________________
114
અગડદત્ત કથા
બન્નેએ માંડીને વાત કરી. “બધાને શેમ-કુશલ છે પરંતુ, કુમાર! આપના ગયા પછી મહારાણીજીની તો હાલત કફોડી થઈ ગઈ. રોજ-રોજ મહારાજાને ઓળંભા દે છે. કરૂણ કલ્પાંત કરે છે. રાત-દિવસ રડી-રડીને પોતાની આંખોના તેજ પણ ગુમાવી દીધા છે. મહારાજાજીને પણ પાછળથી ખૂબ જ પસ્તાવો થયો. ચારે બાજુ તપાસ કરાવી. દૂતો મોકલ્યા પણ ક્યાંય તમારી ભાળ ન મળી. થોડા દિવસ પહેલા કોઈના મુખે તમારું યશોગાન સાંભળ્યું. અને તરત જ તમને લેવા અમને બન્નેને આ તરફ રવાના કર્યા.”
કુમાર! હવે ઢીલ ન કરશો, શીઘતાએ જ પાછા ચાલો હવે જો વધુ કાલ વ્યતીત થયો. તો તેઓનું જીવન જોખમમાં છે.'
“મારું મન પણ માતા-પિતાને ઝંખતું હતું. તેમાં પણ પિતાજીએ જ સામેથી તેડું મોકલ્યું છે. તો હવે, ઢીલ કરવાનો કોઈ અવસર જ નથી.”
અગડદને સુવેગ-વાયુવેગનો ઉચિત સત્કાર કર્યો અને કહ્યું. “પિતાશ્રીએ તો મને ઉન્માર્ગથી બચાવ્યો. અને માતાજીએ આપેલા આશિષથી જ તો હું આટલે સુધી પહોંચ્યો. તમે બને જલ્દીથી શંખપુર પહોંચી માતા-પિતાને સમાચાર જણાવો કે હું બને તેટલું જલ્દી પહોંચી જઈશ.'
જી રાજ!.” અગડદને બન્નેને માનભેર વિદાય આપી. અને સીધો પહોંચ્યો મહારાજા પાસે. રાજી એક જરૂરી કાર્ય આવ્યું છે.' નિઃસંકોચ કહો કુમાર.” “શંખપુરથી બે દૂત આવ્યા હતા.' તમને લેવા આવ્યા હશે?” રાજાએ પૂર્વ વૃત્તાન્તને લક્ષમાં રાખી કટાક્ષ કર્યો. પરંતુ, અગડદને તો હા પાડી.
હા રાજ! માતા-પિતા મારા વિરહથી દુઃખી છે. મારી ત્યાં ઉપસ્થિતિ અનિવાર્ય બની છે. અને આમ પણ કહેવાય છે પુરુષ સાસરે વધુ ન શોભે.”
પરંતુ કુમાર! તમારી ખોટ તો અમને ય દુઃખી કરશે... મારી એક વાત માનશો?” “એમાં પૂછવાનું જ ન હોય રાજ!'
વારાણસી નગરીને છોડી આજે ભલે જવા તૈયાર થયા છો. પણ પાછા આ ભૂમિ પર પગલા પાડી અમને પ્રસન્ન કરજો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org