SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १२८३ अनेकान्तजयपताका (પષ્ટ: -૭ चेत्, किं सा न गोसन्निधानासन्निधानोपलब्धानुपलब्धाश्वादिदर्शने इति सम्भवत्येव क्वचिदिति । (१३४) एवं च यदि तत्राप्यश्वस्य प्रागसत्त्वमन्यतो देशादनागमनमन्या વ્યાશા .... पलम्भाभावे सति नन्वेतदधिगतिः-तदृश्यत्वाधिगतिः ? प्रबन्धेत्यादि । प्रबन्धमाश्रित्यक्षणप्रवाहं तथोपलब्ध्या-सामान्येनापरोपलब्ध्या । इति चेत्, एतदाशङ्कयाह-किं सा-तथोपलब्धिः प्रबन्धापेक्षया सामान्येनेत्यर्थः, न गोः सन्निधानासन्निधानाभ्यां उपलब्धानुपलब्धश्चासौ अश्वादिश्चेति विग्रहः, तस्य दर्शने किं सा न इति सम्भवत्येव क्वचिदिति । एतदुक्तं भवति-गोसन्निधाने उपलब्धेऽश्वस्तदसन्निधाने नोपलभ्यते, न चासौ गोः कार्यं प्राप्नोति च भवनीत्येति । एवं च कृत्वा एतदप्यसमीक्ष्यैवोक्तमिति सम्बन्धः । किं तदित्याह-यदीत्यादि । - અનેકાંતરશ્મિ ... યોગ્યતાને લઈને કારણો “ઉપલંભજનનસ્વભાવી-ઉપલંભના કારણ” તરીકે કહેવાય છે. સ્યાદ્વાદીઃ ઊભા રહો... ઉપલંભના કારણોની હયાતીમાં એ સ્વભાવવિશેષનો ઉપલંભ તો થતો નથી, તો તે સ્વભાવવિશેષ દશ્ય છે, તેનું દર્શન થવું શક્ય છે, એવું તમે શી રીતે જાણ્યું? બૌદ્ધ : ક્ષણપ્રવાહને આશ્રયીને સામાન્યથી બીજી ક્ષણોમાં તેનો ઉપલંભ થાય છે અને ત્યારે તેની દશ્યતા પણ જણાઈ આવે છે.. (તાત્પર્ય એ કે, તે વખતે ભલે ઉપલબ્ધ નથી, પણ ઘટજ્ઞાન વખતે તો તે સ્વભાવવિશેષ ઉપલબ્ધ છે જ – આમ, ક્ષણપ્રવાહની અપેક્ષાએ બીજી ક્ષણોમાં તેનું અસ્તિત્વ હોવાથી તેની દશ્યતા સ્પષ્ટ જ છે અને એટલે એ દશ્યસ્વભાવની સાથે અધિકૃત કારણો ઉપલંભનું જનન કરે જ... અને તો તેઓ, ઉપલંભનું કારણ બને જ.) સ્યાદ્વાદી: અરે ! ક્ષણપ્રવાહની અપેક્ષાએ સામાન્યથી બીજી ક્ષણોમાં તેની ઉપલબ્ધિ થાય અને ક્યાંક વળી તેના ઉપલબ્ધિપ્રત્યયોના) સંનિધાન કે અસંનિધાનથી ઘટની ઉપલબ્ધિ કે અનુપલબ્ધિ દેખાય એટલા માત્રથી જો તેમનો કાર્ય-કારણભાવ (ઉપલબ્ધિપ્રત્યયો કારણ અને ઘટનો ઉપલંભ કાર્ય એવો કાર્ય-કારણભાવ) માની લેવાનો હોય (અર્થાતુ, સામાન્યથી બીજી ક્ષણોમાં ઘટ દેખાવાથી ઘટમાં દશ્યતાની સિદ્ધિ અને તેના આધારે ઉપલભપ્રત્યયોમાં યોગ્યતારૂપે ઉપલબ્ધિજનનસ્વભાવની (ઉપલંભકારણતાની) સિદ્ધિ થઈ જતી હોય) તો તેવા ક્ષણપ્રવાહની અપેક્ષાએ સામાન્યથી ઉપલબ્ધિ તો, ગાયના સંનિધાનમાં ઉપલબ્ધ અને ગાયના અસંનિધાનમાં અનુપલબ્ધ એવા અશ્વના દર્શનમાં પણ ક્યાંક છે જ અને એટલે તો ગાય-ઘોડાનો પણ કાર્ય-કારણભાવ માનવો પડશે ! ભાવાર્થ : કોઈક વખતે ગાય હતી ત્યારે ઘોડો દેખાયો અને કોઈક વખતે ગાય ન હતી ત્યારે ઘોડો પણ ન દેખાયો. આમ, સામાન્યથી ક્ષણપ્રવાહની અપેક્ષાએ ક્યાંક ગાય-ઘોડાનો પણ અન્વયવ્યતિરેક ઉપલબ્ધ થાય છે જ. હવે કોઈક ક્ષણે ઉપલબ્ધ થવા માત્રથી જો કાર્ય-કારણભાવ માની લેવાય, તો ગાય-ઘોડાનો પણ કાર્ય-કારણભાવ માનવો પડે. તે શું યોગ્ય છે? (ઘોડો એ ગાયનું કાર્ય નથી જ, પણ તમારી માન્યતા પ્રમાણે તેને ગાયનું કાર્ય માનવું પડશે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy