SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ १२२३ अनेकान्तजयपताका (પષ્ટ: – पदार्थव्यावृत्तमविभक्तैकस्वभावमेवैकमाविर्भवति कार्य, तदा न कश्चिद्व्याघातः,(७४) तद्रूपकार्योत्पादननियतस्वभावाच्चानेकस्मादेककार्योत्पत्तावहेतुकत्वप्रसङ्गोऽप्यनव વ્યાહ્યા છે . विजातीयानेकपदार्थव्यावृत्तं तत्स्वभावतया अविभक्तैकस्वभावमेव हेतुभेदानां तत्रैव सामर्थ्यात् एकमाविर्भवति अभूतभवनेन कार्य, तथा न कश्चिद् व्याघातः, हेतुफलभावं प्रति इति प्रक्रमः । एतदेव भावयति तद्रूपेत्यादिना । तद्रूपं च तत्-विवक्षितरूपं विज्ञानादि कार्यं च तस्य उत्पादने नियतः स्वभावो यस्यानेकस्य तदेकापेक्षया तत् तथा तस्माच्च अनेकस्मात्-रूपादेः एककार्योत्पत्तौ सत्यां अहेतुकत्वप्रसङ्गोऽप्यनवकाश एव तत्तज्जननस्वभा ... અનેકાંતરશ્મિ .... કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોવાથી તેના કાર્ય વિશે પ્રતિનિયત છે, તેઓ થકી, વિજાતીય પદાર્થોથી વ્યાવૃત્ત અને પોતાનાથી અવિભક્ત (અભિન્ન) એકસ્વભાવવાળું એક કાર્ય પ્રગટ થાય છે, ત્યારે હેતુફળભાવ નિબંધ ઘટે, તેમાં કોઈ વ્યાઘાત નથી. ભાવાર્થ : નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા હોવાથી જેઓ તેવા ( નિરંશ-એકસ્વભાવી) કાર્ય વિશે જ પ્રતિનિયત છે, તેવા જુદા જુદા સ્વભાવવાળા રૂપાદિથી કે પૃથ્વી વગેરેથી, એક કાર્ય અભૂતભવનરૂપે પ્રગટ થાય છે, અર્થાત્ તે પૂર્વે ન હતું ને હમણાં થઈ રહ્યું છે... હવે આ કાર્ય, (૧) પોતાથી વિજાતીય અનેક પદાર્થોથી વ્યાવૃત્ત છે, કારણ કે વિજાતીયથી વ્યાવૃત્ત રહેવાનો તેનો સ્વભાવ જ છે, અને (૨) તે અવિભક્ત (ઋનિરંશ) એકસ્વભાવી છે, કારણ કે એકસ્વભાવી કાર્ય વિશે જ, તેના કારણોનું જનનસામર્થ્ય છે. આમ, અનેક હેતુઓથી, જયારે એકસ્વભાવી કાર્યનું જનન થાય, ત્યારે હેતુ-ફલભાવ હોવામાં કોઈ વિરોધ નથી. (હવે બૌદ્ધ, પોતાના મતમાં જ હેતુ-ફળભાવ ઘટે છે, બીજાના મતમાં નહીં – એવું જણાવવા ભાવના બતાવે છે -) (૭૪) નિરંશ-એકસ્વભાવી વિરક્ષિત વિજ્ઞાનાદિરૂપ કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ જેનો છે તેવા રૂપાદિ અનેક કારણોથી, એક કાર્યની ઉત્પત્તિ થવામાં, કાર્યને નિર્દેતુક માનવારૂપ દોષનો પણ અવકાશ રહેતો નથી. કારણ કે તે કારણોનો જ એકાંત-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. (એટલે તેમનાથી તે કાર્ય થાય જ અને કાર્ય પણ સહેતુક રહે જ.) ખરી વાત તો એ કે, અમે અન્વય (=કારણનો કાર્યમાં અનુગતભાવ) નથી માનતા. (એટલે પણ કાર્યની નિહેતુકતા થવાનું ટળી જાય છે.) આ પૂર્વે કહ્યું હતું કે, અનેક કારણોથી અનેક વિશેષો થાય. હવે એ વિશેષો, જો એકસ્વભાવી કાર્યથી જુદા હોય, તો તે એકસ્વભાવી કાર્ય નિહેતુક જ થાય ! કારણ કે કારણોથી વિશેષોની જ ઉત્પત્તિ થાય છે, તેનાથી ભિન્ન કાર્યની નહીં. પણ બૌદ્ધ અહીં તે દોષનું નિરાકરણ કરવા મથી રહ્યો છે. ૨. ‘માનેdloત -પાઠ: . ૨. ‘મેવાભૂતાનાં તત્રેવ' તિ વ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy