________________
ધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
८८२
वस्तुतो भेदकाभावात्, (२९) तद्भेदमात्रस्याप्रयोजकत्वात् तद्भावेऽपि तथाकार्यभेदासिद्धेः, बुद्धबोधभेदेषु तथाऽभ्युपगमादिति तद्भावोऽपि न तत्त्वतस्तदतिरिक्तवस्तुव्यतिरेकेणेति वक्ष्यामः ॥
वादिनः तस्या एव-अन्तर्वासनाया एव अयोगात् । अयोगश्च तन्मात्रस्य-बोधमात्रस्य सर्वबोधेषु-भुवनान्तर्गतेषु भावात्-कारणात् । ततः किमित्याह-तत्त्वेन-परमार्थेन भेदानुपपत्तेः सर्वबोधानाम् । ततः किमित्याह-भिन्नजातीयकार्यायोगात् । अयोगश्च वस्तुतः-परमार्थेन भेदकाभावात्, तद्भेदमात्रस्य-बोधभेदमात्रस्य । किमित्याह-अप्रयोजकत्वात् । अप्रयोजकत्वं च तद्भावेऽपि-बोधमात्रभेदभावेऽपि । किमित्याह तथाकार्यभेदासिद्धेः-विजातीयत्वेन कार्यभेदासिद्धेः । असिद्धिश्च बुद्धबोधभेदेषु-अनेकबुद्धसम्बन्धिषु तथाऽभ्युपगमात्-विजातीयत्वेन कार्यभेदासिद्धयभ्युपगमात्, न हि ततोऽशुद्धलक्षणजन्मेत्यभ्युपगमः । एवं तदुक्तिमात्रमेव इति
- અનેકાંતરશ્મિ .... સ્યાદ્વાદીઃ જુઓ ન માત્ર બોધરૂપતા તો સંપૂર્ણ જગતમાં રહેલા તમામ બોધોમાં (જુદા જુદા વ્યક્તિને થતાં જુદા જુદા બોધોમાં અને એકસંતાનમાં પણ જુદા જુદા બોધોમાં – આ બધા બોધોમાં) અવિશેષ=સમાન છે... એટલે ભવન અંતર્ગત તમામ બોધોમાં પરમાર્થથી તો કોઈ ભેદ જ નહીં રહે, (ભેદની અસંગતિ થશે...) એટલે બોધવિશેષને વાસનારૂપ માની શકાય નહીં...
પ્રશ્ન : તે બોધોમાં પરસ્પર ભેદ ન રહે તો શું થાય?
ઉત્તર : થાય એ જ કે, તે બોધો સમાન થઈ જવાથી, તેઓ દ્વારા ભિન્નજાતીય=જુદા જુદા પ્રકારનાં કાર્યો થઈ શકશે નહીં... આશય એ કે, ઘટજ્ઞાન ઘટનિશ્ચયરૂપ કાર્ય કરે છે, પટજ્ઞાન પટનિશ્ચયરૂપ કાર્ય કરે છે... આમ, જુદા જુદા જ્ઞાનો અલગ-અલગ પ્રકારના કાર્યો કરે છે. પણ હવે તેવું નહીં રહે, કારણ કે પરમાર્થથી તો તે જ્ઞાનોનો કોઈ ભેદક જ નથી, કે જે તે જ્ઞાનોનો ભેદ કરી, તે તે જ્ઞાન દ્વારા તે તે કાર્યોની સંગતિ કરાવે...
(૨૯) બૌદ્ધ : જુદા જુદા બોધો, જુદા જુદા વ્યક્તિમાં કે એક જ વ્યક્તિમાં જુદા જુદા કાળે રહેલા છે... એટલે શું તે બોધો જ પોતાના ભેદક ન બને ?
સ્યાદ્વાદી : પણ બોધભેદમાત્ર તે પ્રસ્તુતમાં (જ્ઞાનોથી ભિન્નજાતીયરૂપે કાર્યોની ઉત્પત્તિની સિદ્ધિમાં) અપ્રયોજક છે. અર્થાત્ નિષ્ફળ છે, કારણ કે બોધભેદ હોવા માત્રથી વિજાતીયરૂપે કાર્યભેદની સિદ્ધિ થઈ શકે નહીં. જુઓ - તમે અનેક બુદ્ધ સર્વજ્ઞો માનો છો, ને આ બધા સર્વજ્ઞોનું જ્ઞાન
વ્યક્તિદીઠ અલગ-અલગ છે, છતાં પણ તે બધા જ્ઞાનોનું શુદ્ધ સ્વલક્ષણરૂપ સજાતીય કાર્ય જ તમે માનો છો, ભિન્નજાતીય કાર્ય નહીં - હવે જો બોધભેદમાત્રથી ભિન્નજાતીય કાર્ય થતું હોય, તો અહીં પણ કો'ક સર્વજ્ઞગત બોધથી શુદ્ધસ્વલક્ષણને જન્મ થતો હોય, તો કોક બીજા સર્વજ્ઞગત બોધથી અશુદ્ધ સ્વલક્ષણનો પણ જન્મ થવો જોઈએ ને? એ રીતે વિજાતીયરૂપે કાર્ય થવું જોઈએ ને? પણ તેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org