SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ क्वचिद्याकरणे समानलिङ्गो निर्देशः क्रियत. इति। अपि च कामचारः प्रयोक्तुः शद्वानामभिसंबन्धे। तद्यथा। यवागूर्भवता भोक्तव्या नवा । यदा यवागूशद्बो भुजिनाभिसंबध्यते भुजिनवाशद्वेन तदा प्रतिषेधवाचिनः संप्रत्ययो भवति। यवागूर्भवता भोक्तव्या नवा। नेति गम्यते। यदा यवागूशद्बो नवाशद्वेनाभिसंबध्यते न भुजिना तदा प्रत्यग्रवाचिनः संप्रत्ययो भवति। यवागूर्नवा भवता भोक्तव्या । प्रत्यग्रेति गम्यते। न चेह वयं विभाषाग्रहणेन सर्वादीन्यभिसंबध्नीमः। दिक्समासे बहुव्रीहौ सर्वादीनि विभाषा भवन्तीति। कि तर्हि । भवतिरभिसंबध्यते। दिक्समासे बहुव्रीहौ सर्वादीनि भवन्ति विभाषेति ॥ विध्यनित्यत्वमनुपपन्न प्रतिषेधकरणात् ॥६॥ જાણતા નથી કે વ્યાકરણમાં કોઇ સ્થળે સમાન લિંગયુક્ત નિર્દેશ કરવામાં આવે છે.વળી શબ્દોની પરસ્પર યોજના કરવામાં બોલનારને છૂટ હોય છે.260 જેમ કે થવપૂર્મવતા મોવ્યા નવાં એવાક્ય)માં થવા| શબ્દને મુન્ ધાતુ સાથે યોજવામાં આવે અને મુન્ ધાતુને નવા શબ્દ સાથે લેવામાં આવે તો નિષેધવાચી (નવા શબ્દ) નો બોધ થશે. પરંતુ જયારે યુવાનૂ શબ્દને મુન ધાતુ સાથે નહીં પણ નવા શબ્દ સાથે જોડવામાં આવે ત્યારે ‘તાજી” એ અર્થવાચી (નવા શબ્દ)નો બોધ થાય છે. જેમ કે થવાવા મવતા મોચા અર્થાત્ તાજી (વા) એ અર્થ સમજાય છે. પરંતુ આ વિમાવા હિતમારે 54 સૂત્રમાંના વિભાષા શબ્દને અમે સલીનિ સાથે લેતા નથી કે જેથી “દિશાવાચી શબ્દનો બહુવ્રીહિ સમાસ થાય તેમાં સર્વ વગેરે વિકલ્પ (સર્વનામ-સંજ્ઞક) થાય છે” એમ અર્થ સમજાય. તો પછી કોની સાથે લ્યો છો) ?મતિ સાથે વિમાષા ને) લઇએ છીએ.તેથી દિશાવાચી બદ્ધતિમાં સર્વાધેિ વિકલ્પ (સર્વનામ) થાય છે” એમ(સમજાશે). વિધિ અનિત્ય હોય તે ઉચિત નથી, કારણ કે વિમા એ) પ્રતિષેધની સંજ્ઞા દા 259 તિથૈવ ન નાનીમઃ - એટલે કે વ્યાકરણમાં સમાન લિંગ નિર્દેશ કોઈ પણ ઠેકાણે નથી. આમ કહીને પ્રત્યુદાહરણ તરીકે કૈયટ વિમા સેનાસુરીશારીાિનિરીનામું આપીને નોંધ્યું છે કે એ સૂત્રમાં જો કે સમાનલિંગ નિર્દેશ છે છતાં બન્નેની વિભક્તિ ભિન્ન હોવાથી સમાનાધિકરણ્ય નથી અર્થાત્ વ્યધિકરણ છે, કારણ કે તેના/ર૦ ઇત્યાદિ સમાસ ષષ્ઠી બહુવચનાન્ત છે જયારે વિમાપા તેમ નથી. આથી (ના.) કહે છે કે આમ સમાન લિંગ નિર્દેશ શાસ્ત્રમાં કોઇ જગાએ જોવામાં આવતો નથી તેથી પ્રત્યa (નવું) એ અર્થનો બોધ નહીં થાય. 260 અહીં બે રીતે અન્વય થઈ શકતો હોય ત્યાં બેમાંથી કોની સાથે લેવો તેનો નિર્ણય કેવી રીતે થઇ શકે , એ પ્રશ્નને લક્ષમાં રાખીને કૈયટ કહે છે કે સંદર્ભના પ્રતાપે વિશેષ અર્થ સમજાય છે. જેમ કે યવાગૂનું ભોજન ન કરવું જોઇએ એમ કોઇ સમજતું હોય ત્યાં થવા_મેવતા મોલ્યા નવા એ વાક્યમાં નવા એટલે તાજી એમ અર્થ થશે. પરંતુ કોઇ રોગપીડિતને ભારે ખોરાક ન ખાવાનું કહેવામાં આવે ત્યારે તે જ વાક્યમાંથી, તમારે યવાગૂ ન ખાવી જોઇએ, એમ નિષેધનો બોધ થશે. 20ા એ સૂત્ર પ્રમાણે જે ફિબહુવ્રીહિ સમાસ થાય છે તેમાં સર્વાધેિ ની વિકલ્પ સર્વનામ સંજ્ઞા થાય છે, જેથી ઉત્તરપૂર્વ, ઉત્તરપૂર્વી એમ બન્ને પ્રકારનાં રૂપો થઇ શકશે. આ માટે સૂત્રકારે વિમાષા દિવસમારે માં વિમાના શબ્દનું ગ્રહણ કર્યું છે અને દિલબહુવ્રીહિમાં સર્વ વગેરેની વિકલ્પ સર્વનામ સંજ્ઞા થાય છે એમ તેનો અર્થ થશે, કારણ કે અહીં સીનિ સર્વનામાના ની અનુવૃત્તિ થાય છે. અહીં વિમાથા નો સંબંધ સર્વાલીનિ સાથે નથી (નહીં તો પ્રત્યગ્ન-તાજ સર્વાઃિ એમ અર્થ થવાનો પ્રસંગ આવે, પરંતુ મર્યાન્તિ એ ક્રિયાપદ સાથે છે, કારણ કે અહીં કિયા પ્રધાન છે. તેથી વિકલ્પ થશે એમ અર્થ થશે. 262 વિધિનું અનિત્યત્વ એટલે વિધિ કવચિત્ લાગુ પડે અને કવચિત્ લાગુ ન પડે એ સ્થિતિ અર્થાત્ વિકલ્પ જે સૂત્રોમાં વિમાTM શબ્દનું ગ્રહણ હોય તે પ્રદેશ સૂત્રોમાં વિકલ્પ થાય તે ઘટતું નથી, કારણ કે ન વેતિ વિમા એ સંજ્ઞા સૂત્રમાં નવા એ પ્રતિષેધવાચી શબ્દદારા વિભાષા સંજ્ઞા કરવામાં આવી છે તેથી વિભાષા પ્રદેશોમાં પ્રતિષેધનું જ ભાન થશે. પરિણામે વિમાષા માં પણ પ્રતિષધનો જ બોધ થશે, વિકલ્પનો નહીં. આથી બ્ધિ ધાતુનાં દ્િ નાં રૂપોમાં જે વૈકલ્પિક રૂપો શિલ્પા શિંધિતુઃ ફિશ્વિયુઃ અને મીરાવ રાવતુઃ ગુરઃ પ્રાપ્ત થાય છે તે નહીં થાય. ३१६ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy