________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
८८६
- > च ।(३२) योगिनोऽपि तत्साधारणाकारं गृह्णन्त्येवेति चेत्, को वा किमाह? तद्ग्रहणेनैव विरुद्धस्तदितरग्रह इति चेत्, न, तेनैवासौ कथञ्चित् । तद्भेदे कथं भिन्नेनैव स इति चेत्,
... व्याख्या
सुखप्रतिपत्त्यर्थमुपन्यस्ताः साधारणासाधारणधर्मभाक्त्वेन । योगिनोऽपि-निरावरणाः तत्साधारणाकारं-परमाणुसाधारणाकारं गृह्णन्त्येव । इति चेत्, एतदाशङ्कयाह-को वा किमाह ? गृह्णन्त्येवेत्यर्थः । तद्ग्रहणेनैव-साधारणाकारग्रहणेनैव विरुद्धस्तदितरग्रहः-असाधारणाकारग्रहः । इति चेत्, एतदाशङ्कयाह-न, तेनैव-साधारणाकारग्रहणेनैव असौ-असाधारणाकारग्रहः कथञ्चित्-केनचित् प्रकारेण । तद्भेदे-साधारणासाधारणाकारभेदे कथं भिन्नेनैव, ग्रहणेनेति प्रक्रमः, सः-इतरग्रहः ? इति चेत्, एतदाशङ्याह-न भिन्नेनैव-एकान्ततः । कथं तर्हि स
- અનેકાંતરશ્મિ છે લઈને થતી હોવાથી અનવદ્ય છે, અર્થાત્ યથાર્થ છે.
(ભાવ એ કે, (૧) ધ્યામલરોગવાળા વ્યક્તિને યષ્ટિરૂપે થતાં જ્ઞાનની જેમ, કર્મરોગવાળા આપણને, પરમાણુઓનું સાધારણરૂપે (=ઘટાદિ સ્કંધરૂપે) જ્ઞાન થવું સંગત જ છે, અને (૨) નિર્મલનેત્રવાળા વ્યક્તિને યષ્ટિ/સરસવરૂપે થતાં જ્ઞાનની જેમ, નિરાવરણ યોગીઓને, પરમાણુઓનું સાધારણ અસાધારણ બંને રૂપે જ્ઞાન થવું સંગત જ છે...
આ રીતે સાધારણ/અસાધારણ પણ પરમાણુઓનું આપણને માત્ર સાધારણરૂપે જ કેમ ગ્રહણ થાય છે? – એ ગ્રંથકારશ્રીએ સમજાવ્યું...).
(૩૨) બૌદ્ધ: ઉપરોક્ત કથન પ્રમાણે તો એવું માનવું પડશે કે, (નિર્મલનેત્રવાળો વ્યક્તિ, જેમ વસ્તુનું સરસવ/યષ્ટિ બંને રૂપે ગ્રહણ કરે છે, તેમ) યોગી અસાધારણરૂપે પણ ગ્રહણ કરે છે અને સાથે સાથે આપણી જેમ પરમાણુઓનું સાધારણરૂપે પણ ગ્રહણ કરે જ છે...
સ્યાદાદીઃ એ વિશે કોણ શું કહે છે? અર્થાત્ આપણી જેમ યોગીઓ, સાધારણરૂપે પણ પરમાણુઓનું ગ્રહણ કરે છે – એ વાત તો બરાબર જ છે...
બૌદ્ધઃ જો યોગી સાધારણ આકારનું ગ્રહણ કરે, તો તેનાથી અસાધારણ આકારનાં ગ્રહણનો વિરોધ થશે. (સીધી વાત છે કે, યોગી જો સાધારણરૂપે ગ્રહણ કરે તો તેમને તે જ પરમાણુનું અસાધારણરૂપે ગ્રહણ શી રીતે થઈ શકે ?)
સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ, એક વાત સમજી રાખજો કે, પરમાણુના સાધારણ આકારનું ગ્રહણ થવાથી જ, કોઈક અપેક્ષાએ (=અભેદની અપેક્ષાએ) તેના અસાધારણ આકારનું પણ ગ્રહણ થઈ જ જાય છે...
બૌદ્ધ : પણ આવું કઈ રીતે ? સાધારણ – અસાધારણ બે આકારોનો તો ભેદ છે, તો પછી ભિન્ન એવા સાધારણ આકારનાં ગ્રહણથી, અસાધારણ આકારનું ગ્રહણ શી રીતે થઈ જાય?
૨. “
અન્નેનૈવ'
ત ટુ-પતિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org