SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ १२६९ अनेकान्तजयपताका (પણ: __ (१२०) स्यादेतत्-अभिहितमिदम्, अन्यार्थं त्वभिहितम् । कस्तस्यार्थः ? स हि 'न कारणभेदो भेदकः स्यादिति' चोद्यं 'तत्रैव सामर्थ्यान्नापरापरजननम्' इत्यनेनैवानवकाशं मन्यते, (१२१) एवं स्पष्टीकृतमप्यर्थतत्त्वं यो नाम स्वदर्शनानुरक्तमतिस्तत्र - વ્યારા - स्यादेतत्-अभिहितमिदम्, अन्यार्थं त्वभिहितमिति । एतदाशङ्याह-कस्तास्यार्थोऽभिहितस्य ? । स हि-धर्मकीर्तिः 'कारणभेदो भेदकः स्यादिति' एतत् चोद्यं तत्रैवविवक्षिते कार्ये सामर्थ्यात् नापरापरजननमित्यनेनैव ग्रन्थेन अनवकाशं मन्यते । एवं स्पष्टी અનેકાંતરશ્મિ . આમ, ધર્મકીર્તિએ પણ, કાર્યના જુદા જુદા અનેક સ્વભાવ માન્યા છે, એટલે તેમાં કોઈ વિરોધ ન કરાય. હેતુબિંદુની અન્યાર્થતાસાધક બૌદ્ધ પૂર્વપક્ષ કે (૧૨૦) બૌદ્ધપૂર્વપક્ષ: ધર્મકીર્તિએ કહ્યું છે, એ વાત સાચી પણ તે બીજા અર્થને લઈને કહ્યું છે. તે અર્થ ક્યો – એ તમને ખબર છે? જો ના.. તો સાંભળો - કોઈએ પ્રશ્ન કર્યો કે, જો જુદા જુદા સ્વભાવવાળા ચક્ષુ વગેરે સહકારીઓથી વિજ્ઞાનરૂપ એક કાર્ય ઉત્પન્ન થાય એવું કહો, તો કારણભેદ કાર્યોનો ભેદક બનશે નહીં. કારણ કે જુદા જુદા કારણોથી પણ (જુદા જુદા કાર્યો માનવાના બદલે) તમે એક કાર્ય માની લીધું.... હવે ધર્મકીર્તિ માને છે કે, “તમૈવ સામર્થાત્ નારાપરનનન+' - એટલું કહેવાથી જ, પ્રશ્નકારે કહેલ આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. (અર્થાત્ તે પ્રશ્નના સમાધાન માટે આટલી પંક્તિ જ પર્યાપ્ત છે...) એ પંક્તિનો ભાવ એ કે, ચક્ષુ-આલોક વગેરે કારણોનું, વિવક્ષિત વિજ્ઞાનરૂપ કાર્યને જ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. તે સિવાયના બીજા વિજ્ઞાનોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. એટલે તેઓ બધા ભેગા મળીને પણ માત્ર વિવણિત વિજ્ઞાનને જ ઉત્પન્ન કરે. બસ, આ કથનથી જ પ્રશ્નકારે કહેલ આપત્તિનો અવકાશ રહેતો નથી. (પ્રશ્નકારનું કહેવું હતું કે, જગપ્રસિદ્ધ વ્યવહારને અનુસાર કારણભેદથી કાર્યભેદ માનવો જ જોઈએ, તો તમે ચક્ષુ વગેરે અનેક કારણોથી કાર્યભેદ કેમ માનતા નથી? તો ધર્મકીર્તિએ તેનું સમાધાન આપ્યું કે, તે કારણોમાં વિવણિત વિજ્ઞાનજનન સામર્થ્ય જ છે અને એ સામર્થ્યના આધારે તે અનેક કારણોથી પણ વિવક્ષિત એક કાર્ય જ થાય..). પ્રશ્ન : અહીં તે સિવાયના તરીકે ‘બીજા વિજ્ઞાનો' એવું કેમ કહ્યું? “બીજા કોઈપણ કાર્ય એવું કેમ ન કહ્યું? ઉત્તર : આ વાત ઉત્તરપક્ષમાં સ્પષ્ટ થશે . અહીં જેમ અપરવિજ્ઞાનજનનસામર્થ્ય નથી, તેમ અપરકાર્યજનનસામર્થ્ય પણ નહીં આવે... એવા બધા તર્કો ગ્રંથકારશ્રી રજુ કરવાનાં જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy