________________
136
અગડદત્ત કથા
અગડદત્તે તાપણું કરવા લાકડા બરોબર ગોઠવ્યા. મદનમંજરીને તલવાર આપી અને પોતે ઘૂંટણ જમીન પર ગોઠવી અગ્નિ પ્રજ્વલિત કરવા નીચા નમીને ફૂંક મારી ત્યાં જ તલવાર ભૂમિ પર પડી. એકદમ ચોંકી જઈને અગડદા ઊભો થઈ ગયો. મદનમંજરીને સકોપ પૂછ્યું.
શું થયું? તલવાર મ્યાનમાંથી નીકળીને નીચે કેમ પડી ગઈ?” એમાં આટલા ગુસ્સે શું થાવ છો?”
વજનદાર તલવાર શક્તિનો વિચાર કર્યા વગર મને પકડાવી દીધી, મારાથી બે હાથેય ઉપડી નહીં એમાં મારો વાંક?' મદનમંજરીએ પોતાની સુકુમારતા દર્શાવી.
“એક બાજુ ઠંડીથી મારા હાથ ધ્રુજે અને બીજી બાજુ થાકથી શરીર કળે, પછી તલવાર મ્યાનમાંથી નીકળીને પડી ન જાય તો બીજું શું થાય?'
અગડદત્ત પણ થાક અને ઊંઘની પરિસ્થિતિ પામી જઈ વધુ ચર્ચા ન કરી અને અગ્નિ પેટાવ્યો. ત્યારબાદ બન્નેએ નિદ્રાના શરણે જઈ બધો શ્રમ ઠાલવી દીધો.
બીજા દિવસે સવારે રથમાં બેસી બન્ને નગરમાં પહોંચ્યા. મહારાણીએ આખી રાત પુત્રની ચિંતામાં જ પસાર કરી હતી. સવારે અગડદત્તને જોયો ને કાંઈક શાંતિ થઈ. અગડદત્ત પણ માતાને તથા પિતાને પ્રણામ કર્યા.
વત્સ! રાત્રિ સુખપૂર્વક પસાર થઈ?” હા પિતાજી! આમ તો સુખપૂર્વક જ પસાર થઈ.” આમ તો, એટલે?” પિતાએ સાશ્ચર્ય પૂછ્યું.
એક વિદન આવી પડેલું.” આ સાંભળતા જ મહારાજા કાંઈ બોલે એ પહેલા મહારાણી બોલી ઊઠી. ‘વિપ્ન?... શું થયું પુત્ર? ક્ષેમ-કુશળ તો છે ને? ‘મારી પુત્રવધૂને તો કાંઈ તકલીફ થઈ નથી ને? માતાના મુખ પર ચિંતાની લાગણીઓ ઉપસી આવી. હા, માતાજી! આપની વિનીત ને માનીતી પુત્રવધૂને જ આપત્તિ આવી હતી.” કેવી આપત્તિ?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org