________________
52
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેક્ષણ સોમતિલકસૂરિજી “ભૂષણાદિથી સત્કાર કર્યો સુમતિમુનિ “અશ્વો અને સુવર્ણાદિથી સત્કાર કર્યો અને સ્થાનસાગરજી – “વસ્ત્ર-આભૂષણથી સત્કાર કર્યો' એવું વિશેષ જણાવે છે. જ્યારે નંદલાલજી તો “રાજા અગડદત્તની કલાથી એટલા ખુશ થયા કે તેને પ્રધાનપદ આપ્યું એવું કહે છે. માત્ર હાથી પકડવાની કલાથી ખુશ થઈ પ્રધાનપદ આપી દેવું એ વ્યવહારિક જણાતુ નથી. જ પારિવ્રાજક વેષમાં આવેલો ચોર કુશળતાથી ચોરી કરતો હતો, તેની ચીર્યકુશળતાને કારણે નગરના આરક્ષકો તેને પકડી શકતા ન હતા, પરંતુ કેટલાક રચનાકારો તેની ચોરીની કુશળતાને બદલે તેને વિદ્યાસિદ્ધ બતાવે છે. સામતિલકસૂરિજી ‘ચોર વિદ્યાથી નજર બાંધે છે. એવું કહે છે. ભાવવિજયજી “ચોર અદ્રશ્ય થાય છે એવું રજૂ કરે છે, જ્યારે નરચંદ્રસૂરિજી બન્ને વાત કરે છે કે ‘લોકોની નજરબંધી કરી જેથી તે દેખાતો બંધ થયો'. નંદલાલજી તે ચોર પાસે તાલોદ્ઘાટિની અને અદ્રશ્યભવની એ બે વિદ્યા વર્ણવે છે. કુશલલાભજી તે બે ઉપરાંત ત્રીજી અવસ્થાપિની વિદ્યા પણ દર્શાવે છે. જ તે ચોર કોઈ શ્રેષ્ઠીના ઘરે શ્રીવત્સ આકારનું ખાતર પાડે છે. તેમાં નરચંદ્રસૂરિજી સોમતિલકસૂરિજી અને સ્થાનસાગરજી ખાતરની આકૃતિ નથી જણાવતા. કુશલલાભજી “ચોરે ખાતર મદનમંજરીના પિતા સાગરશેઠને ત્યાં પાડ્યું એવું કહે છે. જ્યારે નંદલાલજી ધનપતિ શેઠના ઘરે ખાતર પાડ્યા વિના જ ચોરી કરવાની વાત કરે છે, કારણ કે તે વિદ્યાસિદ્ધ છે. આ અગડદત્ત ચોરને પડકાર ફેંકે છે. અને તેની જંઘા છેદી નાખે છે. પરંતુ, સંઘદાસગણિજી – અગડદત્ત ચોરના ખભા પર પ્રહાર કર્યો અને તેનું અડધું શરીર છેદાઈ ગયું' એવું પ્રદર્શિત કરે છે. કુશલલાભજી અને નંદલાલજી ચોર અને અગડદત્ત વચ્ચે થોડો સંઘર્ષ બતાવે છે. કુશલલાભજી જણાવે છે કે “અગડદત્તને મારવા ચોર તેની પાછળ પડ્યો, અંતે યુક્તિથી ચોરને છેતરીને તેની જંઘા છેદી.” જ્યારે નંદલાલજી કહે છે કે “ચોર નાસ્તો અને અગડદત્ત તેની પાછળ પડ્યો.” જ ચોરની બહેન વીરમતી છે. સંઘદાસગણિજી તેનું નામ નથી આપતા, સુમતિમુનિ અને નંદલાલજી વીરમતીને ખેચરી બતાવે છે. તથા નંદલાલજી તો તેને પુત્રી તરીકે વર્ણવે છે. જ પ્રથમ પ્રવાહમાં અગડદત્તના રાજપુત્રી સાથેના લગ્નની વાત નથી. જ્યારે દ્વિતીય પ્રવાહમાં ચોરને પકડવા બદલ રાજાએ ખૂશ થઈને અગડદતને પોતાની પુત્રી તથા હાથી, ઘોડા વગેરે સમૃદ્ધિ આપ્યાની વાત છે. પ્રથમ પ્રવાહની બે કૃતિઓ-શાન્તિચંદ્રસૂરિજી કૃત ઉત્તરા ની ટીકા તથા સંવેગરંગ-શાલામાં કથા અહીં પૂર્ણ થાય છે. સંવેગરંગશાલામાં “અગડદત્ત કાળક્રમે પોતાની નગરીમાં પાછો જાય છે અને રાજા પિતાની ઋદ્ધિ અગદત્તને પાછી આપે છે.” આટલો કથાઘટક લંબાવીને કથાનું સમાપન થયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org