SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અગડદત્ત રાસમાલા પાસ જિણેસર પયનમી, સમરી સરસતિ દેવ; અભયધર્મ ઉવઝાય ગુરુ, પયપંકજ પ્રણમેવ. પુન્યનિધાન વાચકનું મંગલાચરણ સર્વથી જુદું તરી આવે છે. પ્રથમ દૂહામાં પરમેશ્વર, સદ્ગુરુ અને સરસ્વતી દેવીને પ્રણામ કરીને દ્વિતીય દૂહામાં તેમના પ્રણામનું ફળ દર્શાવ્યું છે. પરમેશ્વર ઘઈ અચલ પદ, સદગુરુ શ્રુત સુવિચાર; સરસતિ વચન-વિલાસ ઘઈ, તિણિ તીને તતસાર. 45 વિષય-દર્શન કર્તાઓએ આ એક જ ચરિત્રને જુદા-જુદા વિષયો પર દ્રષ્યંત તરીકે વર્ણવ્યું છે. એક જ ચરિત્રમાંથી અગલ-અગલ દ્રષ્ટિકોણથી કેવો-કેવો બોધ મળી શકે? તે આના પરથી સમજાય તેવું છે. સામાન્યતઃ નિદ્રાત્યાગ/અપ્રમત્તતાના વિષયમાં અગડદત્ત-કથાનું નિરૂપણ થયું છે. તેમાં પણ શાન્તિસૂરિજી, ગુણવિનયજી અને પુન્યનિધાન વાચકે દ્રવ્યનિદ્રાત્યાગનો વિષય દર્શાવ્યો છે, જ્યારે શ્રીસુંદરજી, લલિતકીર્તિજી, ભાવવિજયજી અને લક્ષ્મીવલ્લભગણી દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારે નિદ્રાત્યાગનો વિષય દર્શાવે છે. સંઘદાસગણિજી, સોમતિલકસૂરિજી અને કુશલલાભ વાચક સ્ત્રીચરિત્રની કુટિલતાને જાણીને વિરક્ત થવા પર આ ચરિત્ર નિરૂપે છે. સંઘદાસગણિજીની રચના સૌથી પ્રાચીન છે અને સમગ્ર ચરિત્રનું અવલોકન કરતા પણ આ વિષય વધુ યોગ્ય જણાય છે. જો કે ‘અગડદત્ત પ્રમાદમાં ન પડ્યો અને જાગૃત રહ્યો તો તે આત્મરક્ષણ કરી શક્યો’ એ કથાઘટક નિદ્રાત્યાગનો બોધ આપે જ છે. શાન્તિસૂરિજી અને જિનચન્દ્રસૂરિજીએ નિદ્રાત્યાગના વિષયને અનુરૂપ માત્ર-અગડદત્તને અપ્રમત્તતાથી થયેલા લાભ સુધીનો જ કથાઘટક વર્ણવ્યો છે, અહીં સ્ત્રીચરિત્ર વિષે કોઈ વાત નથી, માટે અહીં વિષય તરીકે ‘નિદ્રાત્યાગ’ જ યોગ્ય છે. પરંતુ, જ્યાં સમગ્ર કથાને આવરી લેવામાં આવી છે ત્યાં તો સ્ત્રીચરિત્રની કુટિલતાનો વિષય વધુ યોગ્ય જણાય છે. વિષયદર્શનની બાબતમાં નરચંદ્રસૂરિજી સર્વથી અલગ તરી આવે છે. તેમણે આ કથાનક ‘ગુણાર્જન’ના વિષયમાં મુક્યું છે. સુમતિમુનિએ, સ્થાનસાગરજીએ અને નંદલાલજીએ કોઈ પણ વિષય નિરૂપણ કર્યા વિના જ અગડદત્ત રાસની રચના કરી છે. આમ, જુદા-જુદા કર્તાઓ દ્વારા જુદા-જુદા વિષયો પર દ્રષ્યંત તરીકે રજૂ થયેલી એકની એક કથામાંથી મળતા વિવિધ બોધનો પરિચય આવી રીતે તુલનાત્મક અધ્યયન દ્વારા મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy