SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ १२४० ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (९०) स्यादेतत्-कः पुनरत्र प्रसङ्गार्थः ? यदि न विशेषकः स्यादित्ययमर्थः, तदप्ययुक्तम्, विजातीयानेकव्यावृत्तिमतः कार्यस्वभावस्योत्पादनात् । (९१) अथ न खण्डशो जनकः स्यादित्ययमर्थः, तथापि निरंशत्वाद् वस्तुरूपस्य भागश उत्पादनं नेष्टमेवेत्यप्रसङ्ग एव । ખા ચારથી . જ किमित्याह-न कारणभेदो भेदकः स्यात् । इति-एवमनिवृत्तः प्रसङ्ग उक्तदोषलक्षणः । स्यादेतदित्यादि । अथैवं मन्यसे-कः पुनरत्र-न कारणभेदो भेदकः स्यादित्युक्तौ प्रसङ्गार्थः ? यदि न विशेषकः स्यात् कारणभेद इत्ययमर्थः । एतदधिकृत्याह-तदयुक्तम् । कथमित्याहविजातीयानेकव्यावृत्तिमतः कार्यस्वभावस्य अधिकृतस्य उत्पादनात्-कारणभेदानाम् । अथ न खण्डशो जनकः-खण्डं खण्डं प्रति जनकः कारणभेदः स्यादित्ययमर्थः, तथापि-अत्राप्यर्थे ... અનેકાંતરશ્મિ .... દોષ કહ્યો હતો; કે કારણભેદ કાર્યોનો ભેદ કરનાર નહીં રહે, તે દોષ તદવસ્થ જ રહ્યો, તેનું નિવર્તન થયું નહીં. (આશય એ કે, તમે જુદા જુદા અનેક કારણોથી નિરંશ-એકરૂપ કાર્યની ઉત્પત્તિ કહી. હવે અહીં કારણભેદ હોવા છતાં કાર્ય એક જ માન્યું, તો તેની જેમ બીજે પણ એવું જ માનવું પડશે. ફલતઃ કારણભેદના આધારે કાર્યભેદની વ્યવસ્થા સંગત થાય નહીં.) હવે બૌદ્ધ, આ વિશે પોતાની કુતર્કબદ્ધ દલીલો રજૂ કરે છે – (૯૦) બૌદ્ધઃ તમે પ્રસંગ (=દોષ) આપ્યો કે; કારણભેદ ભેદક નહીં રહે. પણ તેનો અર્થ શું? (ભેદક નહીં રહે; એવું કહીને તમે શું ફલિત કરવા માંગો છો?). તટસ્થ: “ભેદક’ એટલે વિશેષક, અર્થાત્ બે કાર્યોમાં વિશેષ કરનાર, તેઓમાં તફાવત કરનાર. એટલે અર્થ એ થયો કે, કારણભેદ કાર્યોનો તફાવત કરનાર નહીં બને... બૌદ્ધ : વિજાતીય અનેક પદાર્થોથી વ્યાવૃત્તિવાળા એવા કાર્યસ્વભાવને જ, કારણો ઉત્પન્ન કરે છે. (માટીથી ઘડો તેવા સ્વભાવે જ ઉત્પન્ન થાય છે, કે જેથી તે, તે સ્વભાવે જ પટાદિ વિજાતીય પદાર્થોથી ભિન્ન રહે છે.) એટલે કહેવાનો ભાવ એ કે, કારણભેદો કાર્યનો તફાવત કરનાર ન રહે, તો તેમાં કોઈ ક્ષતિ નથી, કારણ કે કારણો, વિજાતીયથી વ્યાવૃત્તિસ્વભાવવાળા કાર્યને જ ઉત્પન્ન કરતા હોવાથી વિશેષક છે જ. (એટલે તેઓને વિજાતીયથી વ્યાવૃત્ત કરવા - તફાવત કરવા - કારણભેદની કોઈ જરૂર નથી.) તેથી તમારું કથન અયુક્ત જણાઈ આવે છે (અર્થાત્ તમે કહ્યું કે, કારણભેદ કાર્યોમાં વિશેષ કરનાર નહીં રહે. પણ તેમાં વાંધો શું? પ્રસંગ તો એવો અપાય કે જેનાથી દોષો આવતા હોય.) (૯૧) તટસ્થ: “ભેદક એટલે ખંડશઃ કાર્યને ઉત્પન્ન કરનાર... અર્થ એ થશે કે; જુદા જુદા અનેક કારણો ખંડશઃ કાર્યને ઉત્પન્ન કરનાર નહીં બને... (અર્થાત જુદા જુદા કારણો જુદા જુદા ટુકડારૂપે કાર્યને ઉત્પન્ન કરે-એવું નહીં બને.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy