SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પશ્ચમઃ न्नसत्यस्यासिद्धेः दुष्टकेशादिज्ञानस्य तदाभासत्वात्, तस्यापि तद्बलेनैव प्रवृत्तेः भिन्न બાબા × वेदनात् तस्मिन्नसति-विच्छिन्नेऽर्थे अस्यासिद्धेः । विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनेऽस्य कथं तर्हि दुष्टकेशादिज्ञानमित्थमित्याशङ्कयाह-दुष्टकेशादिज्ञानस्य । 'आदि' शब्दात् चन्द्रादिज्ञानग्रहः । तदाभासत्वात्-विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाभासत्वात् । तथा तस्यापि - ८७९ * અનેકાંતરશ્મિ (=બાહ્યપદાર્થગત આકારના પ્રકાશરૂપે) તેવી પ્રતીતિનો સ્પષ્ટપણે અનુભવ થાય છે. તે આ પ્રમાણે – સંવેદન તે (વિચ્છિન્ન=) જુદા એવા અર્થને (સાધારણરૂપે) ગ્રહણ કરવાના સ્થંભાવવાળું છે. આવા સંવેદનનો સ્પષ્ટપણે અનુભવ થાય છે... હવે જ્ઞાનથી જુદા અર્થનું અસ્તિત્વ નહીં માનો, તો વિચ્છિન્ન અર્થને ગ્રહણ કરનાર સંવેદનનો જે અનુભવ થાય છે, તે અનુભવ સિદ્ધ થઈ શકશે નહીં... એટલે એ અનુભવની સિદ્ધિ માટે, તથાવિધસંવેદનગ્રાહ્ય જુદા જુદા પરમાણુઓનું અસ્તિત્વ માનવું જ રહ્યું... * દુષ્ટજ્ઞાનને લઈને વ્યભિચાર આશંકાનો નિરાસ બૌદ્ધ : જો જ્ઞાન વિચ્છિન્ન અર્થને જ ગ્રહણ કરનારું હોય, તો આકાશમાં થતું બે ચન્દ્રનું જ્ઞાન, કેશજ્ઞાન, તે બધા જ્ઞાનો કેમ વિચ્છિન્ન અર્થને ગ્રહણ કરનાર નથી ? (તે પણ તેવા હોવા જ જોઈએ ને ?) પણ હકીકતમાં જેમ તેઓ ચન્દ્ર/કેશાદિ વિના પણ તેનું જ્ઞાન કરે છે, તેમ પ્રસ્તુત સંવેદન પણ અર્થ વિના જ તેનું ગ્રહણ કરનાર હોઈ શકે. એટલે તેને આધારે પરમાણુનું અસ્તિત્વ સિદ્ધ થાય નહીં... સ્યાદ્વાદી : અરે બૌદ્ધ ! કેશજ્ઞાનાદિ તો વિચ્છિન્ન અર્થને ગ્રહણ કરનાર સંવેદનરૂપ નથી, પણ સંવેદનાભાસરૂપ છે. એટલે તેની ઉત્પત્તિ તો વિચ્છિન્ન અર્થ વિના પણ શક્ય છે... પણ તથાવિધ યથાર્થ સંવેદન તો, વિચ્છિન્ન અર્થ વિના બિલકુલ સંગત થાય નહીં... (એટલે તેવા જ્ઞાનનું તો અર્થને લઈને જ અસ્તિત્વ માનવું જોઈએ અને એટલે પરમાણુઓનું પણ અસ્તિત્વ છે જ...) ܀ * દુષ્ટજ્ઞાનની પણ વસ્તુનિમિત્તકતા બીજી વાત, ખરેખર તો તે દુષ્ટ કેશજ્ઞાન - દ્વિચન્દ્રજ્ઞાનાદિ પણ, વિચ્છિન્ન અર્થના બળે જ પ્રવૃત્ત થાય છે... આશય એ કે, (૧) કેશજ્ઞાનમાં તેવા કિરણાદિરૂપે પરિણમેલા પરમાણુઓ જ નિમિત્ત બને, (૨) દ્રિચન્દ્રજ્ઞાનમાં એકચન્દ્રરૂપે રહેલ પ૨માણુઓ જ નિમિત્ત બને છે... બાકી કિરણ/ચન્દ્રરૂપે ૨હેલ પરમાણુ વિના તો તેવું દુષ્ટજ્ઞાન પણ સંગત નથી... (શું સાવ જ અંધારામાં કેશજ્ઞાન થાય છે ? * અહીં સાધારણરૂપે પ્રતીતિ કહેવાનો ભાવ એ લાગે છે કે, પ્રતીતિ સ્કંધ - સમૂહરૂપે થાય છે. એટલે સાધારણરૂપ=પરમાણુના સમૂહનું સ્વરૂપ; જે દરેક પરમાણુનું વિલક્ષણ નથી, પણ બધાનું ભેગું થઈને બને છે અને તે રૂપે જ પ્રતીતિ થાય છે... છુ. ‘પ્રતીતે:' કૃતિ -પાટ: I ૨. પૂર્વમુદ્રિત તુ ‘વેવનસ્ય' કૃતિ પા:, અત્ર તુ -પ્રતપાđ: I રૂ. ‘જ્ઞાનમિત્યા’ રૂતિ -પાટ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy