SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ११६५ अनेकान्तजयपताका (પB: एवमैहिकसकललोकसंव्यवहाराभाव इति स्थितम् । (१७) आमुष्मिकव्यवहारस्तु सुतरामसङ्गतः, कृतनाशाकृताभ्यागमप्रसङ्गात् । तथाहि-यः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति । कुशलमपि च कर्मात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति । अतः कृतनाशः । क्षणान्तरस्य च चिरनष्टात् कर्मणः पुनरायत्यां फलोदयाभ्युपगमे सत्यकृताभ्यागम इति। - વ્યારહ્યા છે.... सकललोकसंव्यवहाराभाव इति स्थितम् । आमुष्मिकव्यवहारस्तु पारलौकिकः कर्मफलसम्बन्धादिः सुतरामसङ्गतः । कुत इत्याह-कृतनाशाकृताभ्यागमप्रसङ्गात् । एनमेवाहतथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यः कुशले प्रवर्त्तते स तदैव सर्वथा विनश्यति, निरन्वयनश्वरत्वात् । कुशलमपि च कर्म-पुण्याख्यमात्मलाभसमनन्तरमेव निरन्वयमपैति । अतः कृतनाशः, तदा फलमदत्त्वैव नाशात् । क्षणान्तरस्य च-कर्तृक्षणादन्यस्य चिरनष्टात् कर्मणः पुनरायत्याम्-आगामिनि काले फलोदयाभ्युपगमे सति किमित्याह-अकृताभ्यागम અનેકાંતરશ્મિ . પ્રમાતાને બીજા અર્થની ઉપલબ્ધિ માનવી પડશે અને આવું હોય તો સ્મરણાદિ શી રીતે ઘટે ? (આશય એ કે, જે પ્રમાતાએ જે વસ્તુનો અનુભવ કર્યો હતો, તે પ્રમાતા અને વસ્તુ તો બીજી જ ક્ષણે નષ્ટ થઈ ગયા... અને હવે જે પ્રમાતાને અર્થ ઉપલબ્ધ થાય છે, તે પ્રમાતા-અર્થ તો પૂર્વ કરતાં જુદા જ છે અને જુદા હોય તો “આ તો મેં પૂર્વે જોઈ હતી', “આ તે જ વસ્તુ છે, જે મેં પૂર્વે જોઈ હતી’ એવું સ્મરણ-પ્રત્યભિજ્ઞાન વગેરે શી રીતે સંગત થશે ?) એટલે ક્ષણિકવાદમાં સ્મરણાદિની અસંગતિ જ છે. નિષ્કર્ષ આમ, વસ્તુને પ્રતિક્ષણ નશ્વર માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાનાદિ કશું ન ઘટવાથી ઐહિક સકલલોકવ્યવહારનો અભાવ થઈ જશે, એમ સ્થિત થયું. ક્ષણિકવાદમાં પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત છે (૧૭) વસ્તુને પ્રતિક્ષણ નિરન્વય નશ્વર માનો, તો તો પારલૌકિક વ્યવહાર સુતરાં અસંગત થાય છે. તેનું કારણ એ કે, તેમાં (૧) કૃતનાશ, અને (૨) અકૃત-અભ્યાગમ નામના બે દોષ આવે છે. તે આ પ્રમાણે - (૧) જે વ્યક્તિ કુશલ-અનુષ્ઠાનમાં પ્રવર્તે છે, તે વ્યક્તિ તો નિરન્વય-વિનાશશીલ હોવાથી, ત્યારે જ સર્વથા નષ્ટ થઈ જાય છે... અને તે વ્યક્તિએ જે પુણ્યરૂપ કુશલ કર્મનું ઉપાર્જન કર્યું છે, તે કર્મ પણ બીજી જ ક્ષણે નિરન્વય નાશ પામે છે. (એટલે તે ભવિષ્યમાં કોઈ ફળ આપતું નથી.) આમ, કરેલું પુણ્યકર્મ, ફળ આપ્યા વિના જ નષ્ટ થઈ ગયું. એટલે તો કૃતનાશ (=કરેલા પુણ્યાર્થનો ફળ આપ્યા વિના જ નાશ) માનવાનો પ્રસંગ આવશે. (૨) હવે જો કર્તૃક્ષણથી અન્યક્ષણમાં, તે ચિરનષ્ટ કર્મનો ભવિષ્યમાં ફળોદય માનો, તો તો અકૃત-અભ્યાગમ નામનો દોષ આવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy