________________
९०१
अनेकान्तजयपताका
(પગ્નમ:
(४८) किञ्चास्यानेकगुणसम्बन्धस्वभावत्वे सति तदुपपत्तिः, अन्यथा अयोगात् । न चायमेक एव, उपाधिभेदाद् रूपादीनामनेकत्वात्, रूपसम्बन्धस्वभावस्यैव रसादिચહ્યા
છે ___ दूषणान्तरमाह किञ्चेत्यादिना । अस्येति प्रक्रमादणोरनेकगुणसम्बन्धस्वभावत्वे सति रूपाद्यपेक्षया तदुपपत्तिः, प्रक्रमाद् रूपाद्यात्मकत्वोपपत्तिः । कुत इत्याह-अन्यथा-अतत्स्वभावत्वे सति अयोगात् । न चायम्-अनेकगुणसम्बन्धस्वभावः प्रक्रमात् तस्याणोरेक एव । कुत इत्याह-उपाधिभेदात् । एनमेवाह-रूपादीनामुपाधीनामनेकत्वात् रूपसम्बन्धस्वभाव............ .................. અનેકાંતરશ્મિ ...........................
(અહીં બીજું પણ એક દૂષણ છે કે, મૂર્તત્વ તો સામાન્ય છે અને સામાન્યને વૈશેષિકો અમૂર્ત માને છે. તો આવા અમૂર્ત (મૂર્તત્વરૂપ) સામાન્યના યોગથી, દ્રવ્ય મૂર્તિ શી રીતે બની જાય? પણ આ દૂષણ અતિસૂક્ષ્મક્ષિકાનું કારણ ન હોવાથી, સૂત્રકાર-વૃત્તિકારે જણાવ્યું નથી. સીધી જણાઈ જતી વાત તો વિદ્વાનો સમજી જ જવાના...).
(૪૮) ચોથી વાત, જો પરમાણુમાં (૧) રૂપસંબંધસ્વભાવ, (૨) રસસંબંધસ્વભાવ... એમ અનેક ગુણો સાથે સંબંધ થવાનો સ્વભાવ માનશો, તો જ તેની રૂપાદિ આત્મકતા સંગત થઈ શકે, બાકી જો આવો સ્વભાવ ન માનો, તો તેની રૂપાદિ આત્મકતા ઘટી શકે જ નૈહીં...
હવે પરમાણુમાં રહેલ આ “અનેકગુણસંબંધસ્વભાવ” માત્ર એકરૂપ નથી, કારણ કે જુદી જુદી ઉપાધિના ભેદ તે અનેકરૂપ છે. તે આ રીતે -
(૧) રૂપ, (૨) રસાદિ ઉપાધિઓ અનેક છે, એટલે તે ઉપાધિઓના કારણે પરમાણુમાં પણ (૧) રૂપગુણસંબંધસ્વભાવ, (૨) રસગુણસંબંધસ્વભાવ... એમ જુદા જુદા અનેકસ્વભાવો માનવા પડે...
પ્રશ્ન : વૈશેષિકો તો અણુને રૂપાદિરૂપ માનતાં જ નથી, તો પછી અનેકગણ સાથે સંબંધ માનો તો જ તમારી રૂપાદિરૂપતા ઘટી શકશે – એવું કહેવાનું તાત્પર્ય શું?
ઉત્તર : આ વાત અભ્યપગમવાદથી સમજવી, અર્થાત્ જો અણુને રસારિરૂપ અને એકરૂપ માનો અથવા રૂપરસાદિનો દ્રવ્યની સાથે સમવાયાદિ સંબંધ માનો, તો તે ઘટતો નથી, આખરે તો તાદાસ્ય-તાદ્રય (દ્રવ્યનું રૂપાદિરૂપત્ન) માનવું જ પડશે - એ વાત અધ્યાહારથી લેવી... એટલે હવે તેની રૂપાદિરૂપતા સંગત કરવા તેનો અનેકગણ સાથે સંબંધ થવાનો સ્વભાવ અનિવાર્ય છે... એ જ વાત આગળ કહે છે.
(અથવા અમને લાગે છે કે, વ્યાખ્યામાં ‘તદુપત્તિ:, પ્રમાદ્રપદ્યાત્મવત્વોપત્તિઃ' એવો પાઠ હોવો જોઈએ... અથવા તો પાઠ ન હોવા છતાં તેનો અર્થ એવો હોવો જોઈએ. તેનો અર્થ આ પ્રમાણે કરાય - વૈશેષિકો રૂપાદિગુણોને દ્રવ્યથી જુદા માને છે, અર્થાત્ દ્રવ્ય (રૂપાદિસંબંધવાળો છે) રૂપાદિરૂપ નહીં, એવું માને છે, તો દ્રવ્યની અરૂપાદિરૂપતા સંગત કરવા, તમારે તેમાં રૂપાદિ અનેકગણનો સંબંધ માનવો જ રહ્યો.. (સંબંધ બે જુદી વસ્તુનો હોય, એટલે અનેક ગુણ સાથે સંબંધ માનો તો જ રૂપાદિ ગુણો અને દ્રવ્ય જુદા ફલિત થાય અને તો જ દ્રવ્યની અરૂપાદિરૂપતા ઉપપન્ન થાય, અન્યથા નહીં...) હવે વૈશેષિકો અનેકગુણ સાથે સંબંધ માને, તો દ્રવ્યની અનેકસ્વભાવતા જ સિદ્ધ થાય - એ વાત આગળ જણાવે છે...).
૨. પૂર્વમુદ્રિત તુ ‘પપ:' તિ પાઠ:, અa 1 D-પJિ:T.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org