SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 14 પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય દ્રષ્ટાંત : ‘સંપદ આપદ હોઈ ગરુઆં ઈતર ઉવેખી. રાહુ ગ્રહણ તું દેખિ, સસધર દિનકર વિચઈ; તારાગણ નવિ હોઈ, રાહુ ગ્રહણ અવિલંબઈ’. ૨૬૦ સંપત્તિ અને આપત્તિ બન્ને ઉત્તમ પુરુષોને જ પ્રાપ્ત થાય છે, અધમ પુરુષોને નહીં, આ હકીકત પુરવાર કરવા કવિ દ્રષ્ટાંત આપે છે કે રાહુનું ગ્રહણ સૂર્ય કે ચન્દ્રને જ હોય છે, તારાઓને નહીં. આ રાસમાં કવિએ સંસ્કૃતભાષામાં વપરાતા સામાસિક પદો મૂક્યા છે. દા.ત. (૧) વિરહાનલતાપિતતનુદેશ. ૧૯૮ (૨) હરખરોમાંચિત દેહા. ૨૧૬ (૩) કૃતવ્રતિવેષો. ૨૩૯ (૪) અલિકુલકજ્જલવન્ત, ફણિમણિકિરણવિભાસુર. ૨૭૪ વગેરે. ઘણી જગ્યાએ ‘કઈ’ (હિંદીમાં-કે) ષષ્ઠીનો અનુગ વાપર્યો છે. વાઘકઈ. ૨૭૧, તરુકઈ. ૩૧૭, તુમ્હકઈ. ૩૨૨ વગેરે... કડી ૩૧૮માં જાણે પ્રાકૃતમાંથી સંસ્કૃતભાષાના પરિવર્તનના વ્યાકરણિક નિયમો સમજાવવા ક્રમસર ઉદાહરણો મૂક્યા છે. Jain Education International ૨૫૯ પ્રાકૃત > સંસ્કૃત પ્રાકૃત > સંસ્કૃત ન > ન સંપન્ના > સપના ન > ન્ય ધન્ના > ન > સંપૂના > ન > શ પન્ના > પ્રજ્ઞા આમ, કાવ્યદ્રષ્ટિએ આ રાસ આસ્વાદ્ય કૃતિ બની રહે છે. ધન્યા સંપૂર્ણા ૫) લલિતકીર્તિજી કૃત અગડદત્ત રાસ જેઠ સુદ-૧૫, રવિવાર, સં. ૧૬૭૯ના વર્ષે ભૂજ (કચ્છ)માં આ રાસની રચના થઈ છે. જેના કર્તા ખરતરગચ્છમાં કીર્તિરત્નસૂરિજી > ઉપા. હર્ષવિશાલજી > ઉપા. હર્ષધર્મજી > સાધુમંદિરજી > વિમલરંગજી – લબ્ધિકલ્લોલજીના શિષ્ય છે. આ સિવાય તેમના જીવનની અન્ય કોઈ માહિતી કે આ સિવાય બીજી કોઈ રચના પ્રાપ્ત થઈ નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy