SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ १२८७ अनेकान्तजयपताका ( १३८ ) न चैकजातीया अपि न भिन्नहेतुजाः, वन्यरणिसूर्योपलादिभ्यः अनलाद्युदयदर्शनात् । (१३९) न चैतेषां जातिभेदोऽपि, तुल्यतया प्रतीतेः । न चैवं तत्रापि *વ્યાબા अन्वयो यस्याः सा तथाविधा सर्वथा - एकान्तेन तद्ग्राहिबोधविकलात् - प्रस्तुताश्वादिग्राहिबोधविकलात् । कुत इत्याह-बोधमात्रात्-तथाविधान्यतरबोधभावलक्षणात् भवितुमर्हति इति भावनीयमेतत् ॥ अभ्युच्चयमाह न चैकेत्यादिना । न चैकजातीया अपि पदार्था न भिन्नहेतुजाः, किन्तु भिन्नहेतुजा अपि । कुत इत्याह- वह्नयरणिसूर्योपलादिभ्यो हेतुभ्यः अनलाद्युदयदर्शनात् । * અનેકાંતરશ્મિ . (BY: -> સ્યાદ્વાદી : : કારણ કે આ પ્રતીતિ તો તેવા અનુભવસિદ્ધ અન્વયવાળી છે અને એટલે એ સર્વથા અશ્વગ્રાહી બોધથી વિકલ બોધમાત્રથી ન થઈ શકે. [આ અર્થ વ્યાખ્યા પ્રમાણે કર્યો છે અને તેનો યથાશ્રુત અર્થ એ થાય કે અશ્વગ્રાહી બોધથી વિકલ અન્યતર બોધમાત્રથી તેવી પ્રતીતિ ન થાય... પણ અહીં પ્રશ્ન એ થાય કે, બૌદ્ધ, અશ્વગ્રાહી બોધ તો માને જ છે, તેનો બોધ અશ્વગ્રાહી બોધવિકલ છે જ નહીં, તો પ્રતીતિ-અસિદ્ધ થવાની આપત્તિ શી રીતે આવે ? એટલે એવું લાગે છે કે, ‘તત્ક્રાહિવોવિતાત્=અન્વયપ્રાહિવોધવિજ્ઞાત્' એવું કહેવું જોઈએ અને આવું કહેવાથી પ્રતીતિ-અસિદ્ધ થવાની આપત્તિ બૌદ્ધમતમાં આવશે જ, કારણ કે ક્ષણિકમતે અન્યતર (પૂર્વ / ઉત્તરક્ષણ) બોધમાત્ર હોય છે. અન્વયગ્રાહી બોધ કદાપિ હોતો નથી. (એટલે તેના મતે તાદશ પ્રતીતિ સંભવિત નથી.) અહીં અન્વયગ્રાહી બોધ એટલે ‘અશ્વના અન્વયનું ગ્રહણ કરનાર બોધ’ એવું સમજવું...] (એટલે અશ્વ બીજા કાળમાં બીજાથી થાય છે, એવું જાણનાર કોઈ નથી અને હમણાં તો ગોઅશ્વનો સહચાર દેખાય છે. એટલે તો તમારા મતે ગાય-ઘોડાનો પણ કાર્ય-કારણભાવ માનવો પડશે.) એ બધું તમે બરાબર વિચારો... (હવે ગ્રંથકારશ્રી, ગાય-ઘોડાના કાર્ય-કારણભાવનું આપાદાન કરવા હજી એક પુષ્ટ તર્ક આપે છે. તે એ કે, અશ્વ બીજાથી થાય તો પણ તેની ગોહેતુકતા નષ્ટ થતી નથી. એક જ અશ્વ જુદા જુદા અનેક કારણોથી જન્ય હોઈ જ શકે છે. તે વાત આપણે પંક્તિ-અનુસારે સમજીએ - ) (૧૩૮) બૌદ્ધ : અશ્વનું કારણ તો અશ્વ જ છે, તો વિજાતીય એવી ગાય શી રીતે હોય ? સ્યાદ્વાદી : એકજાતીય પદાર્થો પણ ભિન્ન હેતુઓથી જન્ય ન હોય - એવું નથી, અર્થાત્ તેઓ જુદા જુદા હેતુઓથી જન્ય હોઈ જ શકે છે. તેનું કારણ એ કે, એકજાતીય વહ્નિ પણ, (૧) વહ્નિ, (૨) અરણિ, (૩) સૂર્યોપલ - વગેરે જુદા જુદા હેતુઓથી થતી દેખાય છે જ (દીવાથી દીવો પ્રગટે, ત્યારે એ વહ્નિ વહ્નિથી થયો કહેવાય. એ જ રીતે વહ્નિ, અરણિ-સૂર્યોપલ વગેરેથી પણ થાય છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy