SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ नैतद्विचार्यतेऽनड्वान्ननड्वानिति। किं तर्हि। आलब्धव्यो नालब्धव्य इति ॥ मेध्योऽनड्वान्विभाषित इति। कार्ये युगपदन्वाचययोगपद्यम् ॥१६॥ કરવામાં આવે છે) મેળોડનવન્વિભાષિતઃા (અર્થાત મેધ્ય બળદની બાબતમાં વિકલ્પ કરવામાં આવે છે). અહીં ‘બળદ કે બળદ સિવાય અન્ય કોઇ (પશુ)” એમ વિચારવામાં આવતું નથી. તો પછી શું વિચારવામાં આવે છે)? તેનું આલંભન (વધ) કરવું કે ન કરવું તે (વિકલ્પનો વિચાર કરવામાં આવે છે). (શબ્દને) અનિત્ય માનવામાં આવે તો જેમનું એકીસાથે સામુહિક રીતે વિધાન કરવામાં આવ્યું હોયતે બધા(શબ્દો)નું એકી સાથે (ઉચ્ચારણ કરવું પડશે) /૧૬ વિશે વિકલ્પ સમજવાનો છે. તેથી ભાગકાર કહે છે કે અહીં એનવાનું કે મનનવાન (બળદ કે જે બળદ ન હોય તે) એમ વિચારવામાં આવતું નથી, પરંતુ તેનું આલંબન કરવું કે ન કરવું એ વિચારવામાં આવે છે. આ ઉદાહરણ ઉપરથી સમજવાનું છે કે જયાં સાક્ષાત્ શ્રવણ થતું હોય ત્યાં પણ અયોગ્ય હોવાથી સંબંધ ન થઇ શકે તો જયાં શ્રવણ થતું ન હોય તેવાં (સમાસ સંજ્ઞા જેવાં) સ્થળે સંબંધ ન થઇ શકે તે દેખીતું છે. અહીં કે. શંકા રજુ કરે છે કે સમર્થઃ પદ્ધવિધિ એ સૂત્રની વાર્તિક વીવીનાનર્થવી સ્વમાસિદ્ધત્વાન્ાના ભાગ્યમાં કહ્યું છે કે વૃત્તિ અર્થાત્ સમાસ અને અવૃત્તિ અર્થાત્ વાક્ય-સમાસનો અભાવ- એ બન્ને સ્વાભાવિક છે અને વૃત્તિ કરવામાં આવે ત્યારે એકાથભાવ થાય છે. એ સ્થિતિમાં સંજ્ઞા અવશ્ય થાય છે, તેથી વિકલ્પ થાય છે તેમ કહેવું નિરર્થક છે. અહીં તો ભાગકાર કહે છે કે વિભાષાનો અવય સમાસ સંજ્ઞા સાથે કરવાનો છે. આમ એક સ્થળે વિકલ્પ નિરર્થક છે એમ કહેવું અને અહીં સમાસ સંજ્ઞામાં વિકલ્પ થાય છે એમ કહેવું એ તો સ્પષ્ટ વિરોધાભાસ છે. આ શંકાનું નિવારણ કરતાં કૈયટ-નાગેશ કહે છે કે સમર્થસૂત્રમાં સંજ્ઞાના ભાવ અને અભાવ અર્થાત્ સંજ્ઞા થાય પણ ખરી અને ન પણ થાય એમ જ કહ્યું છે તે વૃત્તિ અને વાક્યના મુખ્યાર્થના ભેદને આધારે કહ્યું છે. વાક્યમાં (અર્થાત્ સમાસ ન કર્યો હોય ત્યાં) ચપેક્ષા (પરસ્પરાકાંક્ષા) નો અર્થ છે. જેમ કે રાજ્ઞઃ પુરુષઃ | એ વાક્યમાં ૨ાનનું શબ્દ રાજાનો અને પુરુષ શબ્દ પુરુષનો એમ ભિન્ન અર્થ બતાવે છે અને તેમને પરસ્પર આકાંક્ષા રહે છે, એટલે કે રાજા પુરુષની અને પુરુષ રાજાની એમ પરસ્પર અપેક્ષા રાખે છે. પરંતુ જયારે તેમનો સમાસ (વૃત્તિ ) થાય ત્યારે રાનપુaષઃ એ સમાસમાં રાગનું શબ્દ માત્ર “રાજાનો” અને પુરુષ શબ્દ માત્ર પુરુષનો’ એમ ભિન્ન અર્થ ન દર્શાવતાં એક જ અર્થ (પુરુષ) બતાવે છે. આમ સમાસમાં પ્રાથમાવ થાય છે. હવે સમાસ હોય તો જ એકાથભાવ થાય છે તેથી ત્યાં સમાસ સંજ્ઞા થાય અથવા ન થાય એ પ્રકારના વિકલ્પને સ્થાન જ નથી તેથી ભાગકારે વાવ નો અર્થ નથી એમ કહ્યું છે. પરંતુ અહીં વૃત્તિ અને વાક્ય એ બન્નેના મુખ્યાર્થનો અભેદ છે એમ સ્વીકાર્યું છે. બન્નેનો એક જ અર્થ છે તેથી અહીં કહ્યું છે કે જે વિભાષા શબ્દ છે તેની યોજના (અન્વય) સમાસ સંજ્ઞા સાથે કરવાની છે. તેથી એક જ અર્થ દર્શાવતાં રાજ્ઞઃ પુરુષ એ વાક્ય અને રાનપુરુષઃ એ સમાસ અર્થાત્ વૃત્તિમાં, જયારે વૃત્તિ હોય ત્યારે, સંજ્ઞા થાય અને ન હોય ત્યારે ન થાય, એ કારણે વિકલ્પ થશે.આથી ઉપર જે શંકા કરી કે વિરોધાભાસ થાય છે તે નિર્મૂળ છે. વળી વૃત્તિ અને વાક્યના મુખ્યાર્થનો અભેદ સ્વીકારવાથી એ બન્ને સાધુ પ્રયોગ થઇ શકશે, કારણ કે વિકલ્પને પ્રતાપે જે સાધુ છે તે અન્યનો નિવર્તક નહીં થઇ શકે. જેમ કે વૃત્તિને સાધુ માનવાથી તેનો જ અર્થ દર્શાવતું વાક્ય અસાધુ થવાનો સંભવ છે અને તેથી વૃત્તિ વાક્યનું નિવર્તક થાય, પરંતુ વિકલ્પ છે તેથી અભિન્ન અર્થવાળાં વૃત્તિ અને વાક્ય બન્ને સાધુ થશે અને કોઇ પોતાનાથી ભિન્નનું નિર્તક નહીં થાય.એ પણ બન્નેના અર્થને અભિન્ન ગણવાનો લાભ છે. 283 શબ્દ કાર્ય છે એ મત પ્રમાણે આ દોષ આવશે એમ નિત્યશબ્દવાદી બતાવે છે. જયારે સૂત્રમાં એક સાથે કઈક વિધાન કરવામાં આવ્યું હોય,જેમ કે તરાવ્યાનીયર: પ્રમાણે તચત્ તવ્ય અને અનીયમ્ અહીં ધાતુને વિશે ત્રણ પ્રત્યયોનું એક સાથે (યુપત) વિધાન કરવામાં આવ્યું છે. આ યુISત્ નું ઉદાહરણ છે. જ્યારે સૂત્રમાં ૨-કારનું ગ્રહણ કરીને અન્યને આવરી લેવામાં આવ્યાં હોય ત્યારે અન્યાય થયો કહેવાય. જેમ કે ઢમ્ ૨ મદૂતા (૪-૧-૧૧૯) પ્રમાણે અપત્યના અર્થમાં મર્દૂ શબ્દને ઢમ્ લાગે છે. અહીં જેને કારણે પૂર્વે રહેલા શિવાભ્યિોડK (૪-૧-૧૧૨) એ સત્રમાં જેનું ગ્રહણ છે તે મ નું પણ અનુકર્ષણ થશે (આ સૂત્રમાં ખેંચી લવાશે). પરિણામે મહૂવને ઢ૬ લાગીને માવ્યઃ થશે અને મન્ લાગીને માઇનૂ પણ થશે.અહીં નોંધવું જોઇએ કે મહૂજા શબ્દ - કાન્ત હોવાથી તેને મત ત્રા પ્રમાણે લગીને માઃિ એમ ત્રીજુંરૂપ પણ થશે.અહીં કે. નોંધે છે કે વાર્તિકમાં જે મન્વાય શબ્દ પ્રયોજયો છે તે સમુચ્ચયના ३२३ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy