________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
र्तंच्चैवम्, तत्त्वतस्तथास्वभावत्वात्, यथाक्षयोपशमं तत्रैव व्ययप्रतीतेः । तत्तुच्छा
व्याख्या
भवनमेवं पूर्वभवनाभूतान्यथाभूतभवनात्मकम् । कुत इत्याह- तत्त्वतः - :-પરમાર્થન તથાસ્વમાવत्वात्-पूर्वभवनाभूतान्यथाभूतभवनात्मकस्वभावत्वात् । तथास्वभावत्वं च यथाक्षयोपशमं यस्य यथा क्षयोपशमः, क्षयोपशमानुरूपेणेत्यर्थः । तत्रैव- अधिकृतभवने किमित्याह-व्यय। तथाहि-कपालादिष्वेव घटादिव्ययप्रतीतिः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह - तत्तुच्छेत्यादि । * અનેકાંતરશ્મિ
-પ્રતીતેઃ
९२४
(પરમાર્થ : ઘડો ઉત્પન્ન થાય ત્યારે ઉત્પાદ-વ્યય બંને સમાવિષ્ટ હોય છે. બંનેનો વ્યપદેશ આ રીતે થાય : (૧) ઉત્પાદવ્યપદેશ - પૂર્વમવનભૂતાન્યથામૃતમવન અર્થાત્ મૃપિંડનું અતીત થવું અને તે મૃતપિંડનું ઘડારૂપે થવું... અને (૨) વ્યયવ્યપદેશ - પૂર્વભવનામૂતાન્યથાભૂતમવન અર્થાત્ મૃપિંડરૂપે પોતાનું અસ્તિત્વ ન રહેવું અને તે રૂપે વિલુપ્ત થઈ, તે મૃતપિંડનું અન્યથારૂપે થઈ જવું...)
પ્રશ્ન ઃ બંને વ્યપદેશ અર્થથી તો એકસરખા જ દેખાય છે, તો ઉત્પાદ-વ્યયમાં સંજ્ઞાભેદ (એકમાં પૂર્વભવનભૂત અને બીજામાં પૂર્વભવનાભૂત એવો ભેદ કરવાની શી જરૂર ?
–
ઉત્તર ઃ અહીં અમને એવું લાગે છે કે -
(૧) જેમ ઉત્પાદમાં (ક) પૂર્વભવનભૂત – મૃતપિંડનું અતીત થવું; તે ઉત્પાદ કહ્યો અને (ખ) અન્યથાભૂતભવન → મૃતપિંડનું અન્યરૂપે થવું; તે વ્યય કહ્યો... (૨) તેમ વ્યયમાં (ક) પૂર્વભવનભૂત -> મૃતપિંડનું મૃતપિંડરૂપે ન રહેવું; તે વ્યય કહ્યો અને અન્યથાભૂતભવન – તે મૃતપિંડનું અન્યરૂપે થવું; તે ઉત્પાદ કહ્યો... અર્થાત્ બંનેમાં અન્યથાભૂતભવન તો છે જ... હવે કોઈપણ ઘટનામાં ઉત્પાદ-વ્યય બંને સમાયેલા છે... ત્યારે જો પૂર્વભવનભૂતને (મૃતપિંડનું અતીત થવું; એ વાતને) પ્રધાન કરો, તો તે ઉત્પાદ (અર્થાત્ ત્યારે ઉત્પાદનો વ્યપદેશ થાય) અને જો પૂર્વભવનાભૂતને (મૃતપિંડનું મૃત્રપિંડરૂપે ન રહેવું; એ વાતને) પ્રધાન કરો, તો તે વ્યય (અર્થાત્ ત્યારે વ્યયનો વ્યપદેશ થાય)
(ખ)
આવું અમને જણાય છે, વિદ્વાનો બીજી રીતે પણ યથાયોગ્ય સંગતિ કરે. હવે પ્રસ્તુત વાત પર આવીએ -
૨. ‘તનૈવ તત્ત્વ॰' કૃતિ ૩-પાન: । ૨. ‘તથૈવ' કૃતિ -પાઇ: I
પ્રશ્ન : પણ વ્યયનો તેવો સ્વભાવ માનવાનું કારણ શું ?
ઉત્તર ઃ કારણ એ જ કે, ક્ષયોપશમને અનુસારે તેવાં સ્વરૂપ (પૂર્વભવનાભૂત-અન્યથાભૂતભવન) વિશે જ વ્યયની પ્રતીતિ થાય છે. જુઓ, ઘટવ્યયની પ્રતીતિ ઠીકરામાં જ થાય છે. તેનું કારણ એ જ કે, તે ઠીકરું (પૂર્વભવનાભૂત) ઘટરૂપે અતીત થયું છે અને (અન્યથાભૂતભવન) તે ઘટ ઠીકરારૂપે થયો છે, અર્થાત્ વ્યયનું સંપૂર્ણ સ્વરૂપ (=પૂર્વભવનાભૂત-અન્યથાભૂતભવન) હોવાથી જ ત્યાં વ્યયની પ્રતીતિ
થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org