SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धमेतत्। कथम्। पूर्वविधिमुत्तरो विधिर्बाधते। इतिकरणोऽर्थनिर्देशार्थ इत्युक्तम् ॥ साध्नुशासनेऽस्मिन्यस्य विभाषा तस्य साधुत्वम् ॥१४॥ साध्नुशासनेऽस्मिन्यस्य विभाषा तस्य स विभाषा साधुः स्यात्। समासश्चैव हि विभाषा तेन समासस्यैव साधुत्व स्यात् । अस्तु। यः साधुः स प्रयोक्ष्यतेऽसाधुन प्रयोक्ष्यते। એ સિદ્ધ થશે કેવી રીતે ? પૂર્વે કહેલા વિધિનો પછીથી કહેલા વિધિ દ્વારા બાધ થાય છે. (આ સૂત્રમાં) જે રતિ શબ્દ મૂકવામાં આવ્યો છે તે (ન અને વા નો ) અર્થ સૂચવવા માટે છે, એમ કહ્યું છે. સાધુત્વનું અનુશાસન કરનારા આ (શાસ્ત્રમાં) જેની વિભાષા કરવામાં આવે છે તે (વિકલ્પ) સાધુ ગણાય છI૧૪ો. (શબ્દોના) સાધુત્વનું પ્રતિપાદન કરતા આ (વ્યાકરણ) શાસ્ત્રમાં જેને વિશે વિભાષા કરવામાં આવે છે તે વિકલ્પ સાધુ થશે અને સમાસ (કરવામાં આવે છે તે તો વિકલ્પ જ થાય છે તેથી સમાસ પોતે જ વિકલ્પ સાધુ થશે.ભલે (તેમ)થાય. જે સાધુ હશે તેનો પ્રયોગ થશે, અસાધુનો પ્રયોગ નહીં થાય. 274 સૂત્રમાં નતિ વિમા એમ કહ્યું છે તેથી વિભાષા પ્રદેશોમાં ન શબ્દ જ આદેશ તરીકે મૂકવો જોઇએ અને તો પછી તેનો અર્થ કઈ રીતે લઇ શકાશે એ પ્રકારની શંકાને લક્ષમાં રાખીને ભાખ્યકારે રતિવરનોડર્થનિર્ધ્વાર્થ એમ કહ્યું છે. અહીં સૂત્રમાંનો તિ શબ્દ ન અને વા બન્નેની સાથે લેવાનો છે તેથી ન તિ વા તિ એમ યોજના કરીને તે બન્નેના, પ્રતિષેધ (ન) અને વિકલ્પ (વા) એ બે અર્થોની વિભ ષિા સંજ્ઞા કરવામાં આવી છે તેમ સમજવાનું છે અને તે બે ભિન્ન વાક્યો (વાવયમેટું) બનાવીને તેમના અનુક્રમે અનવય કરવાનો છે. આથી કેવળ પ્રાપ્તવિભાષા તેમ જ ઉભયત્ર (પ્રાપ્તાપ્રાપ્ત) વિભાષા પ્રદેશોમાં નિષેધ અને વિકલ્પ એ બન્ને અર્થ અનુક્રમે ઉપસ્થિત થશે. જયારે શુદ્ધ અપ્રાપ્તવિભાષાના પ્રદેશોમાં નિષેધને અવકાશ નથી તેથી માત્ર વિકલ્પ જ ઉપસ્થિત થશે.આ સૂત્રના ઉદાહરણ રૂપે) ભ ષ્યિમાં વિમાન છેઃા એ સૂત્ર આપ્યું છે તેથી સમજાય છે કે આ સંજ્ઞા સૂત્રનો વિષય ઉભયત્ર વિભાષા છે. આમ વિભાષા માટે આ સૂત્ર આવશ્યક છે છતાં અન્યત્ર પણ જે તે સૂત્રમાં સંદર્ભ અનુસાર લેવામાં આવેલ અર્થ પ્રમાણે તે સંજ્ઞાનો બોધ થાય છે. માટે ભાષ્યકારે આગળ કહ્યું છે કે વા દિ કાને વિમા તમમુપચિતે મતિ નેતિ નેતિ જા તેથી કોઇ વિરોધ થતો નથી એમ કહ્યું છે તે અને કૈયટે માત્ર ઉભયત્ર વિભાષામાં આ સૂત્ર ઉપયોગી છે તેમ કહ્યું છે તેમાં કોઇ અસંગતિ નથી એમ નાગેશ નોધે છે. 275 વૈયાકરણ શબ્દને નિત્ય માને છે તેથી સ્પષ્ટ થાય છે કે વ્યાકરણ શાસ્ત્ર શબ્દોને ઉત્પન્ન કરનાર શાસ્ત્ર નથી. તેનો વિષય શબ્દના સાધુત્વનું પ્રતિપાદન કરવું એ છે. એટલે કે આ શાસ્ત્રમાં જેને સિદ્ધ ગણવામાં આવ્યું હોય તે સાધુ એમ સમજાશે. આમ સાધુત્વ એ જ આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેથી જયારે વિભાષા એમ કહેવામાં આવ્યું હોય ત્યારે તે દ્વારા દર્શાવાતા વિકલ્પનો સંબંધ સાધુત્વ સાથે થશે એટલે કે વિભાષા શબ્દને સાધુત્વ સાથે યોજવો પડશે પણ તેના ઉદ્દેશ્યભૂત સમાસસંજ્ઞા વગેરેની જોડે નહીં. પરિણામે જેને અનુલક્ષીને વિભાષા કરવામાં આવે છે તે વિકલ્પ અધુ છે એમ સમજાશે.સમાસ વિકલ્પ થાય છે (સમસઃ વિમા ) એમ કહ્યું છે તેમાં સાધુત્વનો જ વિકલ્પ થશે, એટલે કે સમાસ વિકલ્પ સાધુ છે તેમ સમજાશે.મહાભાષ્યકારે સમાસનું દૃષ્ટાન્ન આપ્યું છે પરંતુ ભાષ્ય -માં સમાસના સંદર્ભમાં વિભાષા અધિકારનું પ્રત્યાખ્યાન કરવામાં આવ્યું છે તે વાતને લક્ષમાં રાખીને કૈયટે ધિ ધાતુને લગતી વિભાષા નું પ્રાન્ત આપ્યું છે. સૂત્રકારે વિમાથા જે એમ કહ્યું છે તેથી ધિ ધાતુનાં રૂપોમાં કરેલું સંપ્રસારણ વિકલ્પ સાધુ થશે અને અન્ય પક્ષે અસાધુ થશે. ३२१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy