પડશે). પરંતુ સિદ્ધ ન થવાનું કારણ શું? કારણ એ કે તેમના (ઉચ્ચારણ) કાળમાં ફેર છે, તે એટલા માટે કે જે દુત વૃત્તિમાં (ઉચ્ચારેલ) વર્ણ છે તેથી ત્રણ ભાગ મધ્યમાં વૃત્તિમાં વધારે હોય છે અને જે મધ્યમાં વૃત્તિમાં (ઉચ્ચારેલ) વર્ણ છે તેથી ત્રણ ભાગ વિલંબિત વૃત્તિમાં (ઉચ્ચારેલ વર્ણ) માં હોય છે. પરંતુ એ સિદ્ધ થાય છે, કારણ કે વર્ગોનો (ઉચ્ચારણ) કાળ નિયત હોય છે 22 (પણ) બોલનાર ઉતાવળથી બોલે કે ધીમેથી બોલે તેને કારણે વૃત્તિઓમાં ફેર પડે છે પણ ધીમી ગતિએ વણચ્ચાર કરે છે તેથી પ્રયોગમાં મધ્યમ ગતિનો ઉપયોગ થાય છે. પરંતુ શિષ્યોને ઉપદેશ કરતાં તેઓ ગ્રહણ કરી શકે તે માટે મધ્યમથી પણ ધીમી ગતિએ ઉચ્ચારણ કરવામાં આવે છે, કારણ કે ઉપદેશાર્થે વિલંબિત વૃત્તિ છે (અભ્યાસાર્થે ઢંતા વૃત્તિ પ્રથાર્થે તુ મધ્યમાં રિાધ્યાપIકુરાર્થ વૃત્તિ શુદિવિતામ્ ા ઋ.પ્રા.૫.૯,રૃ.૪૯). અહીં દલીલ કરે છે કે સૂત્રમાં વર્ણને ગમે તે વૃત્તિમાં ઉચ્ચારીને તેને તપ કર્યો હોય તો તે સૂત્રમાં નિર્દેશેલ વિધિ તે વૃત્તિમાં ઉચ્ચારેલ વર્ણને જ લાગુ પડશે, અન્ય વૃત્તિમાં ઉચ્ચારેલ વર્ણને લાગુ નહીં પડે. દા.ત. તો મિસ | માં મૂ-કારને દુત વૃત્તિમાં ઉચ્ચારીને તાર કર્યો હોય તો માત્ર દુતમાં ઉચ્ચારેલ ગત્ત પછી આવતા મિન્ નો હેલ્ થશે, મધ્યમ કે વિલંબિત વૃત્તિમાં ઉચ્ચાર્યો હોય ત્યાં એ સૂત્ર લાગુ ન પડવાથી પેસ્ નહીં થાય. તેથી અહીં કહે છે કે તે સિવાયની વૃત્તિઓમાં મૂ-કાર ઉચ્ચાર્યો હોય તો પણ સૂત્ર અમલી થાય, મિન્ નો જે થાય તે માટે સ્પષ્ટ કહેવું પડશે કે સૂત્રમાં વર્ષોચ્ચાર જે વૃત્તિમાં કર્યો હોય તે સિવાયની વૃત્તિમાં ઉચ્ચારેલ તે જ વર્ણને સૂત્ર લાગુ પડશે, એટલે કે દુતમાં હોય તો મધ્યમ અને વિલંબિતમાં ઉચ્ચારેલનો સમાવેશ કરવો પડશે, મધ્યમમાં હોય તો દુત અને વિલંબિતમાં ઉચ્ચારેલનો અને વિલંબિતમાં ઉચ્ચારેલ હોય તો દુત અને મધ્યમમાં ઉચ્ચારેલનો સમાવેશ કરવો પડશે જેથી સૂત્રમાં કોઇ પણ વૃત્તિમાં ઉચ્ચારણ થયું હોય તો પણ તે વર્ણ તે સિવાયની વૃત્તિમાં ઉચ્ચારેલ હોય ત્યાં પણ તે સૂત્ર લાગુ પડે. તેથી મતો મિસ જેવા ઉદાહરણમાં ર્ થઇને ઇષ્ટ સિદ્ધિ થઇ શકશે. 32. કાળભેદ વિશે કે. કહે છેઃ બોલનાર વ્યક્તિ ઋચા કે શ્લોકને દૂત વૃત્તિમાં બોલે ત્યારે નાડીનાં નવ બિંદુ આવે તેટલો સમય થાય, પરંતુ મધ્યમ વૃત્તિમાં તેથી ત્રીજા ભાગનો વધારે સમય થાય, એટલે કે બાર પળ જેટલો થાય.પરંતુ વિલંબિતમાં તેથી ત્રીજા ભાગનો વધારે થાય એટલે કે સોળ પળ જેટલો સમય થાય, અર્થાત્ જેમ જેમ ધીમી ગતિએ ઉચ્ચારે તેમ તેમ આગળની વૃત્તિ કરતાં ત્રીજા ભાગ જેટલો વધારે સમય થાય.ભ.દી. કે.ને અનુસરે છે, પરંતુ ના. કહે છે કે ત્રિમા નો ‘તૃતીય ભાગ’ એમ અર્થ કરવો તે વ્યાકરણાનુસાર નથી. તેથી તે ત્રણ ભાગ વધારે' એમ અર્થ કરે છે(ત્રો મા માધવ! ત્યર્થg જિતઃ ). ટૂંકમાં ધુતમાં સુષુણ્ણા નાડીના નવ ધબકારા જેટલો સમય થાય તો મધ્યમમાં બાર અને વિલંબિતમાં સોળ ધબકારા જેટલો સમય થાય એમ કહેવા માગે છે.હવે કાળભેદ થાય તો વૃત્તિભેદને કારણે વર્ણમાં ફેર પડશે, એટલે કે એ જ વર્ણ, જેમ કે મેં-કાર, દુત વૃત્તિમાં ઉચ્ચારવામાં આવ્યો હોય, તે મધ્યમ કે વિલંબિત વૃત્તિમાં ઉચ્ચારવામાં આવે તો ઉચ્ચારણ કાળમાં ફેર હોવાથી એ વર્ણ પણ એક નહીં રહે અને તેથી બીજી વૃત્તિઓનો પ્રયોગ હોય ત્યાં પણ છે વગેરે થાય તે માટે વા.(૪) માં કહ્યા પ્રમાણે ઉપસંખ્યાન કરવું પડશે એમ અહીં ભાવ છે. 32 અવસ્થિતા અર્થાત્ નિયત કાળના.વણનો ઉચ્ચારણ કાળનિયત છે, ચોક્કસ છે, તેમાં વધારો ઘટાડો (વાપી) થતો નથી. જે ફરક દેખાય છે તે તો ઉચ્ચારણમાં ઉતાવળ, આળસ વગેરેને કારણે ધ્વનિમાં થતા ફેર (વિતિ) ને લીધે વર્ણબોધ થવામાં જે વધારો કે ઘટાડો જણાય છે તે છે. વાસ્તવમાં તો સર્વ વૃત્તિમાં અ-કારાદિ વર્ણનો ઉચ્ચારણ કાળ નિયત જ હોય છે. આ વાત સ્પષ્ટ કરવા ભાષ્યમાં રાહદારીનું દૃષ્ટાન આપ્યું છે. જેમ રાહદારીની ઉતાવળ, નિરાંત કે આળસને કારણે તેની ગતિમાં ફેર થાય છે, પરંતુ જે રસ્તા ઉપરથી તે પસાર થાય છે તે રસ્તો તો એ જ હોય છે, તેમાં ભેદ નથી હોતો, તેમ ઉચ્ચારણમાં વૃત્તિ ભેદ થવા છતાં વર્ષો તો એક રૂપ જ હોય છે, એટલે કે ઉતાવળ, આળસ વગેરેને કારણે વિકૃત ધ્વનિમાં ફેર થવા છતાં જે તે વર્ણના સ્વરૂપમાં ફેર પડતો નથી એમ અહીં કહેવા માગે છે. ઉ૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy