SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શૈલીથી વાસ્તવિક સાબિત કર્યો છે.. એક નેતાએ જાહેર સભામાં સંબોધન કરતાં જણાવ્યું કે - “હું અંદરથી રડી રહ્યો છું. આ દેશની ગરીબાઈ મારાથી જોઈ શકાતી નથી. મારી ઝંખના છે કે આ દેશના બધા દરિદ્રો ધનવાન બને અને તે મુજબનું હું ચોક્કસ આચરણ કરીશ..” સભા પૂરી થઈ. નેતાજી ઘરે પહોંચ્યા.. એક ભીખારી ટળવળતો તેમના આંગણે આવીને ઊભો હતો.. નેતાજીએ લાલચોળ આંખ કરીને થરથરતી ભાષામાં હુંકાર કર્યો કે - “ચાલ્યો જા અહીંથી. પગ મૂક્યો છે તો ખબરદાર !! બિચારો ભીખારી આંસુભરી આંખે જણાવવા લાગ્યો કે – “નેતાજી! તમે જ તો ગઈકાલે પ્રતિજ્ઞા કરી હતી કે હું બધાનું “ભીખારીપણું દૂર કરીશ.. ને આજે તો તમે ‘ભીખારીને જ દૂર કરવા મંડી પડ્યા છો ! ક્યાં ગયું તમારું વચન ?” નેતાજી અવાક્ થઈ ગયા.. વાત આ છે – દરેક દર્શનકારો “મોક્ષ-મોક્ષ' કહીને પોતાના દર્શનને સમ્યક ઠેરવવા પ્રયાસ કરે છે .. પણ તેઓ મોક્ષને મેળવવાનો જે માર્ગ આચરે છે – બતાવે છે, તે સાવ જ તથ્યવિહીન જણાય છે અને તેનાથી મોક્ષ મળતો નથી એટલું જ નહીં, આગળ વધીને મોક્ષ ઘટતો પણ નથી. અરિહંત પરમાત્મા યથાર્થ વક્તા છે, તેમણે જે અનેકાંતમય યથાર્થ માર્ગ બતાડ્યો, તેમાં મોક્ષનું યથાવસ્થિત અસ્તિત્વ નિબંધ ઘટે છે અને તે માર્ગ દ્વારા મોક્ષની અવાપ્તિ પણ થાય છે જ.. આ વાત સચોટ તર્કોથી પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. સા. એ સુપેરે સિદ્ધ કરી છે. અને અનેકાંત કેટલો બધો વ્યાપક છે? તેનું અનેક દાખલાઓથી તલસ્પર્શી નિરૂપણ કર્યું છે.. દા. ત. • પ્રમાણ એકાંતે પ્રમાણ નથી, અપેક્ષાએ અપ્રમાણ પણ છે. • અપ્રમાણ એકાંતે અપ્રમાણ નથી, અપેક્ષાએ પ્રમાણ પણ છે.. સંસારી એકાંતે સંસારી નથી, અપેક્ષાએ મુક્ત પણ છે.. છે અને મુક્તાત્મા એકાંતે મુક્ત જ નથી, અપેક્ષાએ સંસારી પણ છે.. આવી તો અનેક યુક્તિઓ લગાડી અનેકાંતને વિશદ કર્યો છે.. અને આ અધિકારમાં જે તપનું સ્વરૂપ અને ધ્યાનનું સ્વરૂપ બતાવ્યું છે, એ અત્યંત ઉપયોગી-આકર્ષક અને આત્મસાત્ કરવા યોગ્ય છે.. આવું વિશદ્ સ્વરૂપવર્ણન બીજા ગ્રંથોમાં બહુ ઓછું જોવા મળે છે.. આ અધિકારમાં રહેલ સરસ પદાર્થોનાં અધ્યયન-અધ્યાપન દ્વારા સન્માર્ગસ્થિત ક્ષયોપશમ નિર્મલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવીએ, પરંપરાએ શાશ્વત સુખને પામીએ, એ જ આંતરિક અભિલાષા.. આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ નામના એક સ્વતંત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy