SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સિવાય યથાતથા સેવન કરવામાં આવે, તો અવશ્ય દીર્ધસંસારી થાય.. - વૈદ્યપુરુષ, આરોગ્યશાસ્ત્રને સાપેક્ષ રહી ચિકિત્સા કરે અને કદાચ દર્દી મરી જાય, તો પણ કોઈ દોષ નહીં.. ને સાપની બુદ્ધિથી દોરડાને કાપે, તો પણ ભાવમલિનતાના કારણે કર્મબંધું ! આવી તો સેંકડો વાતો છે કે જે અનેકાંત વિના સંગત જ ન થઈ શકે.. દરેક વાક્યમાં ગર્ભિતપણે અનેકાંત સમાયેલો જ હોય છે. હકીક્તમાં અનેકાંતની જાણકારી વિના, તે તે આગમવચનો પણ અપેક્ષા વિના પકડવાના થાય.. અને તો તેઓનાં તાત્પર્યનું એકાંતે અવધારણ કરી લેવામાં તો, તે આગમવાક્ય પણ પ્રતિનિયત જીવવિશેષ માટે મિથ્યાષ્ટિનાં વચનતુલ્ય બની જાય ! એટલે અનેકાંત વિના તો આગમ પણ મિથ્યાદર્શન-તુલ્ય બની જાય.. ઉપદેશરહસ્યમાં તો છેક ત્યાં સુધી જૈણાવ્યું છે કે – (૧) સ્યાદ્વાદ – અનેકાંત જ જૈનપ્રવચનનું સારભૂત નિણંદ છે.. (૨) સ્યાદ્વાદને સમજાવવા માટે જ દ્વાદશાંગીરૂપ સમસ્ત ગણિપિટકનું સર્જન થયું છે.. (૩) સ્યાદ્વાદનું જ્ઞાન નહીં, તો નિશ્ચયનયથી ચારિત્ર પણ નિષ્ફળ છે.. (૪) સ્યાદ્વાદને સમજયા વિના દેશના આપનારનું ચારિત્ર નટચેષ્ટા જેવું છે. આના પરથી સ્યાદ્વાદ-અનેકાંતવાદનું કેટલું મહત્ત્વ છે? એ જણાઈ આવે છે.. અતિ અદ્ભુત છે આ અનેકાંતમય જિનશાસન ! અત્યંત તીક્ષ્ણબુદ્ધિસંપન્ન તાર્કિકપુરુષો પણ આ અનેકાંતમય જિનશાસનને નતમસ્તક થઈ ગયા છે. અહો ! અનેકાંત.. અહો ! અનેકાંત.. આ અનેકાંતને જ દાખલા-દલીલો અને સચોટ તર્કોથી સમજાવવા, સૂરિપુરંદર ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “અનેકાંતજયપતાકા' નામના એક જૈનદાર્શનિક આકર ગ્રંથનું સર્જન કર્યું.. તેમાં, ભાગ પાંચમો ! અધિકાર છઠ્ઠો ! “અનેકાંતવાદમાં જ મોક્ષ છે' એ વિષયને તર્કબદ્ધ * 'नहि वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक्क्रियां कुर्वत आतुरविपत्तावपि वैरानुषङ्गः, सर्पबुद्ध्या रज्जुमपि घ्नानो भावदोषात् कर्मबन्धश्चेति । - उपदेशरहस्यवृत्तौ । उवलित्ते वियाणिज्जा अणुवलित्तेत्ति वा पुणो ॥' सूत्रकृताङ्गसूत्रम् । © 'एकनयावधारणे मिथ्यादृष्टिवचनाऽविशेषप्रसङ्गात् ।' - उपदेशरहस्यवृत्तौ श्लो० १०२ । જ “ો પવનસાર સવૅ ક્વત્થવ "fifપડri I एअंमि अविण्णाए विहलं चरणं जओ भणियं ॥१०२।।' - उपदेशरहस्यम् । & ‘પરીક્કરપાણ સમયપરસમયમુવીવાર) | चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण याणंति ॥३/६७॥' - सन्मतितर्कप्रकरणम् । - “મદ અપાતા ૩વસરવા મખંતીયસ્થા .. नडनट्टं व जणावि य तेर्सि चरियं च पिच्छंति ॥१०५॥' - उपदेशरहस्यम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy