SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ कार्येषु शद्वेषु युगपदन्वाचयेन च यदुच्यते तस्य युगपद्वचनता प्राप्नोति ।तव्यत्तव्यानीयरः। ढक् च मण्डूकात्। इति ॥ यस्य पुन नित्याः शद्वाः प्रयुक्तानामसौ साधुत्वमन्वाचष्टे। ननु च यस्यापि कार्यास्तस्यापि न दोषः। कथम्। प्रत्ययःपरो भवतीत्युच्यते न चैकस्यापि प्रकृतेरनेकस्य प्रत्ययस्य युगपत्परत्वेन संभवोऽस्ति । नापि ब्रूमः प्रत्ययमाला प्राप्नोतीति । किं तर्हि । कर्तव्यमिति શબ્દો ને અનિત્ય માનવામાં આવે તો તચત્તવ્યાનીયર: ઢ ૨ માહૂત્િા (જેવાં સૂત્રોમાં) જેમનું એકી સાથે સામુહિક રીતે વિધાન કરવામાં આવ્યું હોય તેવા (તત્ તવ્ય મનીયમ્ કે ઢજૂ [ પ્રત્યયો એકીસાથે લગાડીને શબ્દોનું ઉચ્ચારણ કરવાનો પ્રસંગ આવશે. પરંતુ જેના મતે શબ્દો નિત્ય છે તે તો (શબ્દોનો) પ્રયોગ થયા પછી તેમના સાધુત્વ વિશે કહે છે.અરે પણ જેને મતે શબ્દો અનિત્ય છે તેને પણ આ દોષ નહીં આવે.કેવી રીતે નહીં આવે, ?? કારણ કે એમ કહેવામાં આવ્યું છે કે પ્રત્યય (પ્રકૃતિની) પાછળ(૧૨) લગાડવામાં આવે છે પણ અનેક પ્રત્યય એક સાથે એક જ પ્રકૃતિની પાછળ આવે તે શક્ય નથી. પ્રત્યયોની માળા થાય છે એમ અમે કહેતા નથી તો પછી શું કહેવા માગો છો)? સૂર્તવ્યમ્ એમ (એક તવ્ય પ્રત્યાન્તનો) અર્થમાં છે અને સૂત્રમાં ૨-કારનું ગ્રહણ કરીને અથવા સ્વરિત સ્વરદ્વારા તેનું વિધાન કરવામાં આવે છે. જેમ કે રિયાગ્નિષ્ઠા એ સૂત્રમાં – સ્વરિત છે.શંકાકારનું કહેવું છે કે જયાં અન્યાચય અને યુગપ૬ વિધાન કર્યું હોય ત્યાં જે તે પ્રત્યયનો એક સાથે પ્રયોગ થવાનો પ્રસંગ આવશે.તેથી યુગપદ્ વિધાનના દૃષ્ટાન્ત રૂપે જે તવ્યસ્ ત૨ અને મનીયર પ્રત્યયો કહ્યા તે એકી સાથે લાગુ પડવાનો પ્રસંગ આવશે અને અન્યાચય દ્વારા વિધાન થયું હોય ત્યાં પણ એક સાથે પ્રત્યયો થવાનો પ્રસંગ આવશે. તેથી મvહૂવા પછી ઢ, મનું વગેરે એક સાથે થવા જશે, કારણ કે જેઓ શબ્દને અનિત્ય માને છે તે પ્રયોગને લક્ષમાં લીધા વિના જ શબ્દોનું વ્યાખ્યાન કરે છે. પરંતુ જેઓ શબ્દને નિત્ય માને છે તે શબ્દના પ્રયોગને લક્ષમાં રાખીને પ્રયોગમાં શબ્દો જે રીતે જોવામાં આવતા હોય તેમને જ અનુલક્ષીને શાસ્ત્રમાં પ્રત્યય વગેરેની કલ્પના કરીને તેનું વિધાન કરે છે અને તે રીતે તેને સિદ્ધ કરે છે. આ બાબતને સ્પષ્ટ કરતાં નાગેશ રેખાગવયન્યાયનો ઉલ્લેખ કરે છે. જેવી રીતે રેખામાં દોરેલા ગવયના અવયવો સાચા ગવયના અવયવ જેવા જ હોય છે છતાં તે કલ્પિત હોય છે તેમ શાસ્ત્ર શબ્દનું વિશ્લેષણ કરે છે તે શબ્દ પણ નિત્ય અને અખંડ શબ્દ નથી પણ કલ્પિત, અનિત્ય અને સાવયવ છે એમ સમજાશે. આથી શબ્દની નિત્યતાને કોઇ હાનિ નહીં પહોંચે. 284 પ્રત્યય પાછળ આવે છે એમ પ્રત્યયઃ પર એ સૂત્રો ઉપરથી સમજાય છે તેથી ૬ તવ્યસ્ તવ્ય મનીયમ્ એમ થવાનો પ્રસંગ જ નથી, કારણ કે ત૨ અને અનીયમ્ એ ૪ ધાતુની પર નથી, કારણ કે બચ્ચે તત્ નું વ્યવધાન છે.અહીં શંકાકાર કહે છે કે લોકવ્યવહારમાં વ્યવહિત હોય છતાં તેને પૂર કહોમાં આવે છે તેમ અહીં પણ બની ર્ પર થઇ શકશે અને તેથી યુગપદ્દ પ્રયોગનો પ્રસંગ ઊભો જ રહેશે. તેનું સમાધાન એટલું જ કે લોકવ્યવહારના આવા પ્રયોગોમાં વચમાં જર રહેલ હોયતેને લક્ષમાં લીધા વિના જ અવ્યવહિતપણાનો આરોપ કરવામાં આવે છે અને એ રીતે પર શબ્દનો ત્યાં ઔપચારિક પ્રયોગ થાય છે. પરંતુ શાસ્ત્રમાં પર વગેરે શબ્દો તો અવયવહિતના અર્થમાં જ પ્રયોજવામાં આવે છે અને તેથી જ વ્યવહિતાશ્ચા એ સૂત્ર સાર્થક થાય છે.વળી લોક વ્યવહારમાં અવયવહિત હોય છતાં પર શબ્દ કદાચ પ્રયોજાય પણ શાસ્ત્રમાં તો અવયવહિત રીતે પાછળ આવ્યો હોય તેને જરૂર કહેવામાં આવે છે, કારણ કે ત્યાં તો અવયવહિતનો જ પ૨ તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં ઇરિસ પરેડા પરચા વગેરે સ્થળોએ પણ જે ઉત્તરાંગરહિત હોય એટલે કે અવયવહિત હોય તેને વિશે જ તરમાદ્રિત્યુત્તરથા એ પરિભાષા પ્રવૃત્ત થાય છે.ભાષ્યકારે સામે રોષઃ એ સૂત્રના ભાગમાં પ્રકૃતિ એક છે અને પ્રત્યય અનેક છે (HIVતિર્વહવશ યુગઃ I) એમ કહ્યું છે તેથી કોઇ શંકા કરે કે એક જ પ્રકૃતિની પાછળ અનેક વન્ આવી શકે તો તત્ વગેરે પણ એક પ્રકૃતિની પછી આવી શકે અને તો પછી દોષ ઊભો રહેશે. તેનો ખુલાસો કરતાં કેયટ કહે છે કે યમ્ ની જે (મ્ ) રૂપી આકૃતિ છે તે એક જ છે અને તે આકૃતિ પર થાય છે તેથી અવ્યવહિતતા જળવાઇ રહે છે અને દોષ આવતો નથી પરંતુ તત્ર વગેરેની આકૃતિ એક નથી ભિન્ન છે તેથી વ્યવધાન થાય છે, પરિણામે દોષ થાય છે. 285 શબ્દ કાર્ય છે એમ માનનારને દોષ આવશે એમ જે કહ્યું તેના જવાબમાં પ્રત્યય પર હોય છે અને અવ્યવહિત રીતે પર હોવા જોઇએ તેથી એકી સાથે અનેક પ્રત્યય આવવાનો પ્રસંગ નહીં આવે' તેમ કહીને બચાવ કર્યો. તેથી નિત્યશબ્દવાદી કહે છે કે એક જ પ્રકૃતિની પાછળ તત્યત્ ત૨ મનીયર એક સાથે આવીને પ્રત્યયની માલા થશે એમ એ કહેવા માગતો નથી, પરંતુ એક પ્રત્યયયુક્ત શબ્દનો ३२४ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy