SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મથિલાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२०० ज्ञानोपायः । (५१) न विशिष्टं सामर्थ्य न हैतुफलभावनियमः सर्वथाऽसदुत्पद्यत इति અને ત્યારથૈ .. कारणस्यैव कार्यभावसङ्गतां तद्योग्यता-कार्ययोग्यतां विहाय अपरः-अन्यस्तत्परिज्ञानोपायःअधिकृतसामर्थ्यपरिज्ञानोपायः । न विशिष्टं सामर्थ्य तत्तथाभावसङ्गतां तद्योग्यतां विहाय । अवध्यभावेन न हेतुफलभावनियमः । तत्तथाभावसङ्गतां तद्योग्यतां विहाय सर्वथाऽसदुत्प અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ તમે જેને પ્રમાણ કહો છો, તે તો જાતિરૂપ છે (અર્થાત્ કુતર્ક છે) એટલે વાસ્તવમાં તે પ્રમાણ ન બને. (અભિપ્રાય છે કે, જો આદિ કલ્પના કરવામાં આવનારા દોષો વાસ્તવિક હોત, તો અનાદિ હેતુપરંપરાને ગ્રહણ કરનાર કોઈક પ્રમાણ તો મળી જ રહેત. પણ તેનું કોઈ પ્રમાણ જડતું નથી, એ પરથી જણાઈ આવે છે કે, તે આદિકલ્પનાગત દોષો પ્રમાણ નહીં, પણ પ્રમાણાભાસરૂપ છે.) (આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે, પણ હકીકતમાં તે આદિકલ્પનાગત દોષો કુતર્કરૂપ હોવાનું સચોટ કારણ એ જણાય છે કે, વસ્તુ સદસરૂપ હોવાથી સત્ત્વની અપેક્ષાએ કથંચિત્ અનાદિ અને અસત્ત્વની અપેક્ષાએ કથંચિત્ સાદિ છે. એટલે એકાંત સત્ત્વ અને અસત્ત્વની અને તેને લઈને એકાંત સાદિત્ય અને અનાદિત્વની) કલ્પના કુતર્ક છે, કારણ કે તેવી કોઈ વસ્તુ જ હોતી નથી.) એટલે ફલિત એ થયું કે, અનાદિ હેતુપરંપરા પણ મનાય નહીં, કે જેના આધારે ઉત્તરોત્તર ક્ષણપ્રવાહમાં પ્રતિનિયત સામર્થ્ય વ્યવસ્થાપિત થાય. જે કારણથી આવું છે, (તસ્મા=તે કારણથી માનવું જ રહ્યું કે, કારણમાં કાર્યભાવ સાથે સંકળાયેલી કાર્ય કરવાની યોગ્યતા રહેલી છે. (અર્થાત્ જે યોગ્યતા; પ્રતિયોગી-સંબંધીરૂપે કાર્ય સાથે સંલગ્ન છે, તે યોગ્યતા (=કાર્યજનનયોગ્યતા) કારણમાં રહેલી છે...) આવું માન્યા વિના, તે કારણનાં સામર્થ્યને જાણવાનો બીજો કોઈ ઉપાય નથી. (આશય એ કે, તેમાં તેની યોગ્યતા માનો, તો તેના સંબંધી તરીકે પ્રતિનિયત કાર્ય જણાઈ આવે અને તો તે કારણનું પ્રતિનિયત કાર્યકરણસામર્થ્ય જણાઈ આવે... પણ યોગ્યતા ન માનો, તો આ બધું જાણવાનો કોઈ ઉપાય ન રહે.) (૫૧) બીજી વાત, કાર્ય સાથે સંલગ્ન તેવી યોગ્યતા માન્યા વિના તો વિશિષ્ટ સામર્થ્ય પણ સંગત થાય નહીં. (જો તે કારણમાં, પ્રતિનિયત કાર્ય સાથે સંલગ્ન તે પ્રતિનિયત કાર્યકારણયોગ્યતા હોય, તો તે કારણનું પ્રતિનિયત કાર્યજનન વિશિષ્ટ સામર્થ્ય માની શકાય. તે સિવાય તેવું સામર્થ્ય સંગત થાય નહીં.) અને તેવી યોગ્યતા વિના તો, કારણમાં કોઈ અવધિ ન રહેવાથી પ્રતિનિયત હેતુ-ફળભાવનો નિયમ નહીં રહે. (જો કાર્ય સાથે સંલગ્ન તેવી કાર્યજનનયોગ્યતા મનાય, તો તેમાં પ્રતિનિયત કાર્યનો જ સંબંધ રહે અને તો તેનાથી પ્રતિનિયત કાર્ય જ ઉત્પન્ન થાય, પણ તે ન માનવામાં તો તેનાથી કોઈ પણ કાર્ય થવા લાગશે. ફલતઃ હેતુ-ફળભાવનો જે નિયમ છે, તે રહેશે નહીં.) ૨. ‘હેતૃત્વત્તિનમાવનિયમ:' રૂતિ -પ4િ: . ૨. “સર્વથા સ૬૦' તિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy