SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 140 આવી તો અનેક પ્રાર્થનાઓ ગદ્ગદ્ કંઠે કરીને તેણે ખૂબ હળવાશની અનુભૂતિ કરી. અગડદત્ત થોડીવારે જિનાલયમાંથી બહાર આવ્યો. અને સામું જોયું તો કોઈ મુનિવર દેશના આપતા હતા! ‘અરે! આજે તો મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. ખરેખર! મારા ભાગ્યના દ્વાર તો આજે ખૂલી જ ગયા છે. પરમ શાંતિદાયક પ્રભુના દર્શન થયા તો ભવોદધિતારક મુનિના પણ દર્શન થયા.’ અગડદત્ત કથા અગડદત્ત ભાવપૂર્ણ હૃદયે મુનિની નજીક પહોંચ્યો. આ મુનિ સાહસતિ નામના ચારણ શ્રમણ હતા. તેમની વૈરાગ્યસભર દેશના ચાલી રહી હતી. અગડદત્ત પણ વંદન કરી દેશના સાંભળવા બેઠો. મુનિએ દેશનામાં જબરદસ્ત વૈરાગ્યરસ પીરસ્યો. દેશના પૂરી થતાં દેશના સાંભળવા બેઠેલા પાંચ યુવાનોએ વિનંતી કરી. ‘હે ક્ષમાશ્રમણ! આ સંસારથી અમે પાંચેય વિરક્ત થયા છીએ. અમારા પર કૃપા કરો, અમને તારો, ભવોદધિતારિણી દિક્ષા આપો.’ GENNNAKKALAN ZEENAN Jain Education International ભર યુવાન વયે સંસારનો ત્યાગ કરવાનું સામર્થ્ય ધરાવતાં પાંચેયને જોઈ અગડદત્તના આશ્ચર્યનો પાર ન રહ્યો. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy